સુરતમાં લોઢાની જાળીમાં ફસાયેલ શ્વાનને બચાવાયું, તો વડોદરામાં ફરતું પશુ દવાખાનું ગૌવંશ માટે બન્યું દેવદૂત

સુરતમાં સોસાયટીના મેઈન ગેટની જાળીમાં શ્વાનનું મોઢુ ફસાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વડોદરાના આમલીયારા ગામ પાસે એક ગાય અને વાછરડું રોડ ક્રોસ કરી રહ્યું હતું. અને અચાનક એક વાહન ગાયના વાછરડાને ટક્કર મારી જતું રહ્યું હતું.

સુરતમાં લોઢાની જાળીમાં ફસાયેલ શ્વાનને બચાવાયું, તો વડોદરામાં ફરતું પશુ દવાખાનું ગૌવંશ માટે બન્યું દેવદૂત
In Surat, a dog trapped in an iron net was rescued, while an animal hospital in Vadodara became an angel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 3:41 PM

સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલ એક સોસાયટીના મેઈન ગેટની જાળીમાં શ્વાનનું મોઢુ ફસાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી હતી.ઘટનાને પગલે શ્વાનનું મોઢું જાળીમાં ફસાઈ જતાં લોહીલુહાણ થયું હતુ. ઘટનાની જાણ પ્રયાસ સંસ્થાને કરતાં પ્રયાસ સંસ્થા દ્વારા જાળી કાપી શ્વાનને સહીસલામત બહાર કાઢયું હતુ.

સુરત શહેરમાં શ્વાનની અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી છે.શહેરના ઘોડદોડ વિસ્તારમાં આવેલ શ્રી દર્શન સોસાયટીમાં ગુરુવારે સવારે સોસાયટીના શ્વાનનું મોઢુ મેઈન ગેઈટની જાળીમાં ફસાઈ ગયુ હોવાની ઘટના બની હતી.ઘટનામાં શ્વાનનું મોઢુ જાળીમાં ફસાઈ જતાં શ્વાનની હાલત લોહી- લુહાણ થઈ હતી.અને તે રીતસરનું તરફડીયા મારતું થઈ ગયું હતુ.સોસાયટીવાસીઓને ઘટનાની જાણ થતાં તેઓ એકઠા થઈ ગયા હતા.દરમિયાન ઘટનાની જાણ પ્રયાસ સંસ્થા કરવામાં આવી હતી.પ્રયાસ સંસ્થાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગેઈટની જાળી કાપી નાંખી શ્વાનને સહીસલામત બહાર કાઢતા શ્વાનને રાહતનો શ્વાસ લીધો હતો.ઈજાગ્રસ્ત શ્વાન એક પગલે લગડો હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારબાદ શ્વાન ત્યાંથી દુર ચાલી ગયું હતુ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ફરતું પશુ દવાખાનું ગૌવંશ માટે બન્યું દેવદૂત: ઘાયલ વાછરડાંનો ત્વરિત સારવારથી જીવ બચ્યો.

વડોદરા-હાલોલ હાઇવે પાસેના આમલીયારા ગામ પાસે એક ગાય અને તેનું નાનું આઠ મહિનાનું વાછરડું રોડ ક્રોસ કરી રહ્યું હતું અને અચાનક એક વાહન ગાયના વાછરડાને ટક્કર મારી જતું રહ્યું હતું. પરંતુ કહેવાય છે કે જાકો રાખે સાંઈયા, માર શકે ના કોઈ ના ન્યાયે રસ્તા પરથી પસાર થતા એક સેવા ભાવિ વ્યક્તિ નકુલ ભાઈ વૈષ્ણવે તુરંત જ ૧૯૬૨ પશુ હેલ્પલાઇન પર કોલ કર્યો.

કોલ મળતા જ ત્વરિત અમરેશ્વર ગામની MVD (ફરતું પશુ દવાખાના) ના ડો. સંદીપ ચંદ્રા, ડો. અનસૂલ અગ્રવાલ અને પાયલોટ રાહુલભાઈ વાયુ વેગે ઘટના સ્થળે પહોંચી ત્યાં જતા જોયું તો વાછરડાનો જમણો પગ પુરે પુરી રીતે નુકસાન પામ્યો હતો અને તેને સ્થળ પર જ પગનું ઓપરેશન કરીને ગાયના બચ્ચા નો જીવ બચાવ્યો હતો. એટલું જ નહિ પણ સારવાર કરનારી ટીમ ઘ્વારા આ ગાય ના બચ્ચાંને ગૌ રક્ષકને સોંપવામાં આવ્યું હતું.

ફરતું પશુ દવાખાનાના તબીબ અને પાયલોટ અને કોલર નકુલભાઈએ ગૌવંશની સેવા અને માનવતા હજુ પણ જીવતી છે તેનું ઉત્તમ પૂરું પાડ્યું છે. શ્રી નકુલભાઈ વૈષ્ણવની અબોલ જીવ પ્રત્યેની સંવેદના ડો. સંદીપ, ડો. અનસૂલ અને પાયલોટ રાહુલભાઈ, અજિત ભાઈને કોટી કોટી વંદન.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">