Gir somanth: નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનું હિચકારું કૃત્ય, નરાધમની થઈ ધરપકડ

ગીર સોમનાથ(Gir somanath)જિલ્લાના કોડીનારમાં 9 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મની અરેરાટી ભરી ઘટની બની હતી. જોકે આ ઘટનામાં ગણતરીના સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

Gir somanth: નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનું હિચકારું કૃત્ય, નરાધમની થઈ ધરપકડ
Gir somanth: Accused arrested for reckless act of murder after rape of nine year old girl
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 9:42 AM

ગીર સોમનાથ (Gir somnath)જિલ્લાના કોડીનાર (Kodinar)તાલુકાના નાના એવા જાંત્રાખડી ગામમાં બાળકી પર  દુષ્કર્મની  અરેરાટીભરી દુર્ઘટના  બની હતી. નાના ગામમાં આવી ઘટના બનતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.  નાના જાંત્રાખંડી ગામમાં  ગામના જ નરાધમ શામજી સોંલકીએ  9 વર્ષની બાળકીને ઉઠાવી જઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. બાળકીના પરિવારજનો તેમજ સ્વજનો આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગણી  કરી રહ્યા છે.

જિલ્લામાં બનેલી આ ગંભીર  ઘટનાને  પગલે    જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને એએસપી ઓમપ્રકાશ જાટે તુરંત ઘટના સ્થળની મુલાકાત  લીધી અને તપાસનું સૂકાન સંભાળીને  તેમની ટીમ દ્વારા ગણતરીના  કલાકોમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી દારૂનો વ્યસની હતો તેજે તેની પત્ની રિસાઇને પિયરમાં ચાલી ગઈ  હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

શું હતી સમગ્ર ઘટના?

આ ઘટનામાં પોલીસે ગણતરીના સમયમાં જ  આરોપીને ઝડપી લીધો હતો અને ઘટના અંગેની વિગતો જાણી હતી. આરોપીએ જણાવ્યું હતું કે  નાની બાળકી ગામની  બજારમાં વસ્તુ લેવા જઈ રહી હતી ત્યારે  આરોપીએ તેની પાસે બીડી માંગી હતી આરોપીએ મંગાવેલી બીડી લેવા માટે બાળકી રૂમમાં જઇને પાછી આવી ત્યારે આરોપી બાળકીના મોએ ડૂચો મારીને તેને લઈ ગયો હતો અને રૂમમાં જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું.   આટલેથી ન અટકતા   પોતાના ઝઘન્ય  કૃત્યની લોકોને જાણ ન થાય તે માટે  માસૂમ બાળકીની ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી. અને માસૂમ બાળકીના મૃતદેહને  કોથળામાં ભરીને  અવાવરૂ જગ્યાએ નાંખી આવ્યો હતો.  આ આરોપી  શામજી સોલંકી બે બાળકોનો પિતા છે  અને માછીમારીનો વ્યવસાય કરે છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

બાળકીના પિતા દરજીકામ કરે છે  અને મુંબઇમાં રહે છે તેમજ માતા મજૂરીકામ કરતી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી.  કંઇકા કામ માટે બહાર ગયેલી માતાએ  ઘરે આવીને જોયું તો બાળકી ઘરે ન હતી અને  બાળકી ઘણા સમય સુધી ઘરે ન આવતા તેની શોધખોળ હાથ ધરી હતી. અને બાળકીની તપાસ કરતા માતા તથા  ગ્રામજનોને   આ ઘટનાની જાણ થઈ  હતી. બાળકીના અપમૃત્યુને પગલે  તેના પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો . આ ઘટનાની જાણ  બાદ પોલીસે ગણતરીના સમયમાં જ ગામના આરોપી શામજી   સોલંકીની  ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  જોકે  બાળકી પર દુષ્કર્મ ગુજારનારા આરોપી માટે બાળકીના સ્વજનો સહિત ગામના લોકો ફાંસીની સજાની માંગણી કરી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">