Monsoon 2023: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 100 ટકા ભરાયો, 90 જળાશય હાઈ એલર્ટ પર

ગુજરાતમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે.

Monsoon 2023: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 100 ટકા ભરાયો, 90 જળાશય હાઈ એલર્ટ પર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 2:45 PM

Monsoon 2023 : ગુજરાતમાં સપ્ટેમ્બર માસના ચોમાસાના રાઉન્ડમાં જળાશયોમાં (water reservoirs) પાણીની સારી એવી આવક થઈ છે. રાજ્યની મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 93.30 ટકા જળસંગ્રહ થયો છે તો 90 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થતા ડેમ હાઈ એલર્ટ પર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ (Narmada Dam) પણ છલોછલ ભરાઇ ગયો છે.

આ પણ વાંચો –Anand Rain : બોરસદના ગાજણા ગામે મહિસાગર નદીમાં 13 લોકો ફસાયા, ઝાડ પર બેસવા લોકો મજબૂર, જુઓ Video

ગુજરાતમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે.

207 જળ પરિયોજનાઓમાં 93.30 ટકા જેટલો જળસંગ્રહ

ગાંધીનગરમાં આવેલા સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં જણાવ્યા અનુસાર 18 સપ્ટેમ્બર 2023ની સ્થિતિએ રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.30 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં 3,34,080 MCFT જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 100 ટકા જેટલો નોધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના અન્ય 206 જળ પરિયોજનાઓમાં 4,98,312 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 89.29 ટકા જેટલો નોંધાયો છે.

28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્યભરના કુલ 28 જળાશયોમાં (સરદાર સરોવર સહિત) 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. 100 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ, 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ, 14 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં 75.67 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 92.11 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 95.89 ટકા, કચ્છના 20 જળાશયોમાં 59.53 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 78.77 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 27 જળાશયો

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 27 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 63 જળાશયો મળી કુલ 90 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 28 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 20 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
23 સપ્ટેમ્બરથી અંબાજી મેળાનો થશે પ્રારંભ, તંત્ર એક્શનમાં
23 સપ્ટેમ્બરથી અંબાજી મેળાનો થશે પ્રારંભ, તંત્ર એક્શનમાં
સ્નાતકોને આઈટી ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
સ્નાતકોને આઈટી ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
અંબાલાલ પટેલે વ્યક્ત કરી વાવાઝોડાની આગાહી, 12 ઓક્ટો સુધીમા ત્રાટકી શકે
અંબાલાલ પટેલે વ્યક્ત કરી વાવાઝોડાની આગાહી, 12 ઓક્ટો સુધીમા ત્રાટકી શકે
ડૉક્ટર સાથે મારામારી કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું
ડૉક્ટર સાથે મારામારી કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મનપા ચિંતિત
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મનપા ચિંતિત