Patan : વાતાવરણમાં પલટો આવ્યો, વારાહી પંથકમાં ઝરમર વરસાદ પડયો
પાટણ(Patan) જિલ્લામાં પણ ચોમાસાનું આગમન થયું છે. પાટણના વારાહી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વારાહીના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત કાળાડિંમાગ વાદળ સાથે ઠંડો પવન પણ ફૂંકાયો છે.
ગુજરાતમાં (Gujarat) ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ(Rain) વરસ્યો છે. જેમાં પાટણ(Patan) જિલ્લામાં પણ ચોમાસાનું આગમન થયું છે. પાટણના વારાહી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વારાહીના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત કાળાડિંમાગ વાદળ સાથે ઠંડો પવન પણ ફૂંકાયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દિયોદર, શિહોરી, થરા પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં વાતાવરણ વાદળછાયું બનતા ખેડૂતો ચિંતીત થયા છે. તેમાં બાજરીના પાકની કાપણી કરતા ખેડૂતો ચિંતિત થયા છે.
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન
દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે. ઘણા રાજ્યોમાં વરસાદે તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. અસહ્ય ગરમી વચ્ચે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલા સહીત અમરેલી જીલ્લાના ગામડાઓમાં વરસાદ જોવા મળ્યો. હરસુરપુર, દેવળિયા, શેખ પીપરીયા અને કેરીયા ગામમાં વરસાદ પડ્યો છે. લાઠી તાલુકામાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ પડ્યો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયુ. વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભામોદરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી. સાવરકુંડલાના જુનાસાવર, સેઢાવદર, ખેરાળા, નાળ ગામમાં પણ વરસાદ જોવા મળ્યો.
ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેસર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. બપોર બાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અસહ્ય બફારા વચ્ચે વરસાદ થતાં ગરમીમાં લોકોને અંશત: રાહત મળી છે. તો આ તરફ ખેડુતો પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ભારતમાં સામાન્ય ચોમાસું રહેવાની અપેક્ષા છે
IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, ભારતમાં નજીકના ભવિષ્યમાં સામાન્ય ચોમાસું જોવા મળી શકે છે. કારણ કે સામાન્ય કરતાં ઓછા વરસાદનો દાયકો પૂરો થવા જઈ રહ્યો છે. અમે હવે સામાન્ય ચોમાસાના યુગ તરફ આગળ વધી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું. કેરળમાં ચોમાસાની શરૂઆતની ઘોષણા કરવામાં IMDની “ઉતાવળ” અંગે IMDની ટીકા વિશે પૂછવામાં આવતા, મહાપાત્રાએ જણાવ્યું હતું કે હવામાન કચેરીએ ચોમાસાની શરૂઆત અને પ્રગતિની જાહેરાત કરવા માટે વૈજ્ઞાનિક પ્રક્રિયાને અનુસરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેરળના 70 ટકા હવામાન મથકોએ એકદમ વ્યાપક વરસાદની જાણ કરી હતી અને તે પ્રદેશમાં મજબૂત પશ્ચિમી પવનો અને વાદળોની રચના સંબંધિત અન્ય માપદંડોને પૂર્ણ કરે છે.