AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માવઠાના મારથી ગીરસોમનાથના ખેડૂતો લાચાર, તાલાલા ગીર, હરીપુર, આંકોલવાડી, સૂરવા, ધાવા ગામોમાં કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન- જુઓ Video

Gir Somnath: ગીર સોમનાથમાં માવઠાના મારથી ખેડૂતો લાચાર બન્યા છે. વરસાદી માહોલ અને ભારે પવનના કારણે આંબાના વૃક્ષો જમીનદોસ્ત થયા છે. તાલાલા ગીરના હરીપુર, આંકોલવાડી, સૂરવા, ધાવા, મોરૂકા, હડમતીયા સહિત ઉના, ગીર ગઢડાના મોટાભાગના ગામોના ખેડૂતોની હાલત કફોડી બની છે.

માવઠાના મારથી ગીરસોમનાથના ખેડૂતો લાચાર, તાલાલા ગીર, હરીપુર, આંકોલવાડી, સૂરવા, ધાવા ગામોમાં કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન- જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 9:41 AM
Share

ગીરસોમનાથના ખેડૂતો પર જાણે કુદરતી કોપ ઉતર્યો છે. માવઠાના મારને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યુ છે. માવઠાએ બાગાયતી ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે. છેલ્લા ત્રણ વર્ષથી કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. તાઉતે વાવાઝોડાને કારણે બાગાયતી પાકોનો સોથ બોલી ગયો હતો.

છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદને કારણે ગીરસોમનાથના ખેડૂતો બેઠા નથી થઈ શક્યા અને કેરીના પાકમાં જોઈએ તેવો નફો રળી શક્યા નથી. આ વર્ષે પણ માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. ગત રાત્રે ફુંકાયેલા ભારે પવન સાથે વરસેલા વરસાદે આંબાના વૃક્ષો તેમજ વીજ થાંભલાઓને ભોય ભેગા કરી દીધા છે. ભારે વરસાદમાં મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી છે.

કમોસમી વરસાદને કારણે તાલાલા ગીરના હરિપુર, આંકલવાડી, સૂરવા, ધાવા, મોરૂકા, હડમતીયા સહીત ઊના ગીર ગઢડાની ગીરના મોટા ભાગના ગામોમા જોવા મળી છે. ભારે પવન અને વરસાદના કારણે આંબાના બગીચાઓ ઢળી પડ્યા છે. કેટલાક તૂટી ગયા છે. તો મોટાભાગના આંબા પરથી કેરીઓ ખરી પડી છે. અને ખરી પડેલી કેરી ન તો પાકી શકે છે.ન તો વેચી શકાય છે અને એકાદ દિવસની અંદર તે બગડી જાય છે જેના કારણે ખેડૂતો કરતા અનેક ગણું નુકસાન ઈજારદારોને થયું છે.

આ પણ વાંચો: Gujarati Video: રાજ્યભરમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, જુનાગઢમાં કમોસમી વરસાદમાં 15000 કેરીના બોક્સને વ્યાપક નુકસાન

છેલ્લા પાંચ સાત વર્ષથી કેસર કેરીને કોઈ કુદરતી ગ્રહણ લાગ્યું હોય તેમ જ્યારે કેરીનો પાક તૈયારી પર હોય ત્યારે જ આ સંકટ આવે છે ત્યારે આ વખતે ઇજારદારો કહી રહ્યા છે કે ખેડૂતો તો કેરીના બગીચાઓ લાખો રૂપિયાથી ઇજારદારોને આપી અને નિશ્ચિત બની જાય છે.

આ નુકસાની ખરા અર્થમાં ઈજારદારોને જ હોય છે જેથી સરકાર દ્વારા બગીચાના માલિક ખેડૂતોને નહીં પણ ઇજહારદારોને જ યોગ્ય સહાય ચૂકવાય તો તેઓ પોતાની આજીવિકા ચલાવી શકશે ગઈકાલના કમોસમી તોફાને સમગ્ર ગીર પંથકમાં માત્ર કેસર કેરીને જ કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે જ્યારે અન્ય પાકો તો અલગથી નુકસાન પામ્યા છે ત્યારે બાગાયતી ખેડૂતો અને કેરી ના ઇજારદારો ને વ્યાપક નુકસાન થયૂ છે. સરકાર દ્વારા રાહત પેકેજ ની જાહેરાત કરાઇ છે ત્યારે આંબાવડીયા ધરાવતા બાગાયતી ખેડૂતો ને સરકાર તરફ રાહત ની મિટ મડાઈ છે.

ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી- ગીરસોમનાથ 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">