AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : કેરળમાં કેસ વધતા રેલવે સ્ટેશન પર અન્ય રાજયોના મુસાફરોનું ફરજીયાત ટેસ્ટિંગ શરૂ, તો વેક્સિનેશનની વ્યવસ્થા કરાઇ

કાલુપુર રેલવે સ્ટેશન પર કાલુપુર uhcની સવારે 8 જેટલી ટીમ જ્યારે બપોર બાદ 5 જેટલી ટીમ કામ કરે છે. જેમાં સવારે 6 જેટલી ટિમ ટેસ્ટિંગ કરે છે તો 2 ટીમ વેકસીનેશનનું કામ કરે છે.

Ahmedabad : કેરળમાં કેસ વધતા રેલવે સ્ટેશન પર અન્ય રાજયોના મુસાફરોનું ફરજીયાત ટેસ્ટિંગ શરૂ, તો વેક્સિનેશનની વ્યવસ્થા કરાઇ
Ahmedabad: Compulsory testing of passengers from other states has started at the railway station
Darshal Raval
| Edited By: | Updated on: Aug 27, 2021 | 11:59 AM
Share

Ahmedabad : બીજી લહેરમાં ગુજરાત રાજયમાં કેસમાં ઘટાડો આવતા રાજ્ય સરકાર અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે કેરળમાં ત્રીજી લહેરની શરૂઆત થતા અને કેરળમાંથી ગુજરાતમાં મુસાફરો આવતા રાજ્ય સરકાર અને તંત્રની ચિંતા વધી છે. જે ચિંતા દૂર કરવા રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ અને વેકસીનેશન બંને પ્રક્રિયા યથાવત રખાઈ છે. જેમાં બહારના રાજ્યમાંથી આવતા તમામ લોકોના ફરજિયાત ટેસ્ટિંગ હાથ ધરાયા છે.

બીજી લહેરની શરૂઆત થઈ ત્યારથી કાલુપુર uhc દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ અને વેકસીનેશન બન્ને પ્રક્રિયા હાથ ધરાઇ છે. જે પ્રક્રિયા હજુ પણ યથાવત છે. જોકે વચ્ચે ટેસ્ટિંગ અને વેકસીનેશન પ્રક્રિયા બંધ થઈ હોવાની ઘટનાઓ પણ સામે આવી. જોકે કેરળમાં ત્રીજી લહેરની શરૂઆત થતા તંત્ર ચિંતિત બનતા પ્રક્રિયા સઘન કરી દેવાઇ છે.

કાલુપુર રેલવે સ્ટેશન પર કાલુપુર uhcની સવારે 8 જેટલી ટીમ જ્યારે બપોર બાદ 5 જેટલી ટીમ કામ કરે છે. જેમાં સવારે 6 જેટલી ટિમ ટેસ્ટિંગ કરે છે તો 2 ટીમ વેકસીનેશનનું કામ કરે છે. તો બપોર બાદની ટીમમાં 3 ટીમ ટેસ્ટિંગનું, જ્યારે 2 ટીમ વેકસીનેશનનું કામ કરે છે. જ્યાં હાલમાં દરરોજ 500 લોકોના rtpcr ટેસ્ટ કરાય છે. તો 100 ઉપર લોકોનું વેકસીનેશન કરાય છે. શરૂઆતમાં લોકો માટે વેકસીનેશન રખાયું હતું. પણ બાદમાં સ્ટાફ માટે કરાયું અને હવે ફરી તમામ લોકો માટે વેકસીનેશન ની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.

મહત્વનું છે કે બપોરે બહારના રાજ્યમાંથી હાવડા, આગ્રા, ગ્વાલિયર અને શતાબ્દી ટ્રેન આવતી હોય છે. જેથી બપોરે વધુ ટીમ રાખી બહારના રાજ્યમાંથી આવતા મુસાફરોનું હાલમાં ફરજીયાત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તો સાથે જ મુસાફરો વેકસીન લીધી છે કે કેમ તેની પણ પૂછપરછ કરાય છે. અને જો વેકસીન ન લીધી હોય તો વેકસીન લેવા સૂચન કરાય છે. જેથી તેઓને સુરક્ષિત કરી શહેર અને રાજ્યને સુરક્ષિત કરી શકાય.

ઉલ્લેખનીય છે કે અગાઉ પહેલી લહેર અને બીજી લહેરમાં જે પ્રકારે પરિસ્થિતિ વણસી તે પ્રકારે પરિસ્થિતિ ત્રીજી લહેરમાં વણસે નહિ તેના પર તંત્ર અને રાજ્ય સરકાર ધ્યાન આપી કામગીરી કરી રહ્યું છે. ત્યારે લોકોને પણ તેટલા જ જાગૃત બનવા માટે અપીલ કરાઈ છે. કેમ કે રેલવે સ્ટેશન હોય કે અન્ય જાહેર સ્થળ કે જ્યાં હજુ પણ કેટલાક લોકો માસ્ક નથી પહેરી રહ્યા જે જોખમી રૂપ સાબિત થઈ શકે છે.

જે મામલે જાગૃતતા ખૂબ જરૂરી છે. અને તેમ થશે તો જ ત્રીજી લહેરને પહોંચી વળી શકાશે. પણ સાથે જ આ મામલે જે તે વિભાગ અને રાજ્ય સરકારે પણ વધુ ધ્યાન આપવું પડશે કે લોકો નિયમ પાડે અને જે નિયમ ન પાડે તેની સામે કાર્યવાહી પણ થાય તે પછી કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય. અને ત્યારે જ સરકારનો પ્રયાસ સફળ રહેશે અને ત્રીજી લહેરને રોકી લોકોને જાગૃત પણ કરી શકાશે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">