Kutch: ઘર ઘર નળ જોડાણ ધરાવતો 12મો જીલ્લો જાહેર, કુલ 402565 ઘરમાં જોડાણ

|

Feb 19, 2022 | 11:06 PM

વાસ્મો દ્વારા જિલ્લામાં રૂ. 30  કરોડ 35 લાખની અંદાજિત કિંમતની કુલ 197 યોજનાઓ અમલી કરાયેલ જેના દ્વારા 19963 ઘરો નળ જોડાણથી આવરી લેવાયા છે. નરેન્દ્ર મોદીને યાદ કરતા નીમાબેન આચાર્યએ જણાવ્યુ હતુ. પાણી એ પારસ છે. પાણીને બચાવી તેનો સદુપયોગ કરવો જોઈએ

Kutch: ઘર ઘર નળ જોડાણ ધરાવતો 12મો જીલ્લો જાહેર, કુલ 402565 ઘરમાં જોડાણ
Kutch declared 12th district with Household tap connection

Follow us on

કચ્છના(Kutch)  દુર્ગમ વિસ્તારોમાં પાણી સમસ્યાની ફરીયાદ વચ્ચે આજે સરકારની હર ઘર જલ મિશન (Har Ghar Jal Mission) યોજના  હેઠળ ગુજરાતમાં(Gujarat)  12 મા જીલ્લા તરીકે જાહેર કરાયો હતો. વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ જણાવ્યુ હતુ કે 15 મી ઓગષ્ટ 2019ના રોજ જલ જીવન મિશન હેઠળ દેશના તમામ ઘરે ઘર-ઘર નળ જોડાણની જાહેરાત કરાઇ હતી જેના પગલે રાજ્યમાં આજે  આપણો કચ્છ જિલ્લો હર ઘર જળ તરીકે જાહેર થયો છે. બે વર્ષમાં વાસ્મો દ્વારા જિલ્લામાં રૂ. 30  કરોડ 35 લાખની અંદાજિત કિંમતની કુલ 197 યોજનાઓ અમલી કરાયેલ જેના દ્વારા 19963 ઘરો નળ જોડાણથી આવરી લેવાયા છે. નરેન્દ્ર મોદીને યાદ કરતા નીમાબેન આચાર્યએ જણાવ્યુ હતુ. પાણી એ પારસ છે. પાણીને બચાવી તેનો સદુપયોગ કરવો જોઈએ. આજે કચ્છ જિલ્લાને ગ્રામ્યસ્તરે 100 ટકા ઘર ઘર નળ જોડાણ હર ઘર જલ ધરાવતો રાજ્યનો 12 મો જિલ્લો જાહેર કરતા આનંદ વ્યક્ત કરી સરપંચોને કરકસર પુર્વક પાણીના વપરાશની અપીલ કરી હતી.

કચ્છમાં પાણીની અગવડો વચ્ચે સરકારે જિલ્લામાં રૂ. 652 કરોડની પાણી પુરવઠા સુધારણા યોજના મંજૂર કરી છે અંજારના 63 ગામોમાં રૂ. 42  કરોડ પાણી યોજના મંજુર કરાઇ હોવાનુ ધરાસભ્ય વાસણ આહિરે જણાવ્યુ હતુ. કચ્છમાં નર્મદા માટે રૂ. 3775 કરોડ રૂપિયા મંજૂર સાથે દરિયાના પાણીને શુદ્ધ કરવા માટે સરકારી જાહેર કરેલી યોજના પણ કચ્છમાં આગામી પાણીની સમસ્યા હળવી થશે

કચ્છમાં 650 કરોડની 9 યોજના કાર્યન્વિત છે જેના થકી ગ્રામ્ય વિસ્તારો સુધી લોક ભાગીદારીથી પાણી પહોચતુ થયુ છે.
આંતરિક પાણી વિતરણ યોજના સંભાળતી ગામ પાણી સમિતિઓને મરામત અને નિભાવણી આર્થિક સહાય પૈકી ચેક અપાયા હતા. જે પૈકી માંડવી તાલુકાના ગઢડા ગામની પાણી સમિતિને રૂપિયા 31.79 લાખ, અબડાસા તાલુકાના મોથાળા ગામની પાણી સમિતિને રૂપિયા 9.62 લાખ,  અંજાર તાલુકાના ટપ્પર ગામની પાણી સમિતિને રૂ. 3.26 લાખના ચેક અર્પણ કરાયા હતા

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

વાસ્મો પુરસ્કાર પાણી વિતરણ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર ગામની પાણી સમિતિને વાસ્મો દ્વારા રૂ. 50  જારનો પુરસ્કાર અર્પણ કરાયો  હતો. જેમાં અંજાર તાલુકાની મોડવદર લખપત તાલુકાની નારાયણ સરોવર તથા નખત્રાણા તાલુકાની સાયરા ગામની પાણી સમિતિને સન્માનિત કરવામાં આવી હતી

કચ્છમા વાસ્તવિક પાણીની સ્થિતીને પગલે અનેક વિસ્તારોમા પાણીની સમસ્યાની ફરીયાદો દર વર્ષે રહે છે. તે વચ્ચે ઉનાળા પહેલા આજે કચ્છમા સરકાર અને તંત્ર દ્રારા રજુ કરાયેલા આંકડા ખુબ પ્રેરક છે ત્યારે આશા રાખીએ કે હર ઘર નળ યોજના અતર્ગત ઘર-ઘર ઉનાળામા પણ પાણી પહોચે વિધાનસભા અધ્યક્ષ,અંજારના ધારાસભ્ય,કલેકટર પ્રવિણા ડી.કે સહિત ગુજરાત પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેરપી.એમ.નાગર તથા વાસ્મોના કાર્યપાલક ઇજનેર જે. એલ. ચૌહાણ સહિત યોજનાને સફળ બનાવનાર ટીમના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણીમાં પોલીસ અધિકારી કોકા-કોલા પીતા પકડાયા, જજે આપી અનોખી સજા

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, છેલ્લા 24 કલાકમાં 486 કેસ નોંધાયા, 13 લોકોના મૃત્યુ 

 

Published On - 10:51 pm, Sat, 19 February 22

Next Article