Vadtal સ્વામિનારાયણ મંદિરમાં 1500 કિલો નારંગીનો અન્નકુટ ધરાવાયો

વડતાલ મંદિરના કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે આજે વિજયા એકાદશીના શુભદિને ઓસ્ટ્રેલિયા રહેતા અમદાવાદના હરિભક્ત યશભાઈ કુમુદભાઈ પટેલના યજમાનપદે દેવોને 1500 કિલો નારંગીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેવોને પણ નારંગીના વાઘા ધરાવવામાં આવ્યા હતા.

Vadtal સ્વામિનારાયણ મંદિરમાં 1500 કિલો નારંગીનો અન્નકુટ ધરાવાયો
Vadtal Swaminarayan Temple Orange Annakut
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 27, 2022 | 8:58 PM

વડતાલ(Vadtal) સ્વામિનારાયણ મંદિર(Swaminarayan Temple)  ખાતે રવિવારે વિજયા એકાદશીના શુભદિને દેવોને 1500 કિલો નારંગીનો અન્નકુટ(Orange Annakut) તથા વાઘા ધરાવવામાં આવ્યો હતો. તેમજ રવિવારે રજાનો દિવસ હોય સવારથી સાંજ સુધી અવિરત ભક્તોની ભારે ભીડ દર્શનાર્થ ઉમટી પડી હતી. તેમજ ભક્તોએ પ્રથમ વખત નારંગીના અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અંગે વડતાલ મંદિરના કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે આજે વિજયા એકાદશીના શુભદિને ઓસ્ટ્રેલિયા રહેતા અમદાવાદના હરિભક્ત યશભાઈ કુમુદભાઈ પટેલના યજમાનપદે દેવોને 1500 કિલો નારંગીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેવોને પણ નારંગીના વાઘા ધરાવવામાં આવ્યા હતા. મંદિરના સહાયક કોઠારી શ્યામવલ્લભ સ્વામી આ ઉત્સવ માટેના પ્રેરક બન્યા હતા.

જામફળ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ગુરુવારે ખેડાના જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ધામમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ અને દેવોની પ્રસન્નાર્થે પ. પૂ. ધ. ધૂ. 1008 આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની આજ્ઞાથી ,સેવાભાવી ભક્ત અમદાવાદ નિવાસી અને હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી દ્વિતીબેન દીપેશભાઈ દેસાઈ તરફથી જામફળ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વડતાલના મુખ્ય કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિને વડતાલ ખૂબ પ્રિય હતું. વડતાલમાં શ્રીહરિએ પોતાનું નિજ સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું હતું. વિશ્વ વસતા પોતાના આશ્રિતો માટે આચાર સંહિતા સમાવ શિક્ષાપત્રી લખી છે. આચાર્યપદની સ્થાપના કરી છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિર ઉત્સવોનું મંદિર

સામાન્ય રીતે કોઈ પણ મંદિરમા ભાવિક ભક્તો પ્રસાદ ચડાવતા હોય છે જેમાં બુંદી ગાંઠીયા. શ્રીફળ, લાડુ, શીરો, પેડા ધરાવવામાં આવતા હોય છે પણ ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમા તો ઋતુ પ્રમાણે ફળનો પ્રસાદ ભાવિક ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે છેલ્લા બે વર્ષની વાત કરવામાં આવે તો ગીર અને વલસાડની કેશર કેરીનો ઉત્સવ, નાસિકના બગીચાની કાળી અને લીલી દ્રાક્ષનો ઉત્સવ, ઉત્તર ગુજરાતની વરિયાળીનો ઉત્સવ. ચોમાસામાં જાંબુ ઉત્સવ ઉજવામાં આવ્યો હતો. ફળ ઉત્સવનું મહત્વ એ છે કે કોઈ પણ વ્યક્તિ તેને પ્રસાદ સ્વરૂપે આરોગે તો શરીરને કોઈ નુકશાન થતું નથી .

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

આ પણ વાંચો : Vadodara : યુક્રેનમાં ફસાયેલા પાંચ વિદ્યાર્થીઓ હેમખેમ પરત પહોંચ્યા, સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યા

આ પણ વાંચો : Bhavnagar: સાબરમતી-ભાવનગર બ્રોડગેજનું કામ પૂર્ણ થયું પણ ટ્રેનો ક્યારે શરૂ થશે? જાણો સાંસદ ભારતીબહેન શું કહે છે

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">