AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં રિવાબા જાડેજાને મળી આ મોટી જવાબદારી, સૌથી નાની વયનાં બન્યા મંત્રી

ગુજરાતની કેબિનેટના વિસ્તરણ બાદ આજે તમામ 26 નવા મંત્રીઓએ શપથ લઈ લીધા છે અને ખાતાઓની ફાળવણી પણ કરી દેવાઈ છે. આ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ પણ ઘણુ વધ્યુ છે અને સૌરાષ્ટ્રમાંથી 8 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમા જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં રિવાબા જાડેજાને મળી આ મોટી જવાબદારી, સૌથી નાની વયનાં બન્યા મંત્રી
| Updated on: Oct 17, 2025 | 9:40 PM
Share

ગુજરાતની કેબિનેટનું આજે વિસ્તરણ થયુ છે અને 26 નવા મંત્રીઓએ પદ અને ગોપનિયતાના શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બનેલા આ નવા મંત્રી મંડળમાં ત્રણ મહિલાઓને સ્થાન અપાયુ છે. જેમા દર્શના વાઘેલા, મનિષા વકીલ અને રિવાબા જાડેજાનો સમાવેશ થાય છે. રિવાબા જાડેજાને રાજ્યકક્ષાના મંત્રીનો કાર્યભાર સોંપાયો છે. તેમને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીનો પદભાર સોંપવામાં આવ્યો છે, જેમા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણની જવાબદારી હવે રિવાબાના શિરે આવી છે.

સૌથી નાની વયના મંત્રી

ઉલ્લેખનિય છે કે રિવાબાની ઉમર માત્ર 34 વર્ષ છે અને નવી કેબિનેટમાં તેઓ સૌથી નાની વયના મંત્રી છે. જો કે ઉમર ભલે નાની હોય પરંતુ રિવાબાને જવાબદારી ઘણી મોટી સોંપવામાં આવી છે. રિવાબા ખુદ ઉચ્ચ ડિગ્રી ધરાવે છે. તેમણે મિકેનિકલ એન્જિનિયરીંગનો કરેલુ છે અને એન્જિનિયરીંગ છોડીને રાજનીતિમાં આવ્યા છે. આ ઉપરાંત રિવાબા પ્રથમ એવા મહિલા મંત્રી છે જેમને તેમની પહેલી જ ટર્મમાં મંત્રીપદ મળ્યુ છે. રિવાબા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જામનગરથી ચૂંટાઈને પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે અને હવે તેઓ રાજ્યકક્ષાના મંત્રી પણ બની ગયા છે.

સૌથી વધુ નેટવર્થ ધરાવતા મંત્રી

રિવાબાની નેટવર્થની જો વાત કરવામાં આવે તો ગુજરાતના નવા મંત્રીમંડળમાં સૌથી વધુ નેટવર્થ ધરાવતા મંત્રી પણ એ જ છે. તેમની નેટવર્થ 97.36 કરોડની છે.

રજપૂત, યુવા, શિક્ષિત અને લોકપ્રિય મહિલા ચહેરો

આપને જણાવી દઈએ કે રિવાબા જાડેજા (જામનગર ઉત્તર) ને મંત્રીપદ આપીને પક્ષે એક સાથે અનેક હેતુઓ પાર પાડ્યા છે. તેઓ એક યુવા, લોકપ્રિય અને મહિલા ચહેરો છે. આ ઉપરાંત, તેમના માધ્યમથી રાજપૂત સમાજને પણ પ્રતિનિધિત્વ મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભાજપના કદાવર નેતા પરષોત્તમ રૂપાલાના નિવેદનને પગલે રાજપૂત સમાજમાં ભારે વિરોધ થયો હતો અને મહિનાઓ સુધી તેની અસર દેખાઈ હતી. જેને ઠારવામાં રિવાબા જાડેજાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોએ નોંધાવ્યો આકરો વિરોધ- Video

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">