AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મહેસાણાના વીજાપુરની સાયન્સ કોલેજની ખુલ્લી મનમાની આવી સામે, કોપી કેસ ન કરવા કોલેજે 3 નિરીક્ષકોને નજરકેદ કર્યા

Mehsana: વીજાપુરમાં કોપી કેસ ન કરવા કોલેજે યુનિવર્સિટીના 3 નિરીક્ષકોને નજરકેદ કર્યા છે. મહેસાણાની વિજાપુરની સ્વામીનારાયણ કોલેજની ખુલ્લી મનમાની સામે આવી છે. કોલેજના સત્તાધિશોએ નિરીક્ષકોને ઘરે ન જવા દેવાની ધમકી આપી હતી.

Breaking News: મહેસાણાના વીજાપુરની સાયન્સ કોલેજની ખુલ્લી મનમાની આવી સામે, કોપી કેસ ન કરવા કોલેજે 3 નિરીક્ષકોને નજરકેદ કર્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 11:46 AM
Share

મહેસાણાના વિજાપુરની સ્વામીનારાયણ સાયન્સ કોલેજની ખુલ્લી મનમાની સામે આવી છે. વીજાપુરમાં કોપી કેસ ન કરવા કોલેજે યુનિવર્સિટીના 3 નિરીક્ષકોને નજરકેદ કર્યા હોવાનુ સામે આવ્યુ છે. કોલેજના સત્તાધિશોએ નિરીક્ષકોને ઘરે ન જવા દેવાની ધમકી આપી હતી. ત્રણેય પ્રોફેસરે સુરક્ષા માટે યુનિવર્સિટીનો સંપર્ક કર્યો અને યુનિવર્સિટીએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

MSC સેમેસ્ટર 4ની પ્રેકટિકલ પરીક્ષા ચોરીના કેસ સામે આવ્યા

ત્રણેય નિરીક્ષકોની ટીમ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે સ્વામીનારાયણ કોલેજમાં પરીક્ષા લેવા ગઈ હતી. M.sc. સેમેસ્ટર 4ના 45 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા ત્રણ નિરીક્ષકોની ટીમ કોલેજ પહોંચી હતી. પરંતુ પરીક્ષામાં 11 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા. આ મુદ્દે કોલેજનું વલણ બદલાયુ હતુ. પોલીસે જાણ કરાયા બાદ કોલેજની ગાડીમાં ત્રણેય નિરીક્ષકોને મહેસાણા છોડવામાં આવ્યા હતા

11 વિદ્યાર્થીઓ કાપલીમાંથી ચોરી કરતા પકડાયા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિજાપુર સ્વામીનારાયણ સાયન્સ કોલેજ ખાતે MSC સેમેસ્ટર 4ના 45 વિદ્યાર્થીઓની પ્રેકટિકલ પરીક્ષા લેવા યુનિવર્સિટીના ત્રણ પ્રોફેસરની ટીમ પરીક્ષક તરીકે આવ્યા હતા. 3 અને 4 મે એ આ પ્રેકટિકલ પરીક્ષા હત. જેમા પ્રથમ દિવસે કેટલાક વિદ્યાર્થીઓ કાપલી લઈને ચોરી કરતા દેખાયા હતા. જેમા ટીમે કંઈપણ સાહિત્ય હોય ત બહાર મુકી દેવા અપીલ કરી હતી. છતા ચાર પાંચ વિદ્યાર્થીઓ ચોરી કરતા હોવાથી તેમની કાપલી લઈ લેવામાં આવી હતી. અનેક સૂચના બાદ પણ 11 છાત્રો ચોરી કરતા પકડાયા હતા. જેમા કોલેજ દ્વારા આ વિદ્યાર્થીઓ સામે કેસ ન કરા માટે દબાણ કરવામાં આવ્યા હતા.

મહિલા પ્રોફેસરને કોલેજ સત્તાધિશોએ ઉંચા અવાજમાં ખખડાવ્યા

નિરીક્ષક તરીકે આવેલા મહિલા પ્રોફેસરના જણાવ્યા મુજબ તેઓ મહિલા હોવા છતા તેમને ઉંચા અવાજમાં ખખડાવ્યા હતા અને કેસ ન કરવા દબાણ કરી રહ્યા હતા. નિરીક્ષકોને ધમકી પણ આપવામાં આવી કે વાલીઓ ગાડી ભરીને આવે છે જે પૈકી એક વિદ્યાર્થીના વાલી PSI છે એ કેસ કરશે હવે તમે શું કરશો? એવુ કહી નિરીક્ષકોને દબડાવવામાં આવ્યા. કોલેજ સત્તાધિશો દ્વારા ધમકી અપાઈ કે વાલીઓ ગાડીઓ ભરીને આવે છે તમને કોલેજની બહાર નીકળવા નહીં દે. જેલ ભેગા કરવાના છે.

આ પણ વાંચો: Mehsana: ફાર્મસી કોલેજમાં ભણતી તિતિક્ષાના હત્યારા પ્રવિણ ગાવિતની થઈ ધરપકડ, પરિવારજનોએ ઇન્સ્ટિટયૂટ પર ઉઠાવ્યા સવાલો

જો કે નિરીક્ષકોએ કોલેજમાંથી સલામત રીતે બહાર નીકળવા યુનિવર્સિટીને જાણ કરી હતી. ત્યારબાદ ચેરમેન રજિસ્ટ્રાર કુલપતિ સહિતના સ્ટાફે તાત્કાલિક મદદ પહોંચાડી હતી. પહેલીવાર જીવનમાં આવો કડવો અનુભવ થયો હતો. કોઈ બીજા પ્રોફેસરને આવો અનુભવ ન થાય તે માટે યુનિવર્સિટી દ્વારા કડક પગલા લેવા જોઈએ.

ઈનપુટ ક્રેડિટ- મનિષ મિસ્ત્રી- મહેસાણા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">