AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આ રીતે કરાશે 15 થી 18 વર્ષના બાળકોનું ઝડપી રસીકરણ, સરકારે તૈયાર કર્યો સમગ્ર રોડમેપ

ગુજરાત આરોગ્ય વિભાગ જે રીતે પોલિયો રસીકરણનું અભિયાન હાથ ધરે છે તે જ રીતે કોરોના રસીકરણના અભિયાનને સફળ બનાવવા માટે મહેતન કરશે .

ગુજરાતમાં આ રીતે કરાશે 15 થી 18 વર્ષના બાળકોનું ઝડપી રસીકરણ, સરકારે તૈયાર કર્યો સમગ્ર રોડમેપ
Gujarat government prepare For Children Corona Vaccination (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 1:12 PM
Share

ગુજરાતમાં(Gujarat)પણ સમગ્ર દેશની સાથે 15 થી 18 વર્ષના બાળકોને(Children)  કોરોનાથી(Corona) રક્ષણ માટે કોરોના વેક્સિન(Vaccine) આપવાની શરૂઆત થવાની છે. જો કે રાજયના ત્રીજી લહેરની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને 15 થી 18 વર્ષના બાળકોને ઝડપથી રસીનો પ્રથમ ડોઝ કેવી રીતે આપી શકાય તે માટે રોડમેપ તૈયાર કરી લીધો છે.

જેની માટે સરકારે 15થી 18 વર્ષની વયના  બાળકોનો ડેટા તૈયાર કરી દીધો છે. આ અંગે આરોગ્ય કમિશનરના જણાવ્યા અનુસાર આ વયજૂથના મોટાભાગનાં બાળકો સ્કૂલ જતાં હોય છે. જેના પગલે ઝડપી વેક્સિનેશન માટે સ્કૂલોમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

જેમાં સૌ પ્રથમ આ વય જૂથના કિશોરોને રસી આપવા માટે સ્કૂલોમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તબીબોને હાજર રાખવામાં આવશે. આ ઉપરાંત શાળાએ નહિ જતાં બાળકો માટે પણ સરકારે તેમને ઘરે જઇને રસી આપવાની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત જે વાલીઓ બાળકોને હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં બાળકોને રસી અપાવવા માંગે છે તેમની માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ત્રણ જાન્યુઆરીથી સરકારે ઝડપથી બાળકોને રસી તે માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ અંગે આરોગ્ય વિભાગ જે રીતે પોલિયો રસીકરણનું અભિયાન હાથ ધરે છે તે જ રીતે કોરોના રસીકરણના અભિયાનને સફળ બનાવવા માટે મહેતન કરશે .

આ ઉપરાંત 15-18 વર્ષના કિશોરોને રસી લેવા માટે તેમના ઓળખકાર્ડની જરૂર પડશે તે અંગે જણાવતા આરોગ્ય કમિશ્નરે કહ્યું હતું કે તેની માટે સ્કૂલ સર્ટિ કે આઇડી કાર્ડ માન્ય રહેશે. 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણ માટે 1 જાન્યુઆરીથી કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરી શકાશે. જન્મતારીખનો ઉલ્લેખ હોય એવું સ્કૂલના રિઝલ્ટનું કોઈપણ પ્રમાણપત્ર માન્ય રહેશે. તેની સાથે જ સ્કૂલ આઇડી કાર્ડ પણ માન્ય રહેશે.

આ મામલે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે-બાળકો-તરૂણોને ઘરે રૂબરૂ જઈને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. જ્યારે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.વી.એન. શાહનું કહેવું છે કે, રાજ્ય સરકાર રસી માટે ખાનગીકરણને મંજૂરી આપશે.

રાજ્ય સરકારની સપ્લાય ચેઈન ખૂબ જ મજબૂત છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે બાળકોને રસી આપવા માટે જાહેરાત કરી છે.. આ જાહેરાતથી ગુજરાતમાં અંદાજે 35 લાખ જેટલા બાળકોને રસીનો લાભ મળવાનો છે.

કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોનું કહેવું છે કે- બાળકોને કોરોનાથી રક્ષણ આપતી રસી આપવામાં કોઈ મુશ્કેલી નહિ પડે..રાજ્યના આરોગ્ય વિભાગ પાસે પહેલેથી જ રોડમેપ તૈયાર છે..બાળકો પોતાને રસી આપવા માટે પરવાનગી આપી નહીં શકે પણ બાળકોને રસી આપવા માટે માતા-પિતાએ મંજૂરી આપવી જરૂરી છે. બાળકોને રસી અપાવવા માટે વાલીઓએ આગળ આવવું પડશે

આ પણ વાંચો : નવસારીમાં 1 મહિનામાં 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, ઓફલાઈન શિક્ષણના પગલે વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે ટાર્ગેટ

આ પણ વાંચો :  Surat: માત્ર 8 મિનિટમાં ચોર ઠામી ગયો 6 લાખ રૂપિયા, ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના CCTV આવ્યા સામે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">