Jamnagar: વિદ્યાર્થીઓની સમસ્યા હળવી કરવા, રવિવારની રજાના દિવસે સરકારી કચેરી ખુલી રહી
છેલ્લા એક સપ્તાહથી દૈનિક 300થી વધુ પ્રમાણપત્ર કચેરીએ કાઢી આપવામાં આવે છે. જામનગર શહેર મામલતદારની કચેરીમાં આવેલા જન સુવિધા કેન્દ્રમાં આ તમામ પ્રકારની રજાના દિવસે પર કરવામાં આવી.
સામાન્ય રીતે ગુજરાતમાં રવિવારના દિવસે સરકારી કચેરીઓમાં રજા હોય છે. સરકારી કચેરીને લગતા કામ રજાના દિવસે થઈ શકતા નથી. સરકારી કચેરીઓ રજાના દિવસે ધમીધમી રહી હોવાના દ્રશ્યો જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય એ સ્વાભાવિક છે. પરંતુ જામનગરમાં આજે રવિવારના દિવસે પણ સરકારી કચેરીઓ ચાલુ રહી. સરકારી કચેરી ચાલુ રાખવાનો આશ્ય વિધાર્થીઓને પડતી મુશ્કેલી ઓછી કરવા માટેનો છે.
જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી જનસુવિધા કેન્દ્ર પર વિવિધ પ્રમાણપત્ર માટે અજરદારની લાંબી લાઈનો લાગે છે. જેને ધ્યાને લઈને રવિવારની રજાના દિવસે પણ, જનસુવિધા કેન્દ્રોની કચેરી કાર્યરત કરવાનો અધિકારીઓ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો. રજાના દિવસે પણ અરજદારોને પ્રમાણપત્ર મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી..
નવા શૈક્ષિણક વર્ષ માટે તેમજ અન્ય હેતુ માટે આવકના દાખલા, નોન કિમીલેયર, જાતિનો દાખલો, ડોમીસાઈલ વગેરે મેળવવા માટે મામલતદાર કચેરીએ જવુ પડતુ હોય છે. મોટા પ્રમાણમાં લોકો આવા દાખલાઓ લોકોને સમયસર મળી રહે તે માટે રવિવારની રજાના દિવસે પણ કચેરી કાર્યરત રાખવામાં આવી છે.
છેલ્લા એક સપ્તાહથી દૈનિક 300થી વધુ પ્રમાણપત્ર કચેરીએ કાઢી આપવામાં આવે છે. જામનગર શહેર મામલતદારની કચેરીમાં આવેલા જન સુવિધા કેન્દ્રમાં આ તમામ પ્રકારની રજાના દિવસે પર કરવામાં આવી.
નવા શૈક્ષણિક વર્ષમાં વિધાર્થીઓ આવા પ્રમાણપત્રની જરૂરીયાત હોય. જેમને મુશકેલી ઓછી થાય તે માટે રજાના દિવસે સરકારી કર્મચારીઓ ફરજ બજાવી. સાથે મામલતદાર દ્રારા અપીલ કરવામાં આવી કે દાખલા કઢાવવા કે ફોર્મ મેળવવા માટે કોઈ બહારની વ્યકિત કે વચેટીયાનો સંપર્કના કરી વધારોનો ચાર્જ ના ચુકવવા જણાવ્યુ.