AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂનાગઢ-ગિરનારમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, સોનરખ નદી બે કાંઠે, દામોકુંડમાં ઘોડાપુર વહ્યું

ગિરનાર પર 4 ઇંચ જેટલો વરસાદ પડી જતાં પર્વત પરથી ઝરણાં વહેતાં થયાં છે. પ્રવાસીઓએ વરસાદને પગલે ગિરનાર પરથી વહેતા પાણીમાં ન્હાવાની મજા માણી હતી અને મોબાઇલમાં આ અપ્રતિમ સૌંદર્યના વીડિયો પણ લીધા હતા.

જૂનાગઢ-ગિરનારમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, સોનરખ નદી બે કાંઠે, દામોકુંડમાં ઘોડાપુર વહ્યું
damodar kund
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 3:54 PM
Share

જૂનાગઢ (Junagadh) પંથકમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ (Rain) વરસ્યો છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને, પવિત્ર દામોદર કૂંડ (Damodar Kund) માં નવા નીર આવ્યા છે. પાણી વહેતા દામોદર કૂંડ જાણે કે જીવંત બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો સોનરખ નદીમાં પણ નવા નીર આવ્યા છે અને ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. આ તરફ જૂનાગઢ શહેરમાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.

ગિરનાર પર 4 ઇંચ જેટલો વરસાદ પડી જતાં પર્વત પરથી ઝરણાં વહેતાં થયાં છે. પ્રવાસીઓએ વરસાદને પગલે ગિરનાર પરથી વહેતા પાણીમાં ન્હાવાની મજા માણી હતી અને મોબાઇલમાં આ અપ્રતિમ સૌંદર્યના વીડિયો પણ લીધા હતા. જોકે વરસાદને પગલે ગિરનાર પર અવરજવર માટે રોપ વે બંધ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં અષાઢી બીજના વરસાદનું આગવું મહત્વ હોય છે ત્યારે જૂનાગઢમાં થયેલા વરસાદથી લોકો વધારે ખુશ થઈ ગયા હતા અને વરસાદી વાતાવરણમાં અષાઢી બીજના પર્વનો આનંદ માણ્યો હતો. જૂનાગઢ નજીક આવેલા ગીર જંગલ પાસે આવેલી મછુન્દ્રી નદીમાં નવા પાણીની આવક થતા દ્રોણેશ્વર ડેમનો બંધારો પ્રથમ વાર છલકાઈ ગયો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદ, માંગરોળ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તાર સહિતના તાલુકામાં સરેરાશ અડધાથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢમાં ગિરનારનું સૌંદર્ય એવું ખીલે છે જે દૂરથી પણ દેખાય છે અને ખાસ આ જ નજારો જોવા માટે કેટલાક પ્રવાસીઓ દૂરદૂરથી આવતા હોય છે અને પ્રકૃતિના ખોળે સમય વિતાવવાનું પસંદ કરતા હોય છે. થોડા દિવસ અગાઉ પણ ગિરનાર પરથી વહેતા પાણીનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે ગિરનારની વિવિધ કંદરાઓમાંથી વહેતા પાણીને લીધે શિવજીની જટામાંથી ગંગાજી વહી રહ્યા હોય તેવો નજારો સર્જાયો હતો. જૂનાગઢમાં વરસાદ થતા હંમેશાં નયનરમ્ય નજારો જોવા મળતો હોય છે અને પ્રવાસીઓ ખાસ આ કુદરતી દ્રશ્યોને માણવા માટે જૂનાગઢની મુલાકાત લેતા હોય છે.

આ પણ વાંચો

છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે જેના પગલે ગિરનાર પર્વત ઉપર લીલોતરીને પગલે હરિયાળું વાતાવરણ સર્જાઈ ગયું છે અને તળેટી વિસ્તારમાં આવેલા દામોદર કુંડ, મુચકંદ ગુફા પાસે આવેલા કુંડમાં પણ ડુંગર ઉપરથી નવું પાણી આવી રહ્યું છે. આ દ્રશ્યો જોઈને સ્થાનિકો તેમજ જૂનાગઢમાં આવેલા પ્રવાસીઓ મનભરીને આ દ્રશ્યો માણી રહ્યા છે તેમજ ફોટોગ્રાફીનો આનંદ પણ માણતા હોય છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">