Kheda: ઓસ્ટ્રેલિયાના સીડનીમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના તાબાના સ્વામિનારાયણ મંદિરનું કરવામાં આવ્યું ભૂમિ પૂજન

આ અવસરે પ્રાસંગિક પ્રવચનમાં સંત સ્વામીએ મંદિરનું આધ્યાત્મિક અને સામાજીક મહાત્મ્ય સમજાવ્યું હતું. નિત્યસ્વરૂપ સ્વામીએ કહ્યુ કે, આ મંદિર ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બની રહેશે.

Kheda: ઓસ્ટ્રેલિયાના સીડનીમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના તાબાના સ્વામિનારાયણ મંદિરનું કરવામાં આવ્યું ભૂમિ પૂજન
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Mar 26, 2023 | 6:08 PM

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પાંચ એકરમાં, વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભવ્ય ભૂમિપૂજન મહોત્સવ યોજાયો હતો. આ અંગે નિત્યસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે આ મંદિર ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બનશે.

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન

આ પ્રસંગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા 4 વર્ષથી સત્સંગીઓ હરિ મંદિર દ્વારા સત્સંગનું કાર્ય કરી રહ્યા છે ત્યારે સત્સંગ સમુદાય તેમજ સત્સંગ પ્રવૃતિમાં વધારો થતા મંદિરની જરૂરિયાત ઉભી થઈ  હતી. આથી છ મહિના પૂર્વે આચાર્ય મહારાજ અને ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી વગેરે ચતુર્થ પાટોત્સવ પ્રસંગે પધાર્યા ત્યારે વિશાળ ભૂમિ સંપાદનનો સંકલ્પ કર્યો. સહુ ધર્મપ્રેમી સજ્જનોના સહકાર સાથે 5 એકર ભૂમિ સંપાદિત કરવામાં આવી  હતી.

આ જમીનમા ભૂમિ પૂજન નિમિત્તે  27 માર્ચ સુધી ભૂમિપૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ દિવસ ઘરસભા તથા શ્રીમદ્ સત્સંગિજીવનની કથા, સરધાર નિવાસી પૂજ્ય નિત્યસ્વરૂપદાસજી સ્વામીના વક્તાપદે રાખવામાં આવેલી હતી જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ  લીધો હતો.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

આજે તારીખ  26ના રોજ મહાસમર્થ યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આપેલ બીજમંત્ર અને જનમંગલ હોમ તથા મંત્રોના નાદ સાથે પૂ. નિત્યસ્વરૂપ સ્વામી તથા ડો. સંત સ્વામીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂમિદાતા યજમાનો પણ જોડાયા હતા. આ અવસરે પ્રાસંગિક પ્રવચનમાં  સંત સ્વામીએ મંદિરનું આધ્યાત્મિક અને સામાજીક મહાત્મ્ય સમજાવ્યું હતું.

નિત્યસ્વરૂપ સ્વામીએ આ મંદિર ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બની રહેશે , એવા આશીર્વાદ સાથે દાતાઓ , મહેમાનો અને કાર્યકર્તાઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને ભારતભૂમિના ગૌરવની વાત કરી હતી. આ પ્રસંગે તેજસભાઈ- પ્રમુખ, દિપક રાઘવાણી – સેક્રેટેરિ , સી કે પટેલ, ઘનશ્યામ કાનાણી, કેતન પટેલ , નિલય પટેલ , રજનીકાંત પટેલ , રાજેશ ડોબરીયા , બિપીનભાઈ , મહેશભાઈ વગેરે અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:  Australia: મેલબોર્નની ધરતી ઉપર વડતાલ સ્વામિનારાયણ ભગવાનનું બનશે ભવ્ય મંદિર

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં 1.5 એકર જમીન સંપાદિત કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામ દ્વારા ઓસ્ટ્રેલિયામાં નૂતન મંદિર નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ 2024ના ઉપક્રમે ઓસ્ટ્રેલિયાની સત્સંગ યાત્રાએ છે.

ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 10 વર્ષથી સત્સંગ મંડળ કાર્યરત છે. ત્યારે મંદિર નિર્માણ દ્વારા ભાવિકો માટે ભારતીય સંસ્કૃતિ, વ્યસનમુક્તિના કાર્યો શરૂ કરવામાં આવશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">