Mehsana : કડીની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો આપઘાત, સ્થળ પરથી મળી આવી સુસાઇડ નોટ
મહેસાણાના કડીમાં આવેલી એસ.વી. વિદ્યાલયની હોસ્ટેલમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે. આ વિદ્યાર્થિનીએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.
નાની ઉંમરે આપઘાતની ઘટનાઓ વધી રહી છે. ક્યાંક દબાણ વધી રહ્યા છે, તો ક્યાંક હવે પરિસ્થિતિને સંભાળી શકવાની સ્થિતિ રહી નથી. ફરી એકવાર વિદ્યાર્થિનીના આપઘાતે આ સવાલો ઉભા કર્યા છે. મહેસાણાના કડીમાં પણ એક આવી ઘટના બની છે, જ્યાં હોસ્ટેલમાં જ વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. એસવી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ 11ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. હોસ્ટેલના રૂમમાં પંખે ગળેફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો છે.
Student commits suicide over unknown reason in Kadi,#Mehsana #Gujarat #TV9News pic.twitter.com/67MrvAbEnD
— Tv9 Gujarati (@tv9gujarati) February 4, 2023
મહેસાણાના કડીમાં આવેલી એસ વી વિદ્યાલયની હોસ્ટેલમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે. આ વિદ્યાર્થિનીએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિની પાયલ કાળુભાઇ ગોહીલ સાણંદ વિસ્તારની રહેવાસી હતી. તેની પાસેથી સુસાઇડ નોટ પણ આવી છે. જેમાં તેણે તેના પિતાનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે હું તમારા કહેવા પ્રમાણે ન કરી શકી. તમે મારા માટે ઘણું કર્યુ છે.
આપઘાત પહેલા તેણે સુસાઈડ નોટ પણ લખી હતી, જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે, હોસ્ટેલમાં થયેલા આપઘાતને લઈને સવાલો પણ ઉભા થયા છે. વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ, તેમજ તેમને થઈ રહેલી હેરાનગતિ અંગે સંભાળ રાખનારા કોઈ નથી..? શું નાની ઉંમરે હિંમત હારી જનારા આ કિશોરોને વાળી શકે તેવી કોઈ વ્યવસ્થા ન કરી શકાય..?