AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કચ્છની લખપત સરહદ પાસેથી પાકિસ્તાની ઘૂષણખોર ઝડપાયો, ભારતીય સીમામાં 100 મીટર સુધી અંદર આવી ગયો હતો

બીએસએફે કચ્છના લખપતમાં પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. ઘૂસણખોર ભારતીય સરહદમાં 100 મીટર અંદર ઘૂસી આવ્યો હતો. પિલર નંબર 1139 પાસેથી પકડાયેલા ઘૂસણખોરની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. વધુ તપાસ માટે તેને પોલીસને સોંપવામાં આવશે. આ ઘટનાથી સરહદ સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

Breaking News : કચ્છની લખપત સરહદ પાસેથી પાકિસ્તાની ઘૂષણખોર ઝડપાયો, ભારતીય સીમામાં 100 મીટર સુધી અંદર આવી ગયો હતો
| Updated on: Jan 13, 2025 | 12:31 PM
Share

બીએસએફે કચ્છના લખપતમાં પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. ઘૂસણખોર ભારતીય સરહદમાં 100 મીટર અંદર ઘૂસી આવ્યો હતો. પિલર નંબર 1139 પાસેથી પકડાયેલા ઘૂસણખોરની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. વધુ તપાસ માટે તેને પોલીસને સોંપવામાં આવશે. આ ઘટનાથી સરહદ સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

ભારતીય સીમામાં 100 મીટર અંદર ઘુસી ગયો

કચ્છમાં લખપત સરહદ પાસેથી એક ઘુષણખોર ઝડપાઈ ચુક્યો છે. બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાનીને ઝડપી લીધો છે. પિલર નંબર 1139 નજીકથી તેને પકડી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ નથી જણાઈ રહ્યું. વધુ તપાસ માટે પોલીસને તેને સુપરત કરાશે. ભારતીય સીમામાં 100 મીટર અંદર ઘુસી આવ્યો હતો આ પાકિસ્તાની ઘુષણખોર.

લાંબા સમય બાદ સરહદ પરથી ઘૂષણખોર પકડાયો

પ્રાથમિક તપાસમાં હાલતો કશું જ શંકાસ્પદ નથી લાગ્યું. પરંતુ તે અહીં કયા ઈરાદે આવ્યો હતો? શા માટે ઘુષણખોરી કરી રહ્યો હતો અને તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? આ તમામ સવાલો એવા છે કે જેની તપાસ થવી જરૂરી છે. ઘણા લાંબા સમય બાદ સરહદ પરથી પાકિસ્તાની ઘુષણખોરો પકડાયો છે. સામાન્ય રીતે દરિયાઈ વિસ્તાર છે ત્યાં ઘુષણખોરો પકડાતા હોય છે. કેમ કે મોટાભાગના વિસ્તારોમાં ફેન્સીંગ છે તેનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

BSF દ્વારા સઘન પુછપરછ હાથ ધરાઇ

કેટલીક જગ્યાએ જે ફેન્સીંગનું કામ પૂર્ણ નથી થયું તે જગ્યાએથી આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગઈકાલે બીએસએફ ખાસ કરીને તેવા રણ અનુલક્ષીને વિવિધ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરી રહી હતી. ત્યારે પિલર નંબર 1139 પાસેથી એક પાકિસ્તાની શખ્સ છે. જે ભારતીય સીમાની અંદર 100 મીટર જેટલો અંદર ઘુસી આવ્યો હતો. તેને પકડી પાડ્યો હતો. ગઈકાલથી બીએસએફ દ્વારા તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ માહિતી મળી આવી નથી. પરંતુ બીએસએફ હાલ તેની પૂછપરછ કરી રહી છે અને ત્યારબાદ વધુ તપાસ માટે પોલીસને સુપરત કરવામાં આવશે. આ બાદ જયેશ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો પૂછતાં જ બાદ શું ખુલાસો થાય છે તે જાણવું રસપ્રદ રહેશે.

 

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">