Gujarat Top News : રાજ્યમાં રસીકરણ મહાઅભિયાન, મચ્છરજન્ય રોગચાળો કે વિવિધ જિલ્લાના મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં

રાજ્યમાં આજથી સરકારી અને ખાનગી સ્કૂલોમાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત, રાજયના નવા મુખ્ય સચિવ પદે પંકજ કુમારની વરણી, શહેરમાં વકરતો મચ્છરજન્ય રોગચાળો તમામ મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં.

Gujarat Top News : રાજ્યમાં રસીકરણ મહાઅભિયાન, મચ્છરજન્ય રોગચાળો કે વિવિધ જિલ્લાના મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં
Gujarat Top News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 4:00 PM

1.રાજ્યભરની શાળા-કોલેજોમાં આજથી રસીકરણ મહાઅભિયાન

રાજ્યમાં આજથી સરકારી અને ખાનગી સ્કૂલોમાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત થશે. રાજ્યની ખાનગી અને સરકારી સ્કૂલોમાં 18 વર્ષથી મોટા અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : રાજ્યભરની શાળા-કોલેજોમાં આજથી રસીકરણ મહાઅભિયાન

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

2.રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી, 31 ઓગસ્ટે સંભાળશે ચાર્જ

રાજયના નવા મુખ્ય સચિવ પદે પંકજ કુમારની વરણી કરવામાં આવી છે. પંકજ કુમાર 1986 બેચના IAS અધિકારી છે. હાલ તેઓ રાજ્ય સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Gandhinagar : રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજકુમારની વરણી, 31 ઓગસ્ટે સંભાળશે ચાર્જ

3.અમદાવાદ રેલવે સ્ટેશન પર અન્ય રાજયોના મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યુ

બીજી લહેરમાં ગુજરાત રાજયમાં કેસમાં ઘટાડો આવતા રાજ્ય સરકાર અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે કેરળમાં ત્રીજી લહેરની શરૂઆત થતા અને કેરળમાંથી ગુજરાતમાં મુસાફરો આવતા રાજ્ય સરકાર અને તંત્રની ચિંતા વધી છે. જેથી બહારના રાજ્યમાંથી આવતા તમામ લોકોનુ ફરજિયાત ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યુ છે.

આ સમાચાર વિગતવાર વાંચો:   Ahmedabad : કેરળમાં કેસ વધતા રેલવે સ્ટેશન પર અન્ય રાજયોના મુસાફરોનું ફરજીયાત ટેસ્ટિંગ શરૂ, તો વેક્સિનેશનની વ્યવસ્થા કરાઇ

4.અમદાવાદમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસમાં થયો વધારો

શહેરમાં મચ્છરજન્ય ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ વધતાં ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો, ક્લિનિકમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધ્યા છે. તેમાં પણ પશ્ચિમ વિસ્તારમાં ચિકનગુનિયા અને પૂર્વમાં ડેન્ગ્યુના કેસ વધુ નોંધાયા છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Ahmedabad : ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસમાં વધારો, ઘરે-ઘરે માંદગીના ખાટલા

5.કોરોનાનો કેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નવા 16 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં નવા 16 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 157 પર પહોંચી છે. જોકે રિક્વરી રેટ 98.76 ટકા પર સ્થિર થયો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : કોરોના મહામારીનો કેર યથાવત, 24 કલાકમાં નોંધાયા નવા 16 કેસ, મૃત્યુઆંક શૂન્ય

6.વિદેશમાં હીરાની માગમાં થયો વધારો, હીરા પેઢીઓના ઉઠમણાં પર અંકુશ આવ્યો

કોરોનાકાળ બાદ હવે સુરતના હીરા ઉદ્યોગની ચમક વધી છે અને હીરા પેઢીઓના ઉઠમણા પર અંકુશ આવ્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડીયાએ આ દાવો કરતા જણાવ્યુ કે વર્ષ 20180-19ની સરખામણીએ છેલ્લા 2 વર્ષોમાં હીરાની પેઢીઓમાં ઉઠમણાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Surat : વિદેશોમાં હીરાની માગમાં વધારો, હીરા પેઢીઓના ઉઠમણાં પર અંકુશ આવ્યો

7.અંજારમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, પાક સુકાતા સરકાર પાસે રાહતની કરી માગ

ગુજરાત પર જળસંકટ તોળાઇ રહ્યુ છે. કચ્છના અંજાર વિસ્તારમાં પણ ખેડૂતો વરસાદ લંબાતા ચિંતિત થયા છે. લીલા શાકભાજી સાથે ખેડૂતોએ જુવાર, એરંડા અને મગનુ વાવેતર કર્યુ હતું, પંરતુ પિયત વિસ્તારમાં પણ હવે પાક સુકાવવા લાગ્યા છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે રાહતની માગ કરી છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Kutch : અંજારમાં ખેડૂતો વરસાદ લંબાતા ચિંતિત, પિયત વિસ્તારમાં પણ પાક સુકાતા સરકાર પાસે રાહતની માંગ

8.વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો, ચિકનગુનિયાના 266 કેસ નોંધાતા તંત્રની વધી ચિંતા

વડોદરામાં અમદાવાદ કરતા પણ વધુ રોગચાળો ફેલાયો છે. ચિકનગુનિયાના સત્તાવાર 266 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધી ડેન્ગ્યુના 445 અને મેલેરિયાના 51 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો વધતા હાલ તંત્રની ચિંતા વધી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: vadodara : શહેરમાં રોગચાળો વકર્યો, ચિકનગુનિયાના સત્તાવાર 266 કેસ નોંધાયા

9.મોરબીમાં નેચરલ ગેસના ભાવ વધારાનો વિરોધ, એક મહિના માટે 200 સિરામિક એકમો બંધ રાખવાનો નિર્ણય

સિરામિક ઉદ્યોગોનું કેન્દ્ર ગણાતા મોરબીમાં નેચરલ ગેસના ભાવ વધારાનો વિરોધ જોવા મળ્યો છે. નેચરલ ગેસના ભાવમાં એકાએક 5 રૂપિયાનો વધારો ઝીંકાતા મોરબી સિરામિક એસોસિયેશને 200 જેટલા એકમોમાં એક મહિના માટે ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Morbi : નેચરલ ગેસના ભાવ વધારાનો વિરોધ, એક મહિના માટે 200 સિરામિક એકમો બંધ રાખવાનો નિર્ણય

10.રાજકોટમાં RK ગ્રુપ પર સતત ચોથા દિવસે ઇન્કમટેક્સનો સર્વે યથાવત

શહેરના જાણીતા RK ગ્રુપ પર સતત ચોથા દિવસે ઇન્કમ ટેક્સનો સર્વે યથાવત છે. મોડીરાત સુધીમાં 45 સ્થળો પૈકી 50 ટકા સ્થળો પર તપાસ પૂર્ણ થશે. આ ઉપરાંત કરોડો રૂપિયાના બિનહિસાબી સાહિત્ય કબજે કરવામાં આવ્યા છે. સોના અને મિલકતોના વેલ્યુએશનની કામગીરી ઇન્કમ ટેક્સ વિભાગે શરૂ કરી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : RK ગ્રુપ પર સતત ચોથા દિવસે ઇન્કમટેક્સનો સર્વે યથાવત

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">