ગીરસોમનાથ: મુક્તિની દિવાળી, પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 80 માછીમારોનું દિવાળીના દિવસે જ પરિવાર સાથે મિલન, સર્જાયા ભાવુક દૃશ્યો- વીડિયો

ગીરસોમનાથ: પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 80 માછીમારોનુ આખરે દિવાળીના દિવસે જ પરિવાર સાથે મિલન થયુ છે. ત્યારે પરિવારજનો માટે અત્યંત ભાવુક દૃશ્યો સર્જાયા છે. વર્ષોથી પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોના પરિજનો ચાતક નજરે જેમની રાહ જોતા હતા, તે દિવાળીના દિવસે જ માદરે વતન આવતા પરિવારજનોની હર્ષાશ્રુ વહેવા લાગ્યા હતા.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2023 | 11:42 PM

ગીરસોમનાથ: માછીમારોના ઈતિહાસમાં કદાચ પ્રથમવાર એવુ બન્યુ કે 80 જેટલા માછીમારો દિવાળીના દિવસે જ માદરે વતન પહોંચ્યા. વર્ષોથી પરિવારથી દૂર, અનેક યાતનાઓ વચ્ચે પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારો માટે આ દિવાળી મુક્તિની, આઝાદીની દિવાળી બનીને આવી. આ માછીમારો વતન પહોંચતા ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પરિવાર સાથે મિલન થતા જ ત્યાં હાજર સહુ કોઈની આંખો હર્ષના આંસુઓથી ભરાઈ ગઈ હતી. મિલન સમયે આંખોમાંથી દડ-દડ વહેતા આંસુઓએ દર્દની જાણે તમામ દાસ્તાન એક ક્ષણમાં જ અભિવ્યક્ત કરી દીધી હોય એવા દૃશ્યો સર્જાયા હતા.

12 ભારતીય માછીમારોના પાકિસ્તાનની જેલમાં મોત

જો કે આ પરિવારોમાં 12 માછીમારોના એવા હતભાગી પરિવારો પણ છે જેમના સ્વજનો હવે ક્યારેય પાછા નથી આવવાના. પાકિસ્તાનની જેલમાં 12 જેટલા ભારતીય માછીમારોના મૃત્યુ પામ્યા છે આથી આ બાબતે તેમણે સરકારને વિનંતિ કરી છએ કે કેદમાં રહેલા માછીમારોમને યોગ્ય સારવાર અપાવે.

આજે દેશભરમાં દિવાળીની તહેવારની ઉજવણી થઈ રહી છે. ચોમેર હર્ષોલ્લાસ અને આતશબાજીનો માહોલ છે. ત્યારે પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ પામેલા 80 માછીમારો વેરાવળ પહોંચ્યા હતા. સવારથી તેમના પરિવારજનો ચાતક નજરે પોતાનુ સ્વજન ક્યારે પરત આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ત્રણ વર્ષ પાકિસ્તાનની જેલમાં કેદ ભોગવ્યા બાદ થયો છુટકારો

દિવાળીના પર્વની મોડી સાંજે આજે બે સ્પેશિયલ બસ દ્વારા વડોદરાથી વેરાવળ સુધી ફિશરીઝ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા 80 માછીમારોને વેરાવળ લવાયા હતા. તે પૂર્વે તમામ માછીમારોનું વિવિધ સુરક્ષા એજન્સી દ્વારા તપાસ અને પૂછપરછ કરાયા બાદ વેરાવળ પહોંચ્યા હતા. આ સમયે બસમાંથી નીચે ઉતરતાની સાથે જ માછીમારોનું તેમના સ્વજનોએ ‘ભારત માતાકી જય..’ ના નારાઓ સાથે સ્વાગત કર્યુ હતું. અનેક માછીમારો છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાન જેલમાં કેદ હતા. ત્યારે અગાઉ જેમના નામ મુક્ત થવાની યાદીમાં ન હતા તેવા ત્રણ વર્ષ કેદની સજા ભોગવી પાકિસ્તાનથી આજે ભારત પહોંચ્યા હતા. દિવાળીની સાંજે પોતાના સ્વજનોને મળતા હર્ષના આંસુઓ સાથે સૌ ભેટી પડ્યા હતા. ખરા અર્થમાં દિવાળી અને નૂતન વર્ષ માછીમારો ભાઈઓના પરિવારમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ લાવ્યો હતો.

આ પણ વાંચો: જુનાગઢઃ ધારાસભ્ય વિમલ ચુડાસમાને સાંસદથી ખતરાનો આરોપ, પોલીસને આપેલી અરજીમાં સાંસદના સંબંધીનો નામજોગ કર્યો ઉલ્લેખ- વીડિયો

પાકિસ્તાનમાં માછીમારનું મૃત્યુ થાય તો બે-ચાર મહિના બાદ પરિવારજનોને મળે છે મૃતદેહ

માછીમારો જ્યારે પોતાના સ્વજનોને મળ્યા ત્યારે તમામને ફૂલોનો હાર પહેરાવી હર્ષના આંસુઓ સાથે ભેટી દરેકે તેમને આવકાર્યા હતા. બીજી તરફ માછીમાર આગેવાનોએ એવી વેદના વ્યક્ત કરી છે કે પાકિસ્તાન જેલની અંદર બાર જેટલા માછીમારો મોતને ભેટ્યા છે અને તેનું કારણ એવું મનાય છે કે તેઓને પૂરતી યોગ્ય સારવાર અપાતી નથી અને મોતને ભેટે છે. મૃત્યુ થયા બાદ પણ બે ચાર માસ બાદ તેમની લાશ તેમના પરિવારને અંતિમ ક્રિયા માટે મોકલવામાં આવે છે. આ બાબતે ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર બંનેને માછીમારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે પાકિસ્તાનની જેલમાં તેમની સારવાર કરાવાય અને જ્યારે માછીમારનું મૃત્યુ થાય ત્યારે માનવતાના ધોરણે તાકીદે તેમનો મૃતદેહ તેમના સ્વજનોને પહોંચાડવામાં આવે. હજુ 184 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, તેમની પણ જલ્દી મુક્તિ થાય તેવુ તમામ માછી ભાઈઓ ઈચ્છી રહ્યા છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">