AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : ગુજરાતમાં ફરી મેઘ તાંડવના એંધાણ ! જાણો 14 તારીખથી ક્યાં પડશે ભારે વરસાદ, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં 14થી 16 સપ્ટેમ્બર ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

આજનું હવામાન : ગુજરાતમાં ફરી મેઘ તાંડવના એંધાણ ! જાણો 14 તારીખથી ક્યાં પડશે ભારે વરસાદ, જુઓ Video
Monsoon 2025
| Updated on: Sep 13, 2025 | 8:13 AM
Share

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં 14થી 16 સપ્ટેમ્બર ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.જ્યારે કે અમદાવાદ શહેરમાં પણ હળવો વરસાદ વરસવાના એંધાણ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ કરતા 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ બની શકે છે વિલન

બીજી તરફ નવરાત્રી દરમિયાન પણ ખેલૈયાઓ માટે વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે નવરાત્રીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમાં પણ નવરાત્રીના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 18 થી 24 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે, એટલે કે નવરાત્રીની શરૂઆતમાં જ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી

આ તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ફરી વરસાદની માહોલ જોવા મળશે. 14થી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, ભરૂચ સહિત વડોદરામાં પડી શકે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે.બનાસકાંઠા ,સાબરકાંઠા અને પંચમહાલમાં વરસાદી ઝાપટા પડશે. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન 24 અને 25 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. આ સાથે જ છઠા નોરતાથી દશેરા સુધી પણ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલ લગાવી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">