Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઉનામાં રામનવમી પર્વ પર ભડકાઉ ભાષણનો મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની કરી ધરપકડ

પોલીસ દ્વારા કાજલ હિન્દુસ્તાનીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. રામનવમી પર્વ પર ઉના ધર્મસભાને કાજલ હિન્દુસ્તાનીએ સંબોધી હતી. કાજલ હિન્દૂસ્તાની વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો.

Breaking News : ઉનામાં રામનવમી પર્વ પર ભડકાઉ ભાષણનો મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની કરી ધરપકડ
Follow Us:
| Updated on: Apr 09, 2023 | 2:32 PM

ગીરસોમનાથના ઉનામાં રામનવમી પર્વ નિમીતે ભડકાઉ ભાષણનો મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા કાજલ હિન્દુસ્તાનીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. રામનવમી પર્વ પર ઉના ધર્મસભાને કાજલ હિન્દુસ્તાનીએ સંબોધી હતી. કાજલ હિન્દૂસ્તાની વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો.

આ પણ વાંચો :Girsomnath : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઈન્ડોનેશિયા, લેબેનોન, લિથુઆનિયા, મોરેશિયસ સહિત 16 દેશના પંતગબાજોએ બતાવ્યા કરતબ

આ અગાઉ ગીર સોમનાથના ઉનામાં હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ આપેલા ભાષણને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. રામનવમીના દિવસે યોજાયેલી સભામાં કાજલ હિન્દુસ્તાનીએ જાહેર મંચ પરથી લવ જેહાદ તેમજ લેન્ડ જેહાદ સહિતના મુદ્દે ચોક્કસ સમુદાય પર નિશાન સાધ્યું હતું.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ મુદ્દે સેના બનાવવા આહ્વાન કર્યું હતું. જોકે કાજલ હિન્દુસ્તાનીના ભાષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કાજલના નિવેદન બાદ ઉનામાં એક સમાજે બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને ઉના સજ્જડ બંધ જોવા મળ્યું હતું. આ ઘટનાને પગલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સે દ્વારા ઉના બંધનું એલાન

કાજલના નિવેદનના સમગ્ર ઉનામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. શહેરમાં એક વેપારીની દુકાનમાં કામ કરતા કર્મચારી અને વેપારી વચ્ચે પણ કાજલના ભાષણ મુદ્દે પણ બોલાચાલી થઈ હતી. વિધર્મી કર્મચારી વેપારી માલિક સાથે ગાળાગાળી કરી રસ્તા ઉપર ઉતરી આવ્યો અને તેણે વેપારીને ધમકી પણ આપી હતી. જેના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સે ઉના બંધનું એલાન આપ્યું. બંધને પગલે મોટાભાગની મુખ્ય બજારો બંધ રહી હતી.

પોલીસે કાર્યવાહીની ખાતરી આપતા વિવાદ થાળે પડ્યો

ઉના પોલીસે રામનવમીના સંચાલક અને કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની ખાતરી આપતા સમગ્ર વિવાદ થાળે પડ્યો હતો. નોંધનીય છે કે કાજલ હિન્દુસ્તાની પોતાના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહી હતી. જેની આજે પોલીસે ધરપકડ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">