GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 4 સપ્ટેમ્બરે કોરોનાના નવા 15 કેસ, 16 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 4 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 16 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,246 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.
GUJARAT CORONA UPDATE : રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે, તો સાથે એક્ટીવ કેસો પણ ઘટી રહ્યાં છે. કોરોનાથી મૃત્યુ પણ નહીવત થઇ ગયું છે, 6-7 કે 8 દિવસે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થાય છે. ગઈકાલે રાજ્યમાં એક મૃત્યુ થયું હતું, તો આજે રાજ્યમાં ફરી મૃત્યુઆંક શૂન્ય નોધાયો છે.
કોરોનાના 15 નવા કેસ, 0 મૃત્યુ રાજ્યમાં આજે 4 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 15 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે ભાવનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,476 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,082 થયો છે.
રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો વડોદરામાં 4, સુરતમાં 3, અમદાવાદ શહેર, કચ્છ અને રાજકોટ જિલ્લામાં 2-2 તેમજ સુરત અને વડોદરા જિલ્લામાં 1-1 જિલ્લામાં કોરોના વાયસરનો 1-1 નવો કેસ નોંધાયો છે.
16 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 148 થયા રાજ્યમાં આજે 4 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 16 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,2246 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 4 સપ્ટેમ્બરે એક્ટીવ કેસ ઘટીને 148 થયા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.
આજે 3.54 લાખ લોકોનું રસીકરણ રાજ્યમાં આજે 4 સપ્ટેમ્બરના રોજ 3,54,529 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરોમાં થયેલા રસીકરણના આંકડાઓ જોઈએ તો અમદાવાદમાં 17, 151, સુરતમાં 12,000, વડોદરામાં 10,256, રાજકોટમાં 6280, ભાવનગરમાં 4863, ગાંધીનગરના 4678, જામનગરમાં 7251 અને જુનાગઢમાં 475 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18 થી 45 ઉમરવર્ગના 1,74,558 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18 થી 45 ઉમરવર્ગના 80,997 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે થયેલા રસીકરણ બાદ કુલ 4 કરોડ 86 લાખ, 23 હજાર અને 043 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.