AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલઃ આરોગ્યમંત્રીએ કહ્યું, સેવા યથાવત્ નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી કરાશે

જુનિયર ડોક્ટરોના કહેવા પ્રમાણે આ મામલે અગાઉ રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ માગણીને યોગ્ય ઠેરવી હતી. જાે કે, આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ પગલાં પણ લેવામાં આવ્યા નથી.

જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલઃ આરોગ્યમંત્રીએ કહ્યું, સેવા યથાવત્ નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી કરાશે
Health minister
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 1:30 PM
Share

પડતર માગને લઇ ફરી રાજ્યભરમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો (Junior Resident Doctors) હડતાળ પર ઉતરી ગયા છે. જેના પગલે આજે આરોગ્ય મંત્રી ત્રુષિકેશ પટેલ (Health Minister Rushikesh Patel) નું મોટું નિવેદન આપ્યું છે. બોન્ડની માંગણી મામલે આરોગ્ય મંત્રએ મહત્વનું નિવેદન આપતાં કહ્યું કે જુનિયર તબીબો તેમની સેવા યથાવત્ રાખે. જો તેઓ તેમની હડતાળ યથાવત્ રાખશે તો સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી લેશે. આ સાથે જૂનાયર તબીબો પોતાની સેવા યથાવત્ નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી પણ કરાશે. પાટણ ખાતે સરકારની 8 વર્ષની ઉપલબ્ધિના કાર્યક્રમમાં દરમ્યાન ત્રુષિકેશ પટેલે જુનિયર તબીબો મામલે આ નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે પડતર માગણીઓને લઇને ફરી રાજ્યભરમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ (Resident Doctors) બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સિમાં ગણવા માટે ગુજરાતના સરકારી મેડીકલ કોલેજોના એક હજારથી વધારે રેસિડેન્ટ ડોક્ટરોએ મેડીકલ સુપરિટેન્ડેન્ટ, ડીન અને પીજી ડાયરેક્ટરને 24 કલાકનનું અલ્ટિમેટમ આપ્યું હતું અને બુધવારે એટલે કે 15 જૂને સવારે 9.00 વાગ્યાથી હડતાલ પર બેસી ગયા હતા. આ ઉપરાંત આવનારા 24 કલાકમાં પણ સંતોષકારક જવાબ આપવામાં આવશે નહી તો 16મી જૂને સવારે 9.00 વાગ્યાથી કોવિડ સેવાઓથી પણ અળગા રહીશું તેવી ચીમકી પણ ઊચ્ચારવામાં આવી છે.

આ પહેલા પણ રાજ્યભરમાં બોન્ડના સમયમાં ફેરફારને લઈને રેસિડેન્ટ ડોક્ટરો સરકાર સામે હડતાળ પર ઊતર્યા હતા, જે મુદ્દે અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરામાં હડતાળમાં જોડાનારા રેસિડેન્ટ તબીબોને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ચારેય શહેરોમાં અંદાજે 2000થી વધુ રેસિડેન્ટ તબીબો હડતાળમાં જોડાયા હતા.બીજી બાજુ, સરકાર આ વિવાદમાં નમતું જોખવા તૈયાર નથી. એવામાં રેસિડેન્ટ ડોક્ટરો હવે છેક સુધી લડી લેવાના મૂડમાં છે.

ડોક્ટરોના કહેવા પ્રમાણે, છેલ્લા એક વર્ષથી આરોગ્ય વિભાગમાં બોન્ડને સિનિયર રેસિડેન્સિમાં ગણવા માટે રજૂઆત કરી હતી. જોકે હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી જે દુઃખદ બાબત છે. દુઃખની વાત તો એ છે કે, ત્રણ વર્ષની રેસિડેન્સિમાં 36 મહિનામાંથી 17 મહિના કોવિડ મહામારીની વિકટ સ્થિતિમાં પણ અવિરત ફરજ બજાવી છે. બીજી તરફ જૂનિયર ડોક્ટર એસોસિએશનની માગણી છે કે, અમારા એક વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્સિમાં ગણવામાં આવે. આ મામલે અગાઉ રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ માગણીને યોગ્ય ઠેરવી હતી. જાે કે, આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ પગલાં પણ લેવામાં આવ્યા નથી. હવે અમારી ધીરજ ખૂટી રહી છે અને નાછૂટકે અમારે આવનારા દિવસોમાં આંદોલન કરવાની ફરજ પડી છે.

Follow Us
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
Breaking News : "ઝુંપડુ હશે ત્યાં ઘર " બનાવી આપવાનો વાયદો
Breaking News :
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
g clip-path="url(#clip0_868_265)">