AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઓપરેશન સિંદૂર વચ્ચે GPSCની પરીક્ષાને લઇ મોટા સમાચાર, દરેક લોકો વાંચી લેજો

ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવ અને ઓપરેશન સિંધુરના પગલે, ઘણી પરીક્ષાઓમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. જો કે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા 11 મેના રોજ યોજાનારી Assistant Environment Engineer (GPCB), Class-2 પરીક્ષા યથાવત રહેશે તેમ GPSC અધ્યક્ષે જાહેરાત કરી છે.

Breaking News : ઓપરેશન સિંદૂર વચ્ચે GPSCની પરીક્ષાને લઇ મોટા સમાચાર, દરેક લોકો વાંચી લેજો
Follow Us:
| Updated on: May 10, 2025 | 1:42 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવભરેલી સ્થિતિના પગલે, ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં વિવિધ પરીક્ષાઓના આયોજનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે. આ સંજોગોમાં, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા યોજાયેલી પરીક્ષાઓ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

ઓપરેશન સિંદૂર અને પરીક્ષાઓ પર તેનો પ્રભાવ

ઓપરેશન સિંદૂર, જે ભારત દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાની અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલ હવાઈ હુમલાઓનો સંદર્ભ છે, તે દેશની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ પરીક્ષાઓના આયોજનમાં ફેરફારો લાવ્યા છે. ઉદાહરણ તરીકે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા મે 2025માં યોજાનારી CA પરીક્ષાઓને સ્થગિત કરવામાં આવી છે . જોકે 11 તારીખે યોજાનાર GPSC ની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.

સારા તેંડુલકરે પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી !
વિરાટ અને રોહિતનું ગજબ કનેક્શન, એકસમાન રેકોર્ડ અને નિર્ણયનો વિચિત્ર સંયોગ
Jioનો ડેટા વગરનો પ્લાન, 1 વર્ષ સુધી સીમકાર્ડ રહેશે એક્ટિવ
Uric Acid વધે ત્યારે ખાલી પેટ શું ખાવું?
જુડવા બાળકોની માતા 50 વર્ષની અભિનેત્રી, જુઓ પરિવાર
શું મીઠા દહીંના સેવનથી સુગર લેવલ વધે છે?

GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે મોટી જાહેરાત કરતાં X પર લખ્યું છે કે, “ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવતી કાલે લેવાતી પરીક્ષા યથાવત રહેશે.”

જણાવી દઈએ કે રાજ્યમાં 11 મે, રવિવારના રોજ GPSC દ્વારા Assistant Environment Engineer (GPCB), Class-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના 405 પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષા લેવાશે.

પરીક્ષાના ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહી પેક કરવામાં આવશે, ત્યારબાદ તેમની સહી લેવામાં આવશે. પેકિંગની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ ઉમેદવારોને કેન્દ્રમાંથી બહાર જવા દેવામાં આવશે.

ઉમેદવારો માટે સૂચના

GPSC દ્વારા હજુ સુધી કોઈ પરીક્ષાઓને સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી નથી. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ GPSCની સત્તાવાર વેબસાઇટ અને અન્ય સત્તાવાર ચેનલો દ્વારા અપડેટ્સ મેળવતા રહે. સાથે જ, સોશિયલ મીડિયા પર ફેલાતા અફવાઓથી સાવધાન રહેવું જરૂરી છે, કારણ કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા પણ એક નકલી નોટિસ અંગે ચેતવણી આપવામાં આવી છે, જેમાં તમામ યુનિવર્સિટી પરીક્ષાઓ રદ કરવામાં આવી હોવાનું ખોટું દાવો કરવામાં આવ્યો હતો .

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">