રાષ્ટ્રપતિ આજે ગુજરાતના પ્રવાસે, સવારે 11 વાગ્યે વિધાનસભામાં સંબોધન કરશે, ગૃહમાં શિસ્ત જાળવવા સુચના

રાષ્ટ્રપતિ વિધાનસભાને સંબોધન કરવા પહોંચે ત્યારે પોલીસ બેંડ દ્વારા રાષ્ટ્રગીતની ધૂન વગાડાશે. આ ઉપરાંત ગૃહમાં શિસ્તનું પાલન કરવા સુચના આપવામાં આવી છે. અધ્યક્ષ નીમાબેન આચાર્ય અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાષ્ટ્રપતિની મુલાકાત માટેની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

રાષ્ટ્રપતિ આજે ગુજરાતના પ્રવાસે, સવારે 11 વાગ્યે વિધાનસભામાં સંબોધન કરશે, ગૃહમાં શિસ્ત જાળવવા સુચના
President Ramnath Kovind (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 7:04 AM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind )24 માર્ચે ગુજરાતના (Gujarat) બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ વિધાનસભામાં (Gujarat Legislative Assembly) સંબોધન કરશે. તથા, 25 માર્ચના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગર (Jamnagar) માં INS વાલસુરા નેવી મથકની મુલાકાત લેશે. નોંધનીય છેકે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ થોડોક ફેરફાર પણ થયો છે. રાષ્ટ્રપતિ દ્વારકાની મુલાકાતે 24 માર્ચે જવાના હતા. પરંતુ, રાષ્ટ્રપતિનો દ્વારકા (Dwarka) પ્રવાસે રદ કરવામાં આવ્યો છે. ગાઉના આયોજન મુજબ રાષ્ટ્રપતિ 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શન કરવા આવવાના હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ રાષ્ટ્રપતિ વિધાનસભામાં સંબોધન કરવાના છે. રાષ્ટ્રપતિની વિધાનસભા મુલાકાતના કારણે ગૂરૂવારે એક બેઠક રદ્દ કરવામાં આવી છે. ગૂરૂવારે બપોરે 1 વાગે વિધાનસભા સક્ષની બેઠક શરૂ થશે. જ્યારે રદ કરાયેલી બેઠક હવે આગામી રદ્દ થયેલી બેઠક મંગળવારે મળશે. રાષ્ટ્રપતિ વિધાનસભાને સંબોધન કરવા પહોંચે ત્યારે પોલીસ બેંડ દ્વારા રાષ્ટ્રગીતની ધૂન વગાડાશે. આ ઉપરાંત ગૃહમાં શિસ્તનું પાલન કરવા સુચના આપવામાં આવી છે. અધ્યક્ષ નીમાબેન આચાર્ય અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાષ્ટ્રપતિની મુલાકાત માટેની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

25 માર્ચે રામનાથ કોવિંદ જામનગરની મુલાકાતે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 માર્ચે જામનગરની મુલાકાત લેશે. જ્યાં ઇન્ડિયન નવલ શિપ વાલસુરાને ‘પ્રેસિડેન્ટ્સ કલર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માનના કાર્યક્રમ દરમિયાન 150 જવાનો દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી સહિતના લોકો ઉપસ્થિત રહેનાર છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાષ્ટ્રપતિનો કાર્યક્રમ 

  1. 24 માર્ચ- સવારે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
  2. 24 માર્ચ- સવારે 10:00 કલાકે રાજ ભવન પહોંચશે
  3. 24 માર્ચ- 10.50 કલાકે ગુજરાત વિધાનસભા પહોંચશે
  4. 24 માર્ચ-11 વાગ્યાથી 11.40 સુધી વિધાનસભાની મુલાકાતે
  5. 24 માર્ચ- 15-20 મિનિટનું સંબોધન કરશે
  6. 24 માર્ચ- 11.45 કલાકે રાજભવન પરત ફરશે
  7. 24 માર્ચ-રાજભવનમાં જ રાત્રી રોકાણ કરશે
  8. 25 માર્ચ- સવારે 7.55 કલાકે અમદાવાદથી જામનગર રવાના થશે
  9. 25 માર્ચ- સવારે 9 કલાકે જામનગર એરપોર્ટ પહોંચશે
  10. 25 માર્ચ-9.30 કલાકે INS વાલસૂરા પહોંચશે
  11. 25 માર્ચ- 12 વાગ્યા સુધી INS વાલસૂરા ખાતે નૌ સેનાના કાર્યક્રમમાં હાજર રહેશે
  12. 25 માર્ચ- 12.20 કલાકે જામનગરથી દિલ્હી જવા રવાના થશે

આ પણ વાંચોઃ Ahmedabad: 12 વર્ષ પહેલાં નાના કાર્યક્રમથી શરૂ કરાયેલી ‘વીરાંજલી’એ આજે સમગ્ર અમદાવાદને મંત્રમુગ્ધ કરી દીધું

આ પણ વાંચોઃ Ahmedabad: કોતરપુર વોટર પ્લાન્ટનું 26 માર્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરાશે લોકાર્પણ

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">