VIDEO: PM મોદી 69મા જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ માટે ગાંધીનગરના રાયસણ ખાતે પહોંચ્યા
PM મોદી 69મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાતે છે. તેઓ ગઈકાલ રાત્રીથી જ ગુજરાત પહોંચી ગયા હતા. તેઓ પોતાના તમામ જન્મદિવસ નિમિત્તે માતા હીરાબાને મળવા ગાંધીનગર ખાતે પહોંચે છે. PM મોદી આજ સવારથી કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી […]
PM મોદી 69મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાતે છે. તેઓ ગઈકાલ રાત્રીથી જ ગુજરાત પહોંચી ગયા હતા. તેઓ પોતાના તમામ જન્મદિવસ નિમિત્તે માતા હીરાબાને મળવા ગાંધીનગર ખાતે પહોંચે છે. PM મોદી આજ સવારથી કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા.
હીરાબાના આશીર્વાદ માટે રાયસણ પહોંચ્યા PM નરેન્દ્ર મોદી#Tv9News #Gujarat #PMModi #Hiraba
TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, १७ सप्टेंबर, २०१९
આ પણ વાંચોઃ નર્મદા સરદાર સરોવર ડેમ ખાતે PM મોદીનું જનસભાને સંબોધન, ‘જળસાગર અને જનસાગરનું થયું મિલન’
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જન્મ દિવસે વડાપ્રધાને નર્મદાના નીર વધાવ્યા અને બાદમાં પીએમ મોદીએ ઐતિહાસિક સંબોધન કર્યું. આ પ્રસંગે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા. તેમણે સરદાર પટેલને યાદ કરતા કહ્યું કે- નર્મદા ડેમ આજે 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. વર્ષો બાદ સરદાર સાહેબનું સ્વપ્ન પૂર્ણ થયું છે. તળાવો અને નદીઓની સફાઈનું કામ થયું છે. આવનારા દિવસોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ થવાનો છે. આજ પ્રેરણા હેઠળ જળજીવન મિશન આગળ વધારવાનું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આજે જ્યાં સપ્તાહો સુધી પાણી મળતું ન હતું. તેવા કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ નર્મદાની કૃપા થઇ રહી છે. તેમણે કહ્યું કે- ટપક સિંચાઇ, માઇક્રો સિંચાઇનું ધ્યાન આપતા આજે 12 લાખ ખેડૂતોને સિંચાઈ યોજનાનો લાભ મળી રહ્યો છે. પીએમ મોદીએ નમામિ દેવી નર્મદે અને કેમ છો’ના સંબોધનથી જાહેરસભાની શરૂઆત કરી હતી. અને આવજો કહીને સંબોધન પૂર્ણ કર્યું હતું.