શું જવાહર ચાવડા કોંગ્રેસમાં કરશે ઘરવાપસી ? સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ચાવડાએ હટાવ્યુ ભાજપનું ચિહ્વ- VIDEO

પૂર્વ કેબિનેટ મંત્રી અને જુનાગઢના માણાવદરથી ભાજપના ધારાસભ્ય રહેલા જવાહર ચાવડા નવા જૂની કરે તેવા સંકેત મળી રહ્યા છે. જવાહર ચાવડાએ તેમના સોશિયલ મીડિયા પર એકાઉન્ટમાંથી પોતાના નામની આગળ રહેલુ ભાજપનું ચિહ્ન તેમણે હટાવી દીધુ છે.

Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 22, 2024 | 4:05 PM

રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જુનાગઢના માણાવદરથી ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રીય જણાઈ રહ્યા છે. તાજેતરની લોકસભાની ચૂંટણીની સાથે યોજાયેલી માણાવદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ તેઓ કોઈ પ્રચારકાર્યમાં જોડાયા ન હતા અને તદ્દન નિષ્ક્રય રહ્યા હતા. હાલ ચાવડાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેમના નામની આગળથી ભાજપનું ચિહ્ન હટાવી દેતા રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

ભાજપમાંથી જવાહર ચાવડાનો થયો મોહભંગ!

જવાહર ચાવડાએ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ઉદ્દેશીને એક વીડિયો પણ જારી કર્યો છે. જેમા તેઓ એવુ જણાવી રહ્યા છે કે મારી એક અલગ ઓળખ છે, મારી ઓળખ પર ભાજપે ઓળખ બનાવી છે. પોતાની કામગીરી ગણાવતા ચાવડાએ જણાવ્યુ કે 6 જિલ્લાના 21 તાલુકામાં અભિયાન ચલાવ્યુ. 75 હજારથી વધુ પરિવારોને BPLનો લાભ અપાવ્યો છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માણાવદરથી હારી ગયા બાદ જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી હાંસિયામાં જતા રહ્યા છે. ચર્ચાઓ એવી પણ છે કે ભાજપના જ કેટલાક દિગ્ગજો દ્વારા તેમને સાઈડલાઈન કરી દેવાયા છે.

શું જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘરવાપસી કરશે ?

જો કે આ અંગે ક્યારેય તેમણે સ્પષ્ટ રીતે મગનું નામ મરી નથી પાડ્યુ. 2022ની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ચાવડાએ આરોપ લગાવ્યો હતો કે તેમને તેમની પાર્ટીના કેટલાક અસંતુષ્ટો દ્વારા સહકાર ન મળ્યો અને તેમને હરાવવામાં તેમનો હાથ છે. આ બાદ લોકસભા ચૂંટણી સમયે ભાજપના ઓપરેશન લોટસ અંતર્ગત માણાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં સામેલ થઈ ગયા અને પેટાચૂંટણીમાં પણ તેમને જ ટિકિટ આપવામાં આવી. ત્યારે પણ ચાવડા સામે એવો આક્ષેપ થયો હતો કે તેઓ પક્ષવિરોધી પ્રવૃતિ કરી રહ્યા છે અને જવાહર ચાવડાના પુત્ર દ્વારા લાડાણીને હરાવવા માટે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાંકલ કર્યાની લાડાણીએ પક્ષ પ્રમુખને પત્ર લખીને ફરિયાદ કરી હતી. આ તમામ પરિબળોને જોતા છેલ્લા ઘણા સમયથી એ ચર્ચાઈ રહ્યુ હતુ કે જવાહર ચાવડા કંઈક નવા જૂની કરશે. જો કે ચાવડા કોંગ્રેસમાં ઘરવાપસી કરશે કે કેમ તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી. બીજી તરફ કોંગ્રેસના નેતા હિરા જોટવાએ જણાવ્યુ કે જો જવાહર ચાવડા કોંગ્રેસમાં પરત આવવા માગતા હોય તો તેમને જરૂરથી ગમશે. કોંગ્રેસ પાર્ટી જરૂરથી તેમને આવકારશે.

15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
g clip-path="url(#clip0_868_265)">