Dakor rathyatra 2023: યાત્રાધામ ડાકોરમાં આજે 251મી ભગવાન રણછોડજીની રથયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા

ડાકોરમાં અષાઢી ત્રીજના દિવસે એટલે કે, પુષ્યનક્ષત્રમાં આજે ભગવાન રણછોડજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Dakor rathyatra 2023: યાત્રાધામ ડાકોરમાં આજે 251મી ભગવાન રણછોડજીની રથયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા
251st Rath Yatra Dakor
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jun 21, 2023 | 12:32 PM

Kheda : ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં (Dakor) અષાઢી ત્રીજના દિવસે એટલે કે, પુષ્યનક્ષત્રમાં આજે ભગવાન રણછોડજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાકોર રણછોડજી મંદિર કમિટી દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રા આ વખતે પણ ખુબજ ઉત્સાહ સાથે ભાવિક ભકતો સાથે નીકળી છે.

સવારે ભગવાનના બાળ સ્વરૂપને રથમાં બિરાજમાન કરાવ્યા બાદ મંદિરની અંદર ચાંદીના રથને ફેરવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઢોલ નગારા, સાથે ભવ્ય રથયાત્રાનો મંદિરમાંથી પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં માનવ મહેરામણ મંદિર પરિસરમાં ઉમટી પડ્યું હતું.

અમદાવાદ સહિત દેશભરમાં ગઈકાલે એટલે કે અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજાઈ હતી. ત્યારે ડાકોરમાં આજે અષાઢી ત્રીજના દિવસે એટલે કે, પુષ્યનક્ષત્રમાં આજે ભગવાન રણછોડજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

ડાકોરની આ સૌથી જૂની રથયાત્રા છે

ડાકોરની આ સૌથી જૂની રથયાત્રા છે. ભગવાન રણછોડજીના બાળ સ્વરૂપને રથમાં બિરાજમાન કરાવી મંદિરમાંથી ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી. 251મી રથયાત્રાના રૂડા અવસરે મંદિર પરિસર ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું. સવારે 9 વાગ્યે મંદિર પરિસરથી નીકળેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભાવિક ભક્તોએ ભગવાનના રથના દર્શન કરી ધન્યતા અનુભવી.

આઠ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભક્તો જોડાય છે

સૌથી જૂની અને પરંપરાગત રથયાત્રા ડાકોરના રણછોડજી મહારાજની ગણવામાં આવે છે. આઠ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભક્તો જોડાય છે. આ રથયાત્રા નિજ મંદિરેથી નીકળી સૌપ્રથમ લાલબાગ, રાધા કુંડ, માખણીયા આરે, ગાયોના વાડે, રણછોડપુરા, કેવડેશ્વર મહાદેવ, લક્ષ્મીજી મંદિર થઈ સાંજે સાત વાગ્યાના અરસામાં નિજ મંદિરમાં પહોંચશે.

આ પણ વાંચો Weather update : આગામી ત્રણ કલાક કચ્છ-સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે

નિજ મંદિરમાં પહોંચતા રણછોડરાયના બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજની નજર ઉતારવામાં આવશે. આ બાદ આરતી કરી ગોપાલ લાલજી મહારાજને પરત નિજ મંદિરમાં બિરાજમાન કરાશે. સમગ્ર રથયાત્રા દરમિયાન ગોપાલ લાલજી મહારાજ અલગ અલગ સવારીમાં બિરાજમાન થશે. ફણગાવેલા મગ, જાંબુ, કેરી, ચણાના પ્રસાદ ગ્રહણ કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આ રથયાત્રાના રૂટમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે. તો આ 251મી રથયાત્રા પ્રસંગે 251 વૃક્ષોના છોડનું રોપણ કરવામાં આવશે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">