Bhavnagar: સાબરમતી-ભાવનગર બ્રોડગેજનું કામ પૂર્ણ થયું પણ ટ્રેનો ક્યારે શરૂ થશે? જાણો સાંસદ ભારતીબહેન શું કહે છે

ભાવનગર બોટાદ થઇ સાબરમતી સુધીની બ્રોડગેજનું કામ પૂર્ણ થઇ ચૂકેલ છે. હાલમાં લાસ્ટ ચેકિંગ અને ઈન્સ્પેકશનની કામગીરી ચાલી રહી છે. અત્યારે આ ટ્રેક પર માલગાડી દોડાવવાનું શરૂ કરી દેવામાં આવી છે.

Bhavnagar: સાબરમતી-ભાવનગર બ્રોડગેજનું કામ પૂર્ણ થયું પણ ટ્રેનો ક્યારે શરૂ થશે? જાણો સાંસદ ભારતીબહેન શું કહે છે
MP Bhartiben Shiyal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 6:15 PM

ભાવનગર (Bhavnagar) થી સાબરમતી (અમદાવાદ) વાયા બોટાદ ઇન્ટરસિટી જેવી ટ્રેનોની બહુ મોટી જરૂરિયાત છે અને અગાઉ ભાવનગર બોટાદ (Botad) મીટરગેજ લાઈનને બ્રોડગેજ બનાવવા માટે ખૂબ માંગણી હતી અને મોદી સરકારે આ માંગણી સ્વીકારતા બ્રોડગેજ (broad gauge) નું કામ પણ શરૂ થયું અને હાલ પૂર્ણ પણ થઈ ચૂકેલ છે.

ભાવનગર અને બોટાદ જીલ્લાના લોકો ભાવનગર વાયા બોટાદ સાબરમતી ઇન્ટરસિટીની રાહ જોઈ રહ્યા છે ત્યારે ભાવનગરના સાંસદ ભરતીબેન શિયાળે ટીવી નાઈન સાથે મુલાકાતમાં જણાવેલ કે બ્રોડગેજનું કામ પૂર્ણ થયેલ છે. છેલ્લા તબક્કાનું કામ ચાલી રહ્યું છે. માલ ગાડી દોડી રહી છે. છેલ્લું પેસેન્જર ટ્રેન માટેનું ઇન્સપેકશન પણ પૂર્ણ થયેલ છે. અને ટુક સમયમાં ભાવનગર બોટાદથી અમદાવાદ તરફની ટ્રેનો (train) શરૂ થશે. આજ સુધી મીટરગેજ હોવાથી લાંબા અંતરની ટ્રેનો શરૂ ન હતી પરંતુ બ્રોડગેજ શરૂ થતાં ભાવનગરથી અનેક લાંબા અંતરની ટ્રેનો લોકો માટે શરૂ કરવામાં આવશે.

ભાવનગરથી સાબરમતી સુધીમાં કુલ 44 રેલવે ફાટકો મુકવામાં આવેલ છે. જે અગાઉ વધારે હતા જે જરૂરિયાત મુજબ ઓછા કરવામાં આવેલ છે. રેલવે વિભાગ દ્વારા વચ્ચે ક્યાંય ઓવરબ્રિજ કરવામાં આવેલ નથી. અને જ્યાં ઓવરબ્રિજ કરવામાં આવેલ છે. તે તમામ રાજ્યસરકાર દ્વારા કરવામાં આવેલ છે. આ સિવાય આ બ્રોડગેજને લઈને રેલવે વિભાગ દ્વારા 76 અંડરબ્રિજ બનાવવામાં આવેલ છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

પહેલાની તુલનામાં વાત કરવામાં આવે તો બ્રોડગેજને લઈને ટ્રેનો સ્પીડમાં છતાં લોકોનો પેલા કરતા અડધો સમય બચશે. મીટર ગેજમાં ચાલતી ટ્રેન સ્પીડ આ રૂટ પર 60 ની હતી. જે બ્રોડગેજ થઇ જતા ટ્રેનની સ્પીડ 90 થી 110ની રહેશે. જોકે હાલમાં નવી લાઈન પર ટ્રેનને 90ની સ્પીડની મંજૂરી આપવામાં આવેલ છે. 17 નવા સ્ટેશનો ઉભા કરવામાં આવેલ છે.

તમામ સ્ટેશનો પર હાઇલેવલ પ્લેટફોર્મ બનાવવામાં આવેલ છે. તમામ પ્લેટફોર્મની લંબાઈ 24 ડબ્બા રહી જાય તેવી રાખવામાં આવેલ છે. જેને લઈને મુસાફરો આરામથી ટ્રેનમાં ચડી અને ઉતરી શકે, દિવ્યાંગો માટે ખાસ તમામ સ્ટેશનો પર રેમ્પ ઉભા કરવામાં આવેલ છે. બેસવા માટે ચેર અને પાણી, ટોયલેટ સાહિતની તમામ આધુનિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.

હાલમાં ઇન્સ્પેકશન પણ પૂર્ણ થઇ ચૂકેલ છે. આ ટ્રેક પર માલગાડી દોડાવવાનું શરૂ કરી દેવામાં આવેલ છે. રેલવે વિભાગની છેલ્લી કામગીરી પૂર્ણ થયા બાદ ભાવનગર સબતરમતી અને બોટાદથી અમદાવાદ બ્રોડગેજ લાઈન પર ઇન્ટરસિટી શીતની ટ્રેનોને લીલી ઝંડી અપાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Kutch: શુ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ આપણા હાથમાં છે? જાણો શું કહે છે નિષ્ણાતો

આ પણ વાંચોઃ ખેડા : પૂજ્ય રવિશંકર મહારાજની જન્મજયંતિની ઉજવણી, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકાર કામ કરી રહી છે : પાટીલ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">