Narmada : કેવડીયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓ, કેન્દ્રીય ગૃહસચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે. રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ રાષ્ટ્રીય એકતા પરેડ સંદર્ભે રાજ્યમાં થઈ રહેલી તૈયારી અંગે માહિતી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 5:23 PM

31 ઓક્ટોબરએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા પરેડમાં ભાગ લેવા માટે કેવડિયા આવશે. કેવડિયા ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી.આ બેઠકમાં આગામી 31 ઓક્ટોબરએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી બાબતે સમગ્ર સમીક્ષા કરવામાં આવી હતી. 31 ઓક્ટોબરએ કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવના થીમ પર રાષ્ટ્રીય એકતા પરેડની ઉજવણી થશે. 31 ઓક્ટોબરએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાના કર કમલોમાં પુષ્પાંજલિ અર્પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે. રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ રાષ્ટ્રીય એકતા પરેડ સંદર્ભે રાજ્યમાં થઈ રહેલી તૈયારી અંગે માહિતી આપી હતી. આ બેઠકમાં એડિશન ડીજીપી રાજુ ભાર્ગવે રાષ્ટ્રીય એકતા પરેડમાં સહભાગી થનાર લોકો વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. રાજ્યના ઇન્ટેલિજન્સ બ્યુરો ડાયરેક્ટર સીઆરપીએફના ડીજીપી પુણ્ય સલીલા શ્રીવાસ્તવ, નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ, નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ સહિતના અધિકારીઓ પણ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યાં હતાં.

નોંધનીય છેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ ગુજરાત આવશે. ત્યારે વડાપ્રધાનના આગમનને લઇને કોઇ કચાસ ન રહે તેની તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવાઇ છે.

આ પણ વાંચો : IT Department Recruitment: આવકવેરા વિભાગમાં MTS સહિતની ઘણી જગ્યાઓ પર ખાલી જગ્યા, જુઓ વિગતો

આ પણ વાંચો : હાઈકોર્ટમાં GPCBનું સોગંદનામું : વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત, રાજકોટ અને અમદાવાદના વટવામાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">