મહેસાણામાં ગોચર જમીન પર ગેરકાયદે કબ્જો, સ્થાનિકોમાં ભારો ભાર રોષ જોવા મળ્યો

સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક ઉદ્યોગપતિઓ ગોચરની 600 વીઘા જમીન પર રસ્તો બનાવી જમીન પચાવી પાડવા માગે છે. ગ્રામજનોનું માનીએ તો પંચાયતી સર્વે નંબર 142 વાળી ગોચરની જમીનને ખાનગી બનાવવાના ઉદ્દેશ્યથી આ કૃત્ય કરવામાં આવ્યું છે.

મહેસાણામાં ગોચર જમીન પર ગેરકાયદે કબ્જો, સ્થાનિકોમાં ભારો ભાર રોષ જોવા મળ્યો
Illegal occupation of pasture land in Mehsana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 3:43 PM

મહેસાણા જિલ્લાના નંદાસણના લક્ષ્મીપુરા ગામમાં ગોચર જમીન પર ગેરકાયદે કબ્જો કરવાના પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક ઉદ્યોગપતિઓ ગોચરની 600 વીઘા જમીન પર રસ્તો બનાવી જમીન પચાવી પાડવા માગે છે. ગ્રામજનોનું માનીએ તો પંચાયતી સર્વે નંબર 142 વાળી ગોચરની જમીનને ખાનગી બનાવવાના ઉદ્દેશ્યથી આ કૃત્ય કરવામાં આવ્યું છે. કેટલાક અજાણ્યા શખ્સોએ વહેલી સવારે ગોચર જમીન પર ખોદકામ શરૂ કર્યું હતું અને જમીન પર ઉગેલા વૃક્ષો કાપ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.

જમીન પર ઉગેલા વૃક્ષો કાપ્યા હોવાના પણ આક્ષેપો

આ અંગેની જાણ ગામના આગેવાનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ગામના આગેવાનોનો આક્ષેપ છે કે જે લોકો ગોચરની જમીન પર કબ્જો કરી રહ્યા હતા તેમને અટકાવવાનો પ્રયાસ કરતા આ શખ્સોએ ધમકીઓ આપી હતી. જેથી મામલો બિચક્યો હતો.. ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર મામલાથી લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત પણ અજાણ છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ ગામના આગેવાનોએ નંદાસણ પોલીસ, મામલતદાર અને કડી તાલુકા પંચાયતમાં રજૂઆત કરી હતી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">