ઓલમ્પિક વિજેતાઓને બહુમાન ,રાજકોટની દિવાલોમાં દોરાયા રમતવીરોના ચિત્રો
રાજકોટમાં છેલ્લા છ વર્ષથી કાર્યરત ચિત્રનગરીના કલાકારો દ્રારા આ રમતવીરોના ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં 7 ખેલાડીઓના ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતા.
ઓલમ્પિક(Olympic)માં ભારતનો ડંકો વગાડનાર રમતવીરોને રાજકોટ(Rajkot)માં અનોખી રીતે બહુમાન આપવામાં આવ્યું છે રાજકોટના કિસાનપરા ચોકમાં ઓલમ્પિક વિજેતા રમતવીરોના ચિત્ર(Picture)દોરવામાં આવ્યા છે.રાજકોટમાં છેલ્લા છ વર્ષથી કાર્યરત ચિત્રનગરીના કલાકારો દ્રારા આ રમતવીરોના ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં 7 ખેલાડીઓના ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતા.
ચિત્રનગરી ના કલાકારોએ વરસતા વરસાદમાં પણ ચિત્ર દોરીને વિજેતા કલાકારોને બહુમાન આપ્યું હતુ.રાજકોટના મેયર પ્રદિપ ડવ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેની કામગીરી બિરદાવી હતી..
અત્યાર સુધીમાં 1 હજાર કલાકારોએ 13 હજાર ચિત્ર બનાવ્યા
અલગ અલગ ઉત્સવ અને અલગ અલગ પ્રસંગ પર છેલ્લા છ વર્ષથી સ્માર્ટ સિટી અંતર્ગત ચિત્રનગરી દ્રારા ચિત્રો દોરવામાં આવે છે આ માટે ચિત્રનગરીમાં 1 હજાર જેટલા કલકારો જોડાયેલા છે જેઓ માત્ર રાજકોટ જ નહિ પરંતુ જામનગર,સુરેન્દ્રનગર,વાંકાનેર,જસદણ અને અમદાવાદ સાબરમતી જેલની બહારની દિવાલોમાં 13 હજાર જેટલા ચિત્રો દોર્યા છે આ તમામ કલાકારો વિનામૂલ્યે પોતાની સેવા આપીને શહેરની દિવાલોને સુંદર અને નયનરમ્ય બનાવે છે.
આ કામગીરીમાં ચિત્રનગરીના કલાકારો જીતુભાઇ ગોટેચાના માર્ગદર્શન હેઠળ ચિત્રકાર રૂપલબેન સોલંકી,રાજભા જાડેજા,રમેશભાઇ મુંઘવા,સુધીરભાઇ ગોહિલ,જય દવે,શિવમ અગ્રવાલ,શક્તિરાજ જાડેજા,આદિતી સાવલિયા,સમર્થ હરિયાણી અને કેશવી ઠાકર દ્રારા ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : IAS ટોપર ટીના ડાબી અને અતહર ખાને લગ્નના 2 વર્ષ બાદ લીધા છૂટાછેડા, ગયા વર્ષે પરસ્પર સંમતિથી દાખલ કરી હતી અરજી
આ પણ વાંચો : Good News : સુરતમાં હીરા-ઝવેરાતના વેપારીઓ માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર, 16 ઓગસ્ટે ઉદઘાટન