AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch : અંજારમાં ખેડૂતો વરસાદ લંબાતા ચિંતિત, પિયત વિસ્તારમાં પણ પાક સુકાતા સરકાર પાસે રાહતની માંગ

Kutch : અંજારમાં ખેડૂતો વરસાદ લંબાતા ચિંતિત, પિયત વિસ્તારમાં પણ પાક સુકાતા સરકાર પાસે રાહતની માંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 11:13 PM
Share

જેમાં અંજાર વિસ્તારમાં પણ મોટુ નુકસાન જાય તેવી ખેડૂતોને ચિંતા છે. લીલા શાકભાજી સાથે ખેડૂતોએ જુવાર, એરંડા અને મગનુ વાવેતર કર્યુ હતુ. પંરતુ પિયત વિસ્તારમાં પણ હવે પાક સુકાવવા લાગ્યા છે.

ગુજરાત(Gujarat )પર જળસંકટ તોળાઇ રહ્યુ છે. હજુ પણ ખેડૂતો વરસાદની મીટ માંડી બેઠા છે ત્યારે કચ્છમાં(Kutch) પણ સ્થિતી વિકટ બનીછે. કચ્છના અંજાર વિસ્તારમાં પણ ખેડૂતો(Farmers) વરસાદ લંબાતા ચિંતિત છે. જેમાં અંજાર વિસ્તારમાં પણ મોટુ નુકસાન જાય તેવી ખેડૂતોને ચિંતા છે. લીલા શાકભાજી સાથે ખેડૂતોએ જુવાર, એરંડા અને મગનુ વાવેતર કર્યુ હતુ. પંરતુ પિયત વિસ્તારમાં પણ હવે પાક સુકાવવા લાગ્યા છે.ત્યારે ખેડૂતોને હવે સરકાર કોઈ રાહત આપે તેવી ખેડૂતોને આશા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક વિસ્તારો હજી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. જેમાં કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ન પડતા ચિંતા ફેલાઈ છે. કચ્છના લખપતમાં હજુ સુધી સિઝનનો માત્ર 14 ટકા, રાપરમાં 17 ટકા અને અબડાસામાં 18 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. કચ્છમાં વરસાદ ન પડતા ખેડૂતો, પશુપાલકોની સ્થિતિ દયનીય બની શકે છે.

જો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો અહીં બનાસકાંઠાના કાંકરેજમાં 7 ટકા, થરાદમાં 10 ટકા, અમીરગઢમાં 24 ટકા જ વરસાદ પડ્યો છે. પાટણના સાંતલપુરમાં 14 ટકા, સતલાસણા 20 ટકા જ વરસાદ હજુ સુધી પડ્યો છે. ગાંધીનગર, દહેગામની સાથે જ સાબરકાંઠાના ભિલોડામાં 15 અને ઈડરમાં 25 ટકા વરસાદ પડ્યો છે.

જ્યારે મધ્ય ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારો હજી કોરાધાકોર જ છે. અમદાવાદના ધોલેરા અને માંડલમાં સિઝનનો 20 થી 21 ટકા વરસાદ પડ્યો છે. તો ખેડાના ગળતેશ્વર અને ઠાસરામાં 12 ટકા જ વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. પંચમહાલના કાલોલ, બાલાસિનોર અને દાહોદના ઝાલોદમાં પણ સરેરાશ 22થી 25 ટકા જ વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના દસાડામાં 17 ટકા, ધ્રાંગધ્રામાં 16 ટકા અને લિંબડીમાં 19 ટકા જ વરસાદ પડ્યો છે. જામનગરમાં 18 ટકા, દ્વારકામાં 30 અને પોરબંદરમાં 32 ટકા જ વરસાદ નોંધાયો છે. તો જંગલ વિસ્તાર ગીર-ગઢડા 22 ટકા, શિહોરમાં 22 ટકા, રાણપુરમાં પણ 26 ટકા જ વરસાદ પડ્યો છે.

જેના પગલે જગતનો તાત એવો ખેડૂત હાલ તો કફોડી સ્થિતિમાં મુકાયો છે.

આ પણ વાંચો : Monsoon 2021: દેશનાં વિવિધ ભાગોમાં ફરી શરૂ થશે વરસાદ, જાણો તમારા રાજ્યની શું સ્થિતિ રહેશે

આ  પણ વાંચો : Gujarat Top News: રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો, વરસાદ કે લવજેહાદના કાયદાને લગતા તમામ મહત્વના સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં

Published on: Aug 26, 2021 11:07 PM
g clip-path="url(#clip0_868_265)">