ખેલૈયાઓ માટે સારા સમાચાર,અમદાવાદના જીએમડીસીની ગ્રાઉન્ડમાં થશે ગરબાનું આયોજન
ગુજરાતમાં આ વર્ષે રાજ્ય સરકાર નવરાત્રી દરમ્યાન અમદાવાદના જીએમડીસીની ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરશે.

Ahmedabad GMDC
ગુજરાતમાં (Gujarat) આ વર્ષે રાજ્ય સરકાર નવરાત્રી(Navratri 2022) દરમ્યાન અમદાવાદના(Ahmedabad) જીએમડીસીની ગ્રાઉન્ડમાં ગરબાનું (Garba) આયોજન કરશે. બે વર્ષ બાદ ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમી શકશે. અમદાવાદ ઉપરાંત અંબાજી અને બહુચરાજીમાં પણ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન થશે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રીનું ભવ્ય આયોજન થઈ નથી શક્યું.. આ વખતે કોરોનાના કેસ ઘટી જતાં આ નિર્ણય કરાયો છે. ખેલૈયાઓ પણ હવે નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે.ગુજરાતમાં ફરી એકવાર ધામધૂમપૂર્વક નવરાત્રીનું આયોજન થશે.