29 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : જેતપુર તાલુકાના જેતલસર ગામે વાડી વિસ્તારના કુવામાંથી મૃતદેહ મળ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 11:55 PM

Gujarat Live Updates : આજ 29 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

29 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : જેતપુર તાલુકાના જેતલસર ગામે વાડી વિસ્તારના કુવામાંથી મૃતદેહ મળ્યો
દિવસભરના મોટા અને મહત્વના સમાચાર

આજે 29 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Sep 2023 11:55 PM (IST)

    જેતપુરમાં PGVCLના કર્મચારીને આવ્યો હાર્ટએટેક

    જેતપુરમાં PGVCLમાં ફરજ બજાવતા ડાયા ભાઈ મકવાણા ઉ.58 નામના કર્મચારીને એટેક આવતા મોત નીપજ્યું છે. ધોરાજી રોડ ઉપર જલારામ નગર – 3 માં પોતાના ઘરે જ એટેક આવ્યો છે. કર્મચારીને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા. મૃતદેહને પીએમ અર્થ સરકારી હોસ્પિટલ ખસેડાયો

  • 29 Sep 2023 11:54 PM (IST)

    વલસાડના નેશનલ હાઇવે 48 પર બની હિટ એન્ડ રનની ઘટના

    • ધરમપુર ચોકડી નજીક ગિરિરાજ હોટલ પાસે નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રન
    • અજાણ્યા કાર ચાલક દ્વારા બે જેટલી બાઈકને અડફેટે લઈ ફરાર
    • બાઈક પર સવાર એક શખ્સનું ઘટના સ્થળે મોત તો અન્ય બાઈક લર સવાર પતિ પત્ની ગંભીર રીતે ઘાયલ
    • સ્થાનિકો દ્વારા પતિ પત્નીને 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
    • ઘટનાની જાણ થતા વલસાડ સીટી પોલીસે તપાસ હાથ ધરી
  • 29 Sep 2023 11:19 PM (IST)

    વિદેશી પર્યટકો હવે લદ્દાખના હેનલે ગામમાં રાત્રી રોકાણ કરી શકશે

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિદેશી પર્યટકોને લદ્દાખના હેનલે ગામમાં રાત્રી રોકાણ કરવાની મંજૂરી આપી છે. હેનલે લદ્દાખના ચાંગથાંગ ઉચ્ચપ્રદેશમાં ખૂબ ઊંચાઈએ આવેલું ગામ છે. હેનલે ગામ ભારતનું પ્રથમ “ડાર્ક સ્કાય રિઝર્વ” તરીકે જાણીતું છે અને તેના એકાંત, ઉચ્ચ ઊંચાઈ અને ન્યૂનતમ પ્રકાશ પ્રદૂષણને કારણે ઉત્તમ સ્ટાર ગેઝિંગ પરિસ્થિતિઓ પ્રદાન કરે છે.

  • 29 Sep 2023 11:19 PM (IST)

    દિલ્હીના આઝાદપુર મંડીમાં આગ લાગી, 11 ફાયર ટેન્કર ઘટનાસ્થળે પહોંચ્યા.

    દિલ્હીના આઝાદપુર મંડીમાં શુક્રવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ 11 વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

  • 29 Sep 2023 09:49 PM (IST)

    બનાસકાંઠામાં સોનાની દુકાનમાંથી અંદાજે 20 ગ્રામ સોનાની ચોરી

    • અમીરગઢના ઈકબાલગઢમાં ધોળાદિવસે સોનાની દુકાનમાંથી અંદાજે 20 ગ્રામ સોનાની ચોરી
    • ભગવતી જવેર્લ્સ નામની સોનાની દુકાનમાં થઈ ધોળા દિવસે ચોરી
    • માત્ર દોઢ મિનિટમાં સોનાના દાગીનાની અજાણ્યા ઈસમો દ્વારા કરાઈ ચોરી
    • ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઇ કેદ
    • દુકાનમાં વેપારીની પત્ની બેઠી હતી ત્યારે અજાણ્યા બે વ્યક્તિ દાગીના ખરીદવાના બહાને આવી કરી ચોરી
  • 29 Sep 2023 08:53 PM (IST)

    વડોદરામાં ક્રેનના બકેટનો વાયર તૂટ્યો, એકનું મોત

    વડોદરામાં ક્રેનના બકેટનો વાયર તૂટતા બકેટ પડ્યું હોવાની ઘટના બની છે. ફોર્ચ્યુન ઇમ્પિરિયા ટુ ખાતે આ દુર્ઘટના સર્જાઈ છે. નિર્માણાધિન બિલ્ડીંગમાં કાર્યરત બકેટ તૂટતા દુર્ઘટના સર્જાઈ છે. એક શ્રમજીવીનું મોત થયું છે. ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટિમ ઘટના સ્થળે સરદારભાઈ દુડવા નામના 32 વર્ષીય શ્રમજીવીનું મોત થયું છે.

  • 29 Sep 2023 08:52 PM (IST)

    અમદાવાદ નરોડા ખાતે બિલ્ડરની ગાડીમાંથી લાખોની ચોરી

    • નરોડા મુઠિયા રણાસ ટોલટેક્ષ પાસેનો બનાવ
    • કન્સ્ટ્રક્શન સાઈડ પાસે પાર્ક કરેલી બિલ્ડરની ગાડીમાંથી લાખોની ચોરી
    • બિલ્ડર ની ગાડીમાં રહેલા 15.63 લાખની ચોરી
    • ગાડીના કાચ તોડી તસ્કરો કરી ચોરી
    • નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
  • 29 Sep 2023 08:10 PM (IST)

    જુનાગઢ શહેરના રાજીવનગરમાં સિંહ પરિવારના ધામા

    • જુનાગઢમાં સિંહોએ કર્યુ બે પશુનું કર્યું મારણ
    • ગત મોડી રાત્રિની ઘટના
    • એક સિંહ, બે સિંહણ અને ત્રણ બચ્ચાએ માણી શિકારની મીજબાની
    • જંગલની બોર્ડર અડીને આવેલું છે રાજીવ નગર
    • અનેક વાર સિંહો રાત્રિ આવી ચડે છે રહેણાંક વિસ્તારોમાં
    • સિંહોના આંટાફેરાથી વન વિભાગનું પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોની માંગ
  • 29 Sep 2023 07:51 PM (IST)

    PM મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદની મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ

    વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદની મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ પહેલા વડાપ્રધાનએ શરૂ કરાવેલી મેટ્રો રેલ સેવા બની અમદાવાદની લાઈફલાઈન બની છે. શહેરી વિકાસ અને આધુનિક પરિવહનના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી મેટ્રો રેલનો એક વર્ષમાં અઠવાડિયાના સામાન્ય દિવસોમાં સરેરાશ 90 હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરો પ્રવાસ કર્યો

  • 29 Sep 2023 07:28 PM (IST)

    આજે રાત્રી ના 12 કલાકે અંબાજી મેળો પૂર્ણ ગણાશે

    • આજે રાત્રી ના 12 કલાકે મેળો પૂર્ણ ગણાશે
    • મેળા ના છેલ્લા દિવસ સુધી માનવ મહેરામણ સતત ઉમટ્યું
    • છેલ્લા દિવસે મંદિર માં 6.18 લાખ શ્રદ્ધાળુઓ એ માતાજી ના દર્શન કર્યા
    • સમગ્ર મેળા દરમિયાન કુલ 45.55 લાખ શ્રદ્ધાળુ અંબાજી પહોંચ્યા
    • સાત દિવસ ના મેળા માં 18.41 લાખ મોહનથાળ પ્રસાદ ના પેકેટ નું વિતરણ
    • અંબાજી મંદિર ને મેળા દરમિયાન કુલ દાન ભેટ ની રકમ 2. 27 કરોડે પહોંચી
    • મેળા માં કુલ 520 ગ્રામ સોના નું મળ્યું દાન
  • 29 Sep 2023 06:59 PM (IST)

    નર્મદા પૂર તારાજી મુદ્દે સરકાર જાહેર કર્યું પુનર્વસન પેકેજ જાહેર

    નર્મદા પૂર તારાજી મુદ્દે સરકાર જાહેર કર્યું પુનર્વસન પેકેજ જાહેર કરાયું છે. ધંધાકીય અને ઘરોમાં નુકસાન માટે પેકેજની જાહેરાત કરાઇ છે. ભરૂચના 40 ગામો અને બે શહેરોને પેકેજનો લાભ મળશે. વડોદરા જિલ્લાના 31 ગામો અને નર્મદાના 32 ગામોને ફાયદો થશે. લારીધારકોને ઉચક 5 હજારની રોકડ સહાય કરાશે. 40 ચોરસ ફૂટ સુધીની નાની કેબિન ધરાવનારને 20 હજારની સહાય આપશે. 40 ચોરસ ફૂટથી મોટી કેબિન ધરાવનારાને 40 હજારની સહાય અપાશે. નાની અને મધ્યમ દુકાનધારકોને 85 હજારની સહાય કરાશે. લોનમાં વધુમાં વધુ 5 લાખ સુધીની સહાય કરાશે.

  • 29 Sep 2023 06:37 PM (IST)

    સિંધુભવન રોડ પર સ્પામાં યુવતીને ક્રુરતાથી મારવાનો કેસ

    • અમદાવાદ સિંધુભવન રોડ પર સ્પામાં યુવતીને ક્રુરતાથી મારવાનો કેસ.
    • આરોપી મોહસીન હુસેન રંગરેજને કોર્ટે એક દિવસના રિમાન્ડ મજૂર કર્યા.
    • બોડકદેવ પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ કરી હતી માંગણી.
    • આરોપી મોહસીનનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો.
    • નારોલમાં એક , દાણીલીમડામાં બે અને વસ્ત્રાપુર પોલીસમાં એક ગુનો મળી કુલ ચાર ગુના નોંધાઇ ચુક્યા છે.
    • નારોલમાં ઓઇલ ચોરી,દાણીલીમડા માં બે મારામારીના કેસ અને વસ્ત્રાપુરમાં દારૂ પીધેલાનો કેસ થયેલ છે.
  • 29 Sep 2023 06:33 PM (IST)

    ખેડૂતોને સોલાર પાવર કીટની સહાય મળશે

    • રાજ્યના 33 હજાર ખેડૂતોને સોલાર પાવર કીટની સહાય મળશે
    • સોલાર ફેન્સીંગ માટે સોલાર કીટ આપશે સરકાર
    • રાજ્યમા ખેડૂતોના ઉભા પાકને મળશે રક્ષણ
    • પાવર કીટની ખરીદીમાં નાણાંકીય સહાય અઢી ગણી વધારીને 50 કરોડ કરાઈ
    • સરકાર દ્વારા લોખંડની તારની વાડ કરવા છેલ્લા 18 વર્ષથી કરે છે સહાય
    • કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું ગત વર્ષે 13 હજાર ખેડૂતોએ લાભ લીધો હતો
  • 29 Sep 2023 06:29 PM (IST)

    પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનના સમય પત્રક કરવામાં આવ્યો ફેરફાર

    • અમદાવાદ મંડળ દ્વારા નવું સમય પત્ર જાહેર કરવામાં આવ્યું
    • 1 ઓકટોબર નવું સમય પત્રક લાગુ પડશે
    • નવા સમય પત્રક જાહેર થતાં અનેક ટ્રેનોનો સમય બદલાયો
    • અમદાવાદથી ઉપડતી 7 જેટલી ટ્રેન હાલના સમય કરતાં વહેલી ઉપડશે
    • અમદાવાદથી ઉપડતી 25 જેટલી ટ્રેન હાલના સમયથી મોડી ઉપડશે
  • 29 Sep 2023 06:03 PM (IST)

    હાટકેશ્વર બ્રિજ તોડવામાં આવશે, એમ થેન્નારસને આપ્યું નિવેદન

    1. એમ થેન્નારસનનું હાટકેશ્વર બ્રિજને લઈ નિવેદન
    2. હાટકેશ્વર બ્રિજ તોડવામાં આવશે
    3. આગામી એક અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
    4. મનપા કમિશ્નર એન. થેન્નારસને સામાન્ય સભામાં કરી સ્પષ્ટતા
    5. બ્રિજ તોડી નવો બનાવવા માટે કરાશે ટેન્ડર પ્રક્રિયા
    6. જ્યુડિશિયલ બાબત હોવાના કારણે ટેન્ડર પ્રક્રિયા મોડી થઈ હોવાનો કર્યો સ્વીકાર
  • 29 Sep 2023 05:53 PM (IST)

    મહિલા આરક્ષણ બિલ હવે બની ગયું કાયદો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આપી મંજૂરી

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે મહિલા આરક્ષણ બિલ એટલે કે નારી શક્તિ વંદન એક્ટને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરીથી હવે તે કાયદો બની ગયો છે. સંસદના તાજેતરમાં પૂરા થયેલા વિશેષ સત્ર દરમિયાન મોદી સરકાર દ્વારા આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. ખરડા પર ચર્ચા કર્યા બાદ તેને બંને ગૃહોની મંજૂરી મળી હતી, ત્યારબાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યુ હતું. બિલમાં મહિલાઓને લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાની જોગવાઈ છે.

  • 29 Sep 2023 05:08 PM (IST)

    Surat : રાંદેરમાં સોડા પીવા આવેલો ફરાર ડ્રગ્સ માફિયો ઇસ્માઇલ ગુર્જર SOGના હાથે ઝડપાયો

    સુરતમાં આખરે ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જર ઝડપાયો છે. રાંદેરમાં સોડા પીવા આવતા SOGની ટીમે ફિલ્મી ઢબે ડ્રગ્સ માફિયાને ઝડપી પાડયો છે. કોન્સ્ટેબલે હિંમત બતાવી આરોપીને એકલા હાથે ઝડપી પાડ્યો હતો. ધરપકડ વખતે ડ્રગ્સ માફિયા અને પોલીસ વચ્ચે જીવ સટોસટીનો ખેલ ખેલાયો હતો, પરંતુ પોલીસે આરોપીને ધક્કો મારી દુકાનમાંથી ઢસડીને ઝડપી પાડ્યો હતો. ડ્રગ્સ માફિયાનો મુંબઈથી સુરત ડ્રગ્સ લાવી નેટવર્ક મજબૂત કરવાનો પ્લાન હતો. પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર થઈ ગયો હતો. આરોપી ઇસ્માઇલ ગુર્જર તેની આરોપી પત્ની સાથે વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો. ઘટનાની વાત કરીએ તો, 2022માં એસઓજીએ પુણા નિયોલ ચેક પોસ્ટ પાસેથી ઈસ્માઇલને 39 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં તેને લાજપોર જેલમાં ધકેલાયો હતો.

  • 29 Sep 2023 04:20 PM (IST)

    અમદાવાદીઓને ઊબડખાબડ રસ્તાઓથી મળશે છુટકારો, શહેરના તમામ રોડ રીપેર કરવા સ્ટેન્ડિગ કમિટીમાં નિર્ણય

    1. અમદાવાદીઓને ઊબડખાબડ રસ્તાઓથી મળશે છુટકારો
    2. શહેરના તમામ રોડ રીપેર કરવા સ્ટેન્ડિગ કમિટીમાં નિર્ણય
    3. અમદાવાદમાં 1 ઓક્ટોબરથી રસ્તાઓનું સમારકામ શરૂ થશે
    4. જાન્યુઆરી સુધીમાં તમામ રોડના કામો પૂર્ણ કરવા આદેશ
  • 29 Sep 2023 04:17 PM (IST)

    ખેડૂતોના આંદોલનને કારણે 90 મેલ એક્સપ્રેસ અને 150 લોકલ ટ્રેનો રદ

    ખેડૂતોના આંદોલનને કારણે અસરગ્રસ્ત રેલ્વે સેવાઓ પર ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર શોભન ચૌધરીએ કહ્યું છે કે ગઈકાલે સવારથી પંજાબમાં કેટલાક ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. તેઓએ 72 કલાક માટે હડતાળની સૂચના આપી છે. ગઈકાલથી તેઓ ફિરોઝપુર ડિવિઝનમાં 14 અને અંબાલા ડિવિઝનમાં 4 જગ્યાએ બેઠા છે, જેના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ 3 દિવસની હડતાળને કારણે લગભગ 90 મેલ એક્સપ્રેસ ટ્રેનો અને 150 લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.

  • 29 Sep 2023 03:46 PM (IST)

    સુરતમાં કારે અડફેટે લેતા મોપેડ સવાર 3 ને ઈજા, અકસ્માત સર્જનાર વાહનચાલક દારુના નશામાં હોવાનો આરોપ

    દારુના નશામાં એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં એક કાર ચાલકે દારુના નશામાં દારુ પીને અકસ્માત સર્જ્યાનો આરોપ કરવામાં આવ્યો છે. કાર ચાલકે એક મોપેડને અડફેટે લેતા ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસને લઈ પોલીસે તપાસ શરુ કરી છે. અકસ્માત બાદ કારમાંથી એક બોટલમાં શંકાસ્પદ દારુ હોવાનુ પણ સામે આવ્યુ હતુ. કારમાં જ દારુ જેવા પ્રવાહી ભરેલ એક બોટલ મળી આવી હતી.

  • 29 Sep 2023 02:52 PM (IST)

    Ahmedabad: અમદાવાદમાં ખરાબ રસ્તાથી લોકો પરેશાન, શહેરીજનોની અગવડતા સામે નથી હાલતુ તંત્રના પેટનુ પાણી!

    ચોમાસુ આવતા જ વરસાદ સહેજ પડ્યો નથી કે રસ્તાઓ પર ખાડાઓનુ રાજ શરુ થઈ જતુ હોય છે. રસ્તાઓ કોણ જાણે કેવા મટીરીયલ અને કેવા સુપરવિઝન હેઠળ તૈયાર કરવામાં આવે છે કે, રસ્તાઓ સાવ તકલાદી બનીને તૂટી જઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં આવી જ સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે. વરસાદના કારણે શહેરમાં અનેક રસ્તાઓ ધોવાયા. જેમાં સૌથી વધારે રસ્તાઓની હાલત ખરાબ હોય તો તે શહેરના મધ્ય ભાગમાં આવેલા વિસ્તારોની. પરંતુ તેની સાથે પૂર્વમાં આવેલા વિશાલા થી લઈને નરોડા જતા રસ્તા ની હાલત પણ ખરાબ બની છે. જે ખરાબ રસ્તા ના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

  • 29 Sep 2023 02:01 PM (IST)

    વર્લ્ડ કપ મેચને લઈ આતંકી ગુરૂપવતસિંધ પન્નુ દ્વારા પ્રિ રેકોર્ડ કોલ કરી ધમકીનો કેસ, સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસમાં ધમકી ભર્યા કોલ યુકેથી આવ્યા હોવાનુ સામે આવ્યું

    1. વર્લ્ડ કપ મેચને લઈ આતંકી ગુરૂપવતસિંધ પન્નુ દ્વારા પ્રિ રેકોર્ડ કોલ કરી ધમકીનો કેસ..
    2. વર્લ્ડ કપ નહીં પણ ટેરર કપ હશે તેવી પ્રિ રેકોર્ડ ફોનથી ધમકી અપાઈ રહી છે
    3. સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસમાં ધમકી ભર્યા કોલ યુકેથી આવ્યા હોવાનુ સામે આવ્યું
    4. એક જ દિવસમાં 60 થી વધુ ધમકી ભર્યા કોલ આવ્યા હતા
    5. સાયબર ક્રાઇમ બ્રાંચે આતંકી ગુરૂપવતસિંધ પન્નુ વિરુદ્ધ IPC 121 A,153 A,153 B(A, C),505 (1)b,12 મુજબ ગુનો નોંધ્યો…
  • 29 Sep 2023 01:12 PM (IST)

    ઈસ્કોન મંદિર મેનકા ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે

    ઈસ્કોન મંદિર કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું છે કે અમે ભાજપ નેતા મેનકા ગાંધી વિરુદ્ધ ઈસ્કોન મંદિર વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ માનહાનિનો કેસ દાખલ કરીશું. અમે આજે કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કરીશું.

  • 29 Sep 2023 12:54 PM (IST)

    Gujarat News Live : નર્મદાના સેલંબા ખાતે બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો, પોલીસે છોડ્યા ટીયરગેસના સેલ

    બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે પથ્થરમારો કરવાનો અને આગચંપી કરવાનો બનાવ બન્યો છે. કુઇદા ગામથી સેલંબા સુધી શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરાયુ હતુ. નર્મદા જિલ્લા DYSP, LCB અને SOGની ટિમો પણ સેલંબા ખાતે પહોંચી ગઈ છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે. બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની હતી. નર્મદા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યો છે.

  • 29 Sep 2023 12:40 PM (IST)

    Gujarat News Live : 2 ઓક્ટોબરથી રાજસ્થાન-MP, છત્તીસગઢના પ્રવાસે હશે PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આગામી 2 ઓક્ટોબરથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાની મુલાકાત લેશે. પીએમ 2જી ઓક્ટોબરે સૌથી પહેલા રાજસ્થાનની મુલાકાત લેશે. આ પછી તેઓ મધ્યપ્રદેશ જશે. પીએમ 3 ઓક્ટોબરે છત્તીસગઢ અને તેલંગાણાની મુલાકાત લેશે. આ તમામ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

  • 29 Sep 2023 12:07 PM (IST)

    Gujarat News Live : દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP પાર્ટીના સાંસદ સંજયસિંહની અરજીને પ્રાયોરિટીમાં સાંભળવા હાઇકોર્ટે કર્યો ઇન્કાર

    ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP પાર્ટીના સાંસદ સંજયસિંહની અરજીને પ્રાયોરિટીમાં સાંભળવા હાઇકોર્ટે કર્યો ઇન્કાર છે. આ કેસની તત્કાલ સુનાવણી જરૂરી નહીં હોવાની આ પહેલા પણ હાઈકોર્ટે કરી હતી ટકોર. અરજદાર દ્વારા સાંસદો અને ધારાસભ્યોના કેસ ઝડપથી ચલાવવા સુપ્રીમ કોર્ટના નિર્દેશો હોવાની બાબત હાઇકોર્ટના ધ્યાને મુકાઈ હતી. જે અંગે હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે, એ નિર્દેશોને ધ્યાનમાં લઈને જ કેસમાં ટૂંકી મુદતની તારીખ અપાઈ રહી છે. ટ્રાયલ કોર્ટે ઈસ્યું કરેલા સમન્સને રદ કરવા અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની છે માંગણી. જો કે હવે આગામી 6 ઓક્ટોબરે હાથ ધરાશે વધુ સુનાવણી.

  • 29 Sep 2023 10:13 AM (IST)

    Gujarat News Live : દાહોદમાં ફૂકાયેલા વાવાઝોડાથી 300 જેટલાં મકાનોને નુકસાન, માર્ગ વૃક્ષ તુટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો

    દાહોદના ગમલા તેમજ આજુબાજુના ગામમાં આવેલા વાવઝોડાથી મકાનોને નુકસાન થયું હતું. તો માર્ગ પર વૃક્ષ તુટી પડવાને કારણે વાહનવ્યવહાર અટવાઈ ગયો હતો. વાવાઝોડાને કારણે ખેતી ક્ષેત્રે પણ નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.

    • દાહોદના ગમલા તેમજ આસપાસના ગામોમાં ફૂકાયું વાવાઝોડુ
    • વાવાઝોડાથી 100થી વધુ મકાનોને ભારે નુકસાન, કુલ 300 જેટલાં મકાનોમાં નુકસાન
    • ખેડૂતોના મકાઈ, બાજરી જેવા ઉભા પાકને પણ વ્યાપક નુકસાન
    • 300થી વધુ વૃક્ષ ધરાશાય થતાં વાહન વ્યવહાર ખોરવાયો
    • સંખ્યાબંધ વીજપોલ તેમજ ટ્રાન્સફોર્મરને પણ નુકસાન
    • 24 કલાક કરતા વધારે સમયથી વીજળી ડૂલ થતાં ગ્રામજનોને હાલાકી
    • યાંત્રિક ઉપકરણો તેમજ મોબાઇલ ફોનની ઈન્ટરનેટ સેવા ઠપ્પ
    • પ્રચંડ વાવાઝોડામાં 300 વર્ષ જૂનું ચામુંડા માતાનું સ્થાનક ધારાશાયી
    • ગ્રામજનોને ભારે જહેમત ઉઠાવી માર્ગ પરથી વૃક્ષો હટાવી રસ્તો ખુલ્લો કર્યો
    • એમજીવીસીએલ તેમજ વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ
  • 29 Sep 2023 08:42 AM (IST)

    Gujarat News Live : ભારતે શૂટીંગમાં વિશ્વ વિક્રમ બનાવવાની સાથે જીત્યો ગોલ્ડ મેડલ

    ભારતીય શૂટર્સ મેડલ વરસાવવામાં વ્યસ્ત છે. મહિલાઓ બાદ મેન્સ ટીમે પણ મેડલ જીત્યો છે. ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, સ્વપ્નિલ કુસાલે અને અખિલ શિયોરાનની ટીમે 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ટીમે વર્લ્ડ રેકોર્ડ સાથે મેડલ જીત્યો છે.

  • 29 Sep 2023 07:57 AM (IST)

    Gujarat News Live : ભાવનગરની સર ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફાયરિંગ કરનાર ઝડપાયો

    ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જાહેરમાં ફાયરિંગ કરી ને ભયનો માહોલ ઉભો કરનારા શખ્સ પિન્ટુને આખરે પોલીસે ઝડપી લીધો છે. પોલીસે ફાયરિંગ અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. ભાવનગર શહેરમાં ગતરોજની મોડીરાત્રે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી.

  • 29 Sep 2023 06:42 AM (IST)

    Gujarat News Live : મણિપુરમાં ભાજપની ઓફિસ સળગાવ્યા બાદ, હિંસક ટોળાનો CM બિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ

    મણિપુરમાં બે વિદ્યાર્થીઓની હત્યાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ ગત મોડી સાંજે મુખ્યમંત્રી એન બિરેન સિંહના પૈતૃક નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સુરક્ષા દળોએ તેને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધો છે. પોલીસે માહિતી આપી છે કે સીએમ બિરેન સિંહ એ પૈતૃક મકાનમાં રહેતા નથી.

  • 29 Sep 2023 06:22 AM (IST)

    Gujarat News Live : જો હુ રાષ્ટ્રપતિ બનીશ તો ઇમિગ્રન્ટ્સે મેળવેલી નાગરિકતા સમાપ્ત કરીશ: રામાસ્વામી

    વિવેક રામાસ્વામીએ, યુ.એસ.માં ઇમિગ્રન્ટ્સ ( અપ્રવાસીઓ) માટેના “જન્મ અધિકાર નાગરિકતા” સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું.

Published On - Sep 29,2023 6:21 AM

Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">