AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar માં હોલિકા દહન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં, ભોઇ સમાજના લોકો તૈયાર કરે છે હોલિકાનું વિશાળ પૂતળું

જામનગરમાં આગામી 6 માર્ચના રોજ ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાશે સૌથી મોટો હોલિકા ઉત્સવ શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ 2023નું ભવ્ય આયોજન કરવમાં આવેલ છે. સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા આધારિત ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજ થી 67 વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવવામાં આવ્યું હતુ.

Jamnagar માં હોલિકા દહન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં, ભોઇ સમાજના લોકો તૈયાર કરે છે હોલિકાનું વિશાળ પૂતળું
Jamnagar Holika Dahan Preparation
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 28, 2023 | 9:36 PM
Share

જામનગરમાં હોલિકા દહનની માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જેમાં જામનગરમાં આગામી 6 માર્ચના રોજ ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાશે સૌથી મોટો હોલિકા ઉત્સવ શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ 2023નું ભવ્ય આયોજન કરવમાં આવેલ છે. સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા આધારિત ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજ થી 67 વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવવામાં આવ્યું હતુ. એક તરફ ભગવન વિષ્ણુનો પરમ ભક્ત પ્રહલાદ જ્યારે બીજી તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા ભક્ત પ્રહલાદના પિતા હિરણ્ય કશ્યપ અને પ્રહલાદના ફઈબા એટલે કે હોલિકા ફઈબા ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવામાં આવ્યા છે.

ઘાસ, લાકડું, કોથળા, કાગળ, કલરથી વિશાળ પુતળુ બનાવવામાં આવે છે.

જેમાંનો છેલ્લો તર્ક એટલે કે હોલિકા ફઈબાનું દહન અને પ્રહલાદનો આબાદ બચાવ સાથે જ અસત્ય ઉપર સત્યની જીતનો એક યાદગાર પ્રસંગ છે.જામનગરમાં ભોઈ સમાજના લોકો હોલિકા ધામધુમ અને ઉત્સાહથી ઉજવે છે. જેની આખા વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે. હોળીના ઉત્સવને ઉજવાવ એક મહિના પહેલાથી તૈયારીઓ સમાજના આગેવાનો, યુવાનો દ્રારા કરવામાં આવે છે,અને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ, લાકડું, કોથળા, કાગળ, કલરથી વિશાળ પુતળુ બનાવવામાં આવે છે.

હોલિકા ચોક ખાતે લોકોને દર્શન માટે મુકવામાં આવે છે

આ સાથે જ પુતળા માટે અલગ અલગ પ્રકારના આભુષણો, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું પૂતળું બનાવે છે જેનું વજન અંદાજીત 3 ટન જેટલું હોય છે જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે આ વિશાળ પુતળાને લઈ વાજતે ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકા ચોક ખાતે લોકોને દર્શન માટે મુકવામાં આવે છે.

હોલિકાનું પૂતળું બનાવવા ભરત ગોંડલીયા માર્ગદર્શન પૂરું પાડે છે જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા અલ્પેશ અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે. તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે,અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું તૈયાર કરે છે. સાંજના સમયે આમંત્રિત મહેમાનોના વરદહસ્તે હોલિકાનું દહન કરવામાં આવે છે.

આગામી તારીખ 6-3-2023 ને સોમવારના રોજ સાંજે હોલિકાનું દહન થશે. હજારોની સંખ્યામાં લોકો હોલિકા માતાને નિહાળવા લોકો આવશે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ખાસ ભોઈ સમાજની હોલિકાના વિશાળ પુતળા તથા તેના દહનને જોવા માટે આવતા હોય છે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">