Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 રાજ્યની સાથે કચ્છની હસ્તકળાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ભુજ હાટમાં 100 સ્ટોલમાં પ્રદર્શન

આત્મનિર્ભર ભારત અને આપણી સાંસ્કૃતિક કારીગીરી વારસાને સાચવી બેઠલા કલાકારોને પ્રોસ્તાહન માટે કાપડ મંત્રાલય હસ્તકના વિવિધ વિભાગો સંમયાતરે આવા આયોજન કરે છે. પરંતુ કોરોના મહામારીમાં જ્યારે નાના હસ્તકળા કારીગરો માટે મુશ્કેલી સર્જાઇ છે.

12 રાજ્યની સાથે કચ્છની હસ્તકળાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ભુજ હાટમાં 100 સ્ટોલમાં પ્રદર્શન
Demonstration in 100 stalls at Bhuj Hat in an effort to promote Kutch handicrafts with 12 states
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Feb 16, 2022 | 10:24 PM

Kutch : રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આમ તો સમયાંતરે ખેતી પછી સૌથી વધુ લોકો જેની સાથે જોડાયેલા છે. તેવા હસ્તકળા (Handicrafts)વ્યવસાયને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થયા છે. જોકે હાલ કોરોના મહામારીમાં જ્યારે હસ્તકળા વ્યવસાય પર ગંભીર અસર થઇ છે. ત્યારે તેના પ્રોત્સાહન માટે સરકારે પ્રયાસ કર્યો છે. કચ્છના હસ્તકળા કારીગરોને સીધા ગ્રાહકો મળી રહે તે ઉદ્દેશ સાથે બનાવાયેલ ભુજ હાટમાં હાલ ગાંધી શિલ્પ બજાર મેળાનુ (Gandhi Shilpa Bazar Mela)આયોજન કરાયુ છે. જેમાં કચ્છ ઉપરાંત ગુજરાત અને અલગ-અલગ 12 રાજ્યોના કારીગરો આવ્યા છે. જેમાં 100 સ્ટોલમાં હસ્તકળા કારગીરોએ હાથે તૈયાર કરાયેલ વસ્તુઓનુ પ્રદર્શન અને વેચાણ થઇ રહ્યુ છે. 21 તારીખ સુધી આ પ્રદર્શન લોકો માટે ખુલ્લુ રહેશે.

ગ્રાહક અને કારીગરો વચ્ચે સીધા સંવાદનો ઉદ્દેશ

કચ્છના કારીગરોને દુર્ગમ વિસ્તારની જગ્યાએ શહેરમાં સીધા ગ્રાહકો મળે તે માટે આ હાટ બનાવાયુ છે. જેમાં વધુમાં વધુ લોકો જોડાય તેવા પ્રયત્નો અવાર-નવાર થાય છે. તેવામાં કોરોના મહામારી પછી કારીગરોને યોગ્ય બજાર મળે તે ઉદ્દેશથી આ આયોજન કેન્દ્રીય કાપડ મંત્રાલયના પ્રયત્નોથી કરાયુ છે. જેમાં સ્થાનીક તંત્રએ તમામ વ્યવસ્થા કારીગરો માટે ફ્રીમાં ઉભી કરી છે. ખાસ કરીને કારીગરો ગ્રાહક સાથે સીધો સંવાદ કરી તેની કલાનું યોગ્ય વડતર મેળવી શકે તે ઉદ્દેશ આ એક્ઝીબીશન યોજવા પાછળનો હોવાનું ગાંધી શિલ્પ બજારના ડાયરેક્ટર દાદુજી સોઢાએ જણાવ્યું હતું. તો કારીગરો પણ એકબીજા રાજ્યની કલા-કારીગરી સાથે પરિચીત થાય તે આવા આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ છે. જમ્મુ-કાશ્મીર,મહારાષ્ટ્ર,ઓરીસ્સા,કર્નાટક,કેરળ સહિત 12 રાજ્યના કારીગરો વિવિધ હસ્તકળાની વસ્તુઓ તૈયાર કરી અહીં પ્રદર્શન અને વેચાણ માટે આવ્યા છે.

Avoid Foods With Beer: ​​બીયર સાથે ભૂલથી પણ ના ખાતા આ 6 વસ્તુ
AC કેટલી ઊંચાઈ પર લગાવવું જોઈએ? ઉપર-નીચે લગાવવાથી કુલિંગમાં ફરક પડે?
ઑસ્ટ્રિયામાં ટ્રેનિંગ પૂર્ણ કરી, ભારત પરત ફર્યા 28 ખેલાડીઓ
મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ રાખવાથી શું થાય છે?
આજનું રાશિફળ તારીખ : 08-04-2025
19 વર્ષની ઉંમરે સગાઈ, 3 વાર પ્રેમમાં દગો, જાણો RJ Mahvashની દર્દનાક કહાની

જમ્મુ-કાશ્મીર,મહારાષ્ટ્ર,ઓરીસ્સા,કર્નાટક,કેરળ સહિત 12 રાજ્યના કારીગરોએ વિવિધ હસ્તકળાની વસ્તુઓ તૈયાર કરી છે

100 સ્ટોલમાં વિવિધ વસ્તુઓ

કચ્છની હસ્તકળા, જેવી કે માટીકામ,કચ્છી ભરતના કાપડ તથા અજરખ સહિત વિવિધ વસ્તુઓ નિયમીત રીતે આ ભુજ હાટમાં કારીગરો વહેંચે છે. પરંતુ કચ્છ ઉપરાંત બહારથી આવેલા રાજ્યોએ પણ પોતાના રાજ્યના કાપડ, ઘરવખરી સામાન, ચામડાની વિવિધ વસ્તુ, ઘર સજાવટનો સામાન, કટલેરી અને સંગીત વાદ્યો તથા વિવિધ આર્ટ સહિત 12 રાજ્યોની ભાતીગળ વસ્તુઓ સાથે કારીગરો વસ્તુઓ અહીં વેચાણ માટે લાવ્યા છે. સરકાર દ્વારા આ તમામ કારીગરોને ફ્રી સ્ટોલ ઉપરાંત દૈનીક ભથ્થાની પણ આર્થીક મદદ કરે છે. હાલ ભુજ અને કચ્છમાંથી અનેક લોકોને આ પ્રદર્શન આકર્ષી રહ્યુ છે. તો કચ્છના હસ્તકળાના હબ સમાજ ભુજ હાટ પણ આવા પ્રદર્શનથી ફરી લોકોની અવરજવરથી ગાજતું થયું છે.

હાલ ભુજ અને કચ્છમાંથી અનેક લોકોને આ પ્રદર્શન આકર્ષી રહ્યુ છે

આત્મનિર્ભર ભારત અને આપણી સાંસ્કૃતિક કારીગીરી વારસાને સાચવી બેઠલા કલાકારોને પ્રોસ્તાહન માટે કાપડ મંત્રાલય હસ્તકના વિવિધ વિભાગો સંમયાતરે આવા આયોજન કરે છે. પરંતુ કોરોના મહામારીમાં જ્યારે નાના હસ્તકળા કારીગરો માટે મુશ્કેલી સર્જાઇ છે. ત્યારે વધુમાં વધુ લોકો આવા પ્રદર્શનમાં ભારતીય સંસ્કૃતિ સાથે આપણી પ્રાચીન હસ્તકળાને પ્રોત્સાહન આપવા મુલાકાત લે તેવી અપીલ કરાઇ છે. તો કારીગરો પણ માને છે કે તમામ સુવિદ્યા કારીગરોને આપવા સાથે આર્થીક મદદ કરતી સરકારના આવા આયોજનથી તેમને ચોક્કસ ફાયદો થશે.

આ પણ વાંચો : રાજકોટ : ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ-લોકોમાં હત્યારા સામે ભારે રોષ, વેકરિયા પરિવારે કરી મૃત્યુદંડની માગ

આ પણ વાંચો : રાજકોટ જિલ્લાના રખડતાં ભટકતાં બાળકો હવે શાળામાં ભણવા જશે, વાંચો કલેક્ટરનું વિશેષ આયોજન

ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
g clip-path="url(#clip0_868_265)">