Gujarat News : રાજકોટના સર્વેશ્વર ચોકમાં સ્લેબ ટુટવાની ઘટનાને લઇને મોટો ખુલાસો
Gujarat Live Updates : આજ 24 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 24 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
સ્લેબ ટુટવાની ઘટનાને લઇને મોટો ખુલાસો
- સર્વેશ્વર ચોકમાં સ્લેબ ટુટવાની ઘટનાને લઇને મોટો ખુલાસો
- એક દુકાનદારે લાદી કામ કરવા માટે સ્લેબ પર હેવી મશીનરીનો ઉપયોગ કર્યો હતો
- હેવી મશીનરીના ઉપયોગને કારણે સ્લેબને નુકસાન પહોચ્યુ હોવાની શક્યતા
- બે દિવસથી આ સ્લેબને નુકસાન પહોચ્યુ હતુ
- સ્લેબ પડવા પાછળ હેવી મશીનરીનો ઉપયોગ કે અન્ય કારણ જવાબદાર તે તપાસનો વિષય
-
સર્વેશ્વર ચોકમાં સ્લેબ તૂટવાની ઘટના બાદ ધારાસભ્ય, કલકેટર સહિતના લોકો હોસ્પિટલ પહોંચ્યા
ધારાસભ્યો દર્શિતા શાહ અને ઉદય કાનગડ,મ્યુનિસિપલ કમિશનર,કલેકટર,કેબિનેટ મંત્રી ભાનુ બાબરીયા,શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી,મેયર નયના પેઢડિયા,પૂર્વ મેયર પ્રદીપ ડવ આ તમામ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોને જોવા પહોંચ્યા. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનું નિવેદન,કહ્યું કે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માટે મનપા અધિકારીઓને તાકીદ કરાઇ. સીએમએ પ્રદીપ ડવ સાથે વાત કરી એ બાઈટ આપણામાં જ છે ખાલી
-
-
ભૂપેન્દ્ર પટેલનો રાજકોટ પ્રવાસ રદ
સર્વેશ્વર ચોકમાં ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આવતીકાલનો રાજકોટનો કાર્યક્રમ રદ્દ કરાયો છે. જામકંડોરણા ખાતે વર્ચ્યુઅલ જોડાય તેવી શક્યતા છે.
જે કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા તેની વિગત
1 રાજકોટના માધાપર ચોકડી બ્રિજનું લોકાર્પણ.
2 રાજકોટના જામકંડોરણામાં રાજકોટ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓની સામાન્ય સભામાં હાજરી
-
રાજસ્થાનમાં સર્વાંગી વિકાસના દરવાજા ખુલવાના છે – પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, ‘અમારી સરકાર રાજસ્થાનના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અમારા પક્ષના કાર્યકર્તાઓએ અહીં લીધેલો પરિવર્તનનો સંકલ્પ રાજ્યમાં સર્વાંગી વિકાસના દ્વાર ખોલવા જઈ રહ્યો છે. આ ઠરાવને વધુ મજબૂત કરવા માટે, અમને આવતીકાલે બપોરે જયપુરમાં પરિવર્તન સંકલ્પ મહાસભામાં હાજરી આપવાની તક મળશે.
-
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ 5 શંકાસ્પદ આતંકવાદીઓને પકડ્યા, વિસ્ફોટક સામગ્રી મળી
ભારતીય સેનાનું કહેવું છે કે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે, આજે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત ઓપરેશનમાં વામપુરા અને કુલગામમાં બે અલગ-અલગ વાહન ચેકપોસ્ટ (MVCPs) ની સ્થાપના કરવામાં આવી હતી. આ દરમિયાન, પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના કબજામાંથી 2 પિસ્તોલ, 3 હેન્ડ ગ્રેનેડ, 1 UBGL ગ્રેનેડ અને અન્ય વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
-
-
રાજકોટ સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી
રાજકોટના સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી થયો છે. ફૂડ બજાર પાસે વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડતા અનેક લોકો વોકળામાં ખાબક્યા. પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
-
જેતપુર ડાઈગ ઉદ્યોગનું પાણી પોરબંદર સમુદ્રમાં નાખવા સામે આંદોલન !
- ખારવા સમાજ આક્રમક મૂડમાં આવ્યું છે.
- જેતપુર ડાઈગ ઉદ્યોગનું પાણી પોરબંદર સમુદ્રમાં નાખવા સામે આંદોલનની તૈયારીઓ શરૂ
- આજે ખારવા સમાજના હજારો લોકોની બેઠકમાં લેવાયો નિર્ણય
- ખારવા સમાજમાં વેપારીઓ આગેવાનો સાથે મળી આંદોલન કરવા કર્યો નિર્ણય
- જેતપુર ડાઈગ ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણી પોરબંદર સમુદ્રમાં નાખવાનો પ્રોજેક્ટ રદ ના થાય ત્યાં સુધી લડત ચાલશે
- 29 સપ્ટેમ્બરે ખારવા સમાજ રેલી સ્વરૂપે આવેદન આપશે
- આવનાર દિવસોમાં શહેર જિલ્લાની તમામ સામાજિક સંસ્થાઓ વેપારી સંસ્થાઓને સાથે રાખી આંદોલનને વેગ આપવા નિર્ણય
-
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 12 કિલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો
- સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 12 કિલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો
- ઇચ્છાપોર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો ચરસનો જથ્થો
- ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચરસના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
- થોડા દિવસ પહેલા SOG દ્વારા 10 કિલો ચરસનો જથ્થો ઝડપ્યો હતો
-
સુરેન્દ્રનગરના વસ્તડી નજીક પુલ તૂટ્યો
- નેશનલ હાઇવેથી ચુડાને જોડતો પુલ તૂટ્યો.
- પુલ પરથી પસાર થતું ડમ્પર અને મોટરસાઇકલ સહિતના વાહનો પણ પાણીમાં ગરકાવ
- નદીમાં ખાબકેલા વાહન ચાલકોની શોધખોળ હાથ ધરવામાં આવી
- અંદાજીત 10થી વધુ લોકો પુલ પડવાને કારણે પાણીમાં ગરકાવ
- ઘટનાને લઈ સરપંચ સહિતના અગ્રણીઓ સ્થળ પર પહોંચ્યા
- બચાવ કામગીરી હાથ ધરવામાં આવી.
-
ગુજરાતની પાંચ નગરપાલિકાઓને મળશે મોડલ ફાયર સ્ટેશન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી
- નવસારી, બારડોલી, રાજપીપળા લુણાવાડા,ધોળકામાં નવા મોડલ ફાયર સ્ટેશન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી
- આ નગરોમાં જિલ્લા કક્ષાના મોડલ ફાયર સ્ટેશનનું થશે નિર્માણ
- મોડલ ફાયર સ્ટેશનમાં ફાયર પ્રોટેકશન સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ વોટર ટેંકનું નિર્માણ થશે
- સ્ટેશનમાં હશે એલીવેટેડ સ્ટોરેજ રિઝવર્યસ
- અદ્યતન ફાયર સ્ટેશન બિલ્ડીંગ અને કર્મચારીઓ માટે આવાસ બનશે
- રૂ.36.12 કરોડના ખર્ચે બનશે મોડલ ફાયર સ્ટેશન
-
કબડ્ડી સહિત તમામ રમતો રમી શકુ છું, જરૂર પડી તો મારપીટ પણ…બ્રિજભૂષણ શરણ સિંહનું વિવાદિત નિવેદન
ભગવાન આદિકવિ મહર્ષિ વાલ્મીકિની જન્મજયંતિ નિમિત્તે રવિવારથી ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં 22મી ક્રિકેટ ટુર્નામેન્ટ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કર્યું હતું. આ દરમિયાન પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતા બ્રિજ ભૂષણ શરણ સિંહે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે તે ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, બેડમિન્ટન સહિતની તમામ રમતો રમી શકે છે અને જરૂર પડે તો મારપીટ પણ કરી શકે છે.
-
Narmada: “સરકારે નર્મદાના ખેડૂતો સાથે મજાક કરી” રાહત પેકેજ અંગે AAPના MLAનું નિવેદન
Narmada : નર્મદા નદીમાં પૂરના (flood) કારણે નર્મદા જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. પૂરમાં અનેક ગામો પ્રભાવિત થયા છે. ગામના ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જો કે, નુકસાન સામે રાજ્ય સરકારે વળતર આપવાની જાહેરાત કરી છે. પરંતુ, સરકારે જાહેર કરેલા વળતર કરતા ખેતરમાં વધુ નુકસાન થયું છે. ત્યારે સરકારના આ રાહત પેકેજને AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ મજાક ગણાવ્યું છે.
-
Mahisagar: આરોપીને ઝડપવા માટે પોલીસ અંબાજી પદયાત્રી બની પગપાળા ચાલવા લાગી, SOG એ ફરારને ઝડપ્યો
મહિસાગર પોલીસ સાબરકાંઠા જિલ્લામાં અંબાજીના પદયાત્રી બનીને પગપાળા ચાલવા લાગી હતી. આરોપીને પકડવાના હેતુથી એસઓજી પોલીસની ટીમ ચાલતા અંબાજી જતા પદયાત્રીઓ સાથે ચાલવા લાગીને બાતમી મુજબના આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસના જવાનો અને અધિકારી ખેડબ્રહ્મા વિસ્તારમાં અંબાજીના માર્ગે પાંચ કિલોમીટર સુધી ચાલી હતી અને આરોપીની ઓળખ કરી લઈ આરોપી ચાલાકી પૂર્વક ભીડનો લાભ ઉઠાવીને ફરાર થાય એ પહેલા જ ઝડપી લીધો હતો.
-
પંજાબમાં ડ્રગ્સના બે દાણચોરોની ધરપકડ, પાકિસ્તાનથી આવ્યું હતું ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ
પંજાબમાં સરહદ પારથી થતી દાણચોરીનો પર્દાફાશ થયો છે. ગુરદાસપુર પોલીસ અને BSFએ સંયુક્ત ઓપરેશનમાં બે દાણચોરો પાસેથી 19.3 લાખ રૂપિયાના ડ્રગ મની સાથે 12 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આ દવાઓ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા મોકલવામાં આવી હતી.
-
અરુણાચલ પ્રદેશ: કેન્દ્રીય મંત્રી સિંધિયાએ તેજુ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ અરુણાચલ પ્રદેશના તેજુમાં નવીનીકરણ કરાયેલ તેજુ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે કહ્યું કે ભારત સરકારે આ એરપોર્ટમાં 170 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. 40,000 ચોરસ ફૂટનું એરપોર્ટ છે. આ ખૂબ જ સુંદર એરપોર્ટ છે.
-
અંબાજી હડાદ માર્ગ અકસ્માત, ખાનગી બસ પલટી, 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
અંબાજીના હડાદ માર્ગ ઉપર ખાનગી બસ પલટી મારતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે 40થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. બાળકો સહિત મહિલાઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને 108, ખાનગી વાહન અને પોલીસની જીપમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જાનહાનિના હાલ કોઈ સમાચાર નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
-
ડાંગ: સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ
- ડાંગ: સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ
- એક કલાકથી સતત ધોધમાર વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યાં
- સાપુતારા સ્વાગત સર્કલ, સર્પગંગા તળાવ સહિત વોકવે ઉપર વરસાદી પાણી ભરાયા
- હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જીલ્લામાં ભારે વરસાદ
- વરસાદને જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
-
Gujarat News Live : આજે સવારના 6થી 12 સુધીમાં 33 તાલુકામાં વરસાદ, નર્મદાના નાંદોદમાં સૌથી વધુ વરસાદ
બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી વચ્ચે આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના 6 કલાકમાં 33 તાલુકામાં એક મીલિમિટરથી લઈને 5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના જ, દેડીયાપાડામાં 2 ઈંચ તો સુરતના ઉમરપાડામાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં દોઢ ઈંચ, જલાલપોરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.
-
Gujarat News Live : દેશને મળી વધુ 9 વંદે ભારત ટ્રેન, PM મોદીએ કહ્યું- આ ટ્રેન એક દિવસ આખા ભારતને જોડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક સાથે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આનાથી 11 રાજ્યોમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોના જોડાણને વેગ મળશે. નવી ટ્રેનોમાં અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. નવી ટ્રેનોમાં સુવિધાઓ પણ પહેલાની સરખામણીમાં વધારવામાં આવી છે. ખાસ વાત એ છે કે, વંદે ભારત ટ્રેનની સીટને વધુ આરામદાયક બનાવવામાં આવી છે, જેના કારણે હવે મુસાફરોની મુસાફરી વધુ સારી રીતે થશે.
-
Gujarat News Live : રાજકોટના આનંદ બંગલા નજીક અકસ્માત સર્જનાર સિટીબસમાં લોકોએ કરી તોડફોડ
રાજકોટમાં આનંદ બંગલા નજીક સિટી બસચાલકે ટુ-વ્હીલરચાલક મહિલાને અડેફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે. તો બીજીતરફ ઘટનાને લઈ ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ સિટી બસના કાચ તોડી નાખ્યા છે. આ ઘટના આનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પુલ નજીકની છે.જ્યાં સિટી બસના ડ્રાઈવરે બેફામ રીતે બસ હંકારીને મહિલાને અડફેટે લીધી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો.
-
Gujarat News Live : આંધ્રપ્રદેશમાં IT કર્મચારીઓના પ્રવેશ પર પ્રતિબંધ, બોર્ડર પર કરાઈ રહી છે અટકાયત
આંધ્રપ્રદેશમાં IT કર્મચારીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમને બોર્ડર પર નજરકેદ કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં તેમની ધરપકડ બાદ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પ્રત્યે લોકોમાં સહાનુભૂતિ વધી રહી છે. આંધ્રપ્રદેશમાં સરકાર લોકોને રસ્તા પર આવવાની પરવાનગી નથી આપી રહી. આજે જ્યારે આઈટી કંપનીના કર્મચારીઓએ નાયડુના સમર્થનમાં વિશાળ કાર રેલી કાઢવાની વાત કરી તો સરહદ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે.
-
Gujarat News Live : ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર વિશ્વ વેપારનો આધાર બનશે – PM મોદીએ મન કી બાતમાં કહ્યું
મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર વિશ્વ વેપારનો આધાર બનશે. જી 20 સમિટને કારણે ભારતમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે.
-
Gujarat News Live : ખાલિસ્તાની આતંકવાદીઓ પર કાર્યવાહી, વિદેશમાં વિરોધ પ્રદર્શન કરનારાઓના પાસપોર્ટ રદ કરાશે
સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ખાલિસ્તાની આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા માટે ભારતીય સંસ્થાઓ, કોન્સ્યુલેટ અને વિદેશમાં દૂતાવાસોને નુકસાન પહોંચાડનારા અને ત્યાં હિંસક વિરોધ પ્રદર્શન કરનારા લોકોના ભારતીય પાસપોર્ટ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ રદ કરવામાં આવી શકે છે.
-
Gujarat News Live : ઈન્કમટેક્સ વિભાગે 173 કરોડ ભરવા નોટીસ ફટકારતા, રાજકોટ દુધ ઉત્પાદક સંઘ, કેન્દ્રીય પ્રધાનોના શરણે
રાજકોટ દુધ ઉત્પાદક સંઘને આઈટીએ દંડ ફટકારતા કેન્દ્રીય નેતાઓને રજુઆત કરી છે. ઈન્કમ ટેક્સ વિભાગે 173 કરોડની વસુલાત કરવા નોટીસ ફટકારી છે. નોટબંધી સમયે રાજકોટ ડેરીએ દુધ વિતરકો પાસે 2-2 લાખનો રોકડ વ્યવહાર કર્યો હતો. નેશનલ ફેસલેસ અપિલ ઓથોરીટીએ રાજકોટ ડેરીને 3 લાખનો દંડ ભરવાનો ચુકાદો આપ્યો હતો. ચુકાદાની સામે ઈન્કમ ટેક્સે ટ્રિબ્યુનલમાં અપિલ કરી હતી. અપિલ પરત ખેંચાવવા ડેરીના આગેવાન કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રુપાલાને રજુઆત કરી છે.
-
Gujarat News Live : ખાલિસ્તાની આતંકવાદી નેટવર્ક પર NIAનો સપાટો
સરકાર ખાલિસ્તાની આતંકવાદી નેટવર્ક સામે કડક કાર્યવાહી કરી રહી છે. નેટવર્કના હવાલા સિન્ડિકેટને તોડી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે. થાઈલેન્ડ મારફતે કેનેડામાં ફંડિંગ મોકલવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 2019-21 વચ્ચે 13 વખત કેનેડામાં વાયા થાઈલેન્ડ કરોડો રૂપિયા મોકલવામાં આવ્યા હતા. લોરેન્સ બિશ્નોઈએ ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા પડાવ્યા હતા.
-
Gujarat News Live : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે 2.25 લાખ યાત્રિકો ઉમટ્યાં
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે, સવા બે લાખથી વધુ ભાવિક ભક્તો ઉમટ્યાં હતા. ભક્તોએ માં અંબાના ચરણોમાં 56.38 લાખની ભેટ અર્પણ કરી હતી.
- અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ
- મેળાના પ્રથમ દિવસે 2.25 લાખ યાત્રિકોએ માઁ અંબાના દર્શનનો લાભ લીધો
- અંબાજી મંદિરે પ્રથમ દિવસે મંદિરના શિખરે 100 જેટલી ધજાઓ ચઢી
- અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનું વેચાણ દોઢ લાખ જેટલા પેકેટ વેચાયા
- ફરાળી ચીકીના માત્ર છ હજાર પેકેટનું વિતરણ
- અંબાજી મંદિરમાં મેળાના પ્રથમ દિવસે કુલ દાન ભેટ ની આવક 56.38 લાખ
-
Gujarat News Live : Asian Games 2023 માં ભારતે રોઈંગમાં સિલ્વર મેડલ જીત્યો
એશિયન ગેમ્સ 2023માં ભારતે તેનો પહેલો મેડલ જીત્યો છે. ભારતના અરવિંદ સિંહ અને અર્જુન લાલે લાઇટ વેઇટ મેન્સ ડબલ સ્કલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અર્જુન અને અરવિંદની જોડીએ 6:28:18 કલાક સાથે સતત બીજી વખત એશિયાડમાં સ્થાન મેળવ્યું હતું.
-
Gujarat News Live : PM મોદી આજે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના વિવિધ શહેરોને જોડતી 9 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ 9 ટ્રેનો 11 રાજ્યો, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડમાં કનેક્ટિવિટી વધારશે.
જે નવી ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવશે તેમાં જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ, ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ, હૈદરાબાદ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ, વિજયવાડા-ચેન્નઈ (રેનીગુંટા થઈને) વંદે ભારત એક્સપ્રેસ, પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ, કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ, રાંચી-હાવડા વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
-
Gujarat News Live : PM મોદી આજે કરશે ‘મન કી બાત’, 105મો એપિસોડ ટેલિકાસ્ટ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 105મા એપિસોડને સંબોધિત કરશે. મન કી બાતનો કાર્યક્રમ પ્રતિ માસના છેલ્લા રવિવારે પ્રસારીત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશમાં પ્રેરણાદાયી બનાવની વાત કરે છે. આવનારા તહેવારોની શુભેચ્છા પાઠવે છે અને દેશના પ્રગતિની જાણી અજાણી વાત કરે છે.
-
Gujarat News Live : અમદાવાદના ઈદગાહ વિસ્તારમાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો
અમદાવાદના ઈદગાહ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી. લારી મુકવા બાબતે થયેલ અથડામણમાં બન્ને જૂથે પથ્થરમારો કર્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. પથ્થરમારો કરી રહેલા કેટલાક લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે.
Published On - Sep 24,2023 6:36 AM