Jamnagar: પૂરગ્રસ્ત વિસ્તારને સહાય માટે મોટી જાહેરાત પરંતુ હજુ સુધી વળતર ન મળતાં મહિલાઓનો ઘેરાવ

જામનગરમાં પૂર આવ્યા બાદ લોકોની હાલત ખુબ જ દયનીય બની હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મોટાપાયે નુકસાન થયું હતું . પૂરના પાણી તો ઓસર્યા હતાં પરંતુ લોકોની સમસ્યામાં વધારો થયો હતો.

Jamnagar: પૂરગ્રસ્ત વિસ્તારને સહાય માટે મોટી જાહેરાત પરંતુ હજુ સુધી વળતર ન મળતાં મહિલાઓનો ઘેરાવ
નવાગામના સ્થાનિકોએ પ્રાંત અધિકારીની કચેરીમા દેખાવ કર્યો.
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 12, 2022 | 7:30 AM

સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદ સાથે પુરની આફત પણ આવી હતી. પુરના પાણી ઓસરી ગયા, પરંતુ તે વખતની સ્થાનિકોની મુશકેલીઓ ઓછી થતી નથી. સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવી. પૂરગ્રસ્ત વિસ્તારને સહાય અપાશે. જેને મહિનાઓનો સમય વિત્યા બાદ પણ અનેક એવા નાગરિકો છે. જેને તે અંગે સહાય મળી નથી.

જામનગર જિલ્લામાં ગત ચોમાસામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક ગામો, લોકોનાં ઘરો અને શહેરી વિસ્તારોમાં ડેમના પાણી છોડવામાં આવતા શહેરી વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ભરાયાં હતાં અને લોકોની ઘર વખરી સહિતનો સામાન નાશ પામ્યો હતો. જામનગરમાં પૂર આવ્યા બાદ લોકોની હાલત ખુબ જ દયનીય બની હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મોટાપાયે નુકશાન થયું હતું . પૂરના પાણી તો ઓશર્યા હતા પરંતુ લોકોની સમસ્યામાં વધારો થયો હતો.

ત્યારબાદ એ સમયમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) એ સપથ લીધાની સાથે જ જામનગરની મુલાકાતે આવ્યા હતા. પરિસ્થિતિની સમીક્ષા કરીને સહાય પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.. પુર બાદ સહાય માટે લોકોએ અરજી કરી હતી અને સરકાર દ્વારા તમામ પૂરગ્રસ્ત લોકોને સહાય ચૂકવાઇ ગઈ હોવાનું સરકારી ચોપડે દર્શાવાઈ પણ ગયું હતું. પરંતુ હજુ ઘણા બધા લોકોને આ સહાય મળી નથી.જેના કારણે લોકો કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ચોમાસું ગયું બીજું ચોમાસું ચાર મહિના પછી આવી જશે પરંતુ હજુ જરૂરિયાતમંદ લોકો સુધી સહાય ન પહોંચતા આખરે વોર્ડ નંબર 4 ના નગરસેવિકા રચનાબેન નંદાણિયા અને સ્થાનિક મહિલાઓ સાથે મળી અને જામનગર શહેર પ્રાંત અધિકારીની કચેરીનો ઘેરાવ કર્યો હતો. નવાગામના સ્થાનિકોને સાથે રાખી કોર્પોરેટ રચનાબેન નંદાણિયાએ પ્રાંત અધિકારીની કચેરીમા દેખાવ કર્યો. આટલા લાંબા સમય થયો જોવા છતાં સહાય નથી મળી માટે સહાય ચુકવવાની ઉગ્ર માંગ સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી.સ્થાનિકોને છ માસ સુધી સહાય ના મળતા અધિકારીને કરી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

આ રજૂઆત દરમિયાન પ્રાંત અઘિકારી આસ્થા ડાંગર દ્વારા રચનાબેનની રજૂઆત યોગ્ય હોવાનું ખુદે સ્વીકાર્યું હતું.અને તેમના દ્વારા લોકોની અરજી આગળ મોકલી દેવામાં આવી છે અને હવે આ બાબત તેમના હાથમાં ન હોવાનું કહી અને હાથ ઊંચા કરી લીધા હતા.

આમ અમુક લોકોને પહેલો હપ્તો જમા થયો છે તો ઘણા બધા લોકો આ સહાયથી હજુ પણ વંચિત છે.૧૩ સપ્ટેમ્બરના રોજ કુદરતી અણધારી કુદરતી આફતે જે વિનાશ વેર્યો હતો તે વિનાશના પગલે હજુ પણ ઘણા લોકો બે પાંદડે થઈ શક્યા નથી. સરકારી સહાયની જાહેરાત તો કરવામાં આવે છે અને ચૂકવાઇ ગઈ હોવાના દાવાઓ પણ તંત્ર કરી રહ્યું છે તો પછી આ કચેરીએ ધક્કા ખાતા લોકો શા માટે ત્યાં પોતાના ઘરના કામ કામજ , તેમનો વ્યવસાય બગાડી અને ત્યાં તંત્રને વિનંતી કરવા આવે છે તે તરફ તંત્ર નજર કરે તેવી લોક માંગ ઉઠી છે..

થોડા થોડા દિવસે કચેરીએ જઈને રજૂઆત કરતી આ મહિલાઓ તેમનો હક્ક માંગી રહી છે કોઈની મહેરબાની તેમને નથી જોઇતી હોવાનું મહિલાઓ જણાવી રહી છે.જામનગર શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારો જેમકે નવાગામ ઘેડ , કાલાવડ નાકા બહારનો વિસ્તાર , લાલપુર રોડ અને ગાંધીનગર સોસાયટી સહિતના વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી નવાગામ ધેડની 40 ઉપરાંતની મહિલાઓને હજુ પણ સહાય મળી નથી.

આખરે અધિકારી દ્વારા ફરી એક વખત નવી તારીખ સાથે આશ્વાસન આપવામાં આવ્યું છે. એક અઠવાડિયામાં તેમને સહાય ચૂકવી દેવાનો વાયદો પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલી રાહત પુરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તને મળે તેવી માંગ કરી છે. સરકાર જાહેર, તંત્ર આશ્વાસન આપે, સ્થાનિકોને સમય તે સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : PM Modi એ પંચાયત મહાસંમેલનમાં સરપંચોને ગામનો જન્મદિવસ ઉજવવા સૂચન કર્યું

આ પણ વાંચો : Dang માં તાપી પાર નર્મદા લિક પ્રોજેક્ટનો આદિવાસીઓએ અનોખી રીતે વિરોધ કર્યો, પ્રોજેક્ટ પડતો મુકવાની માંગ

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">