Gujarat Election : ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી લડશે ચૂંટણી, અરવિંદ કેજરીવાલની જાહેરાત

આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. આ અંગે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી

Gujarat Election : ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી લડશે ચૂંટણી, અરવિંદ કેજરીવાલની જાહેરાત
Isudan GadhviImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 5:13 PM

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. આ અંગે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ CMના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામ ઉપર મહોર મારી છે.  4 નવેમ્બરે અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી હતી.

પત્રકાર પરિષદમાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે  અમે ગુજરાતની જનતાનો મત જાણીને ઇસુદાન ગઢવીના નામ ઉપર પસંદગી ઉતારી છે. ઇસુદાન ગઢવીના નામની જાહેરાત બાદ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનથી માંડીને ગોપાલ ઇટાલિયા તેમજ આપના કાર્યકર્તાઓએ  ઇસુદાનને અભિનંદન પાઠવ્યા હતા.  અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે  અમે નાગરિકોને સોશિયલ મીડિયા દ્વારા  સીએમ પદના ઉમેદવાર  માટે મત વ્યક્ત કરવા માટે જણાવ્યું હતું કે ત્યારે અમારા પોલમાં કુલ  73 ટકા જનતાએ  ઇસુદાનના નામને પસંદ કર્યું હતું. આથી અમે આમ આદમી પાર્ટીના  સીએમ પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામ પર મહોર મારી છે. ઈસુદાન ગઢવીને  અગાઉ આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય સહ-મહામંત્રીનું પદ  આપેલું છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું  ગુજરાતના ઇતિહાસમાં મહત્વનો દિવસ

અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કહયું હતું કે  આજે ગુજરાતના ઈતિહાસ માટે મહત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે.આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે. અમે રૂમમાં બેસી નક્કી નથી કરતા કે સીએમ કોણ હશે. પંજાબમાં પણ સામાન્ય જનતાએ જ પોતાનો સીએમ પસંદ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે ગુજરાતના તમામ સરવે ખોટા પડશે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજકારણમાં શોખથી નથી આવ્યો પરંતુ મજબૂરી :  ઈસુદાન ગઢવી

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને સીએમ પદનો ચહેરો જાહેર કર્યા  છે.. અમદાવાદમાં દિલ્લીના સીએમ અને પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીને સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. CM પદના ઉમેદવાર જાહેર થયા બાદ ઈસુદાન ગઢવી સાથે ટીવીનાઇને વિશેષ મુલાકાત કરી હતી. જેમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજકારણમાં શોખથી નથી આવ્યો પરંતુ મજબૂરી છે. લોકોની સમસ્યાઓ જોયા બાદ તેને ઉકેલવાની સંકલ્પ સાથે રાજકારણ આવ્યો છું. સંઘર્ષ ખૂબ છે. મુદ્દાની રાજનીતિનો નવો વિકલ્પ અરવિંદ કેજરીવાલ મળ્યા અને તેમની મુલાકાત બાદ મે રાજનીતિમાં આવવાનો વિચાર કર્યો અને રાજકારણમાં પ્રવેશ કર્યો. આજે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની એમ પહેલા દિવસથી વીજ બીલ માફ કર્યું છે. જો કોંગ્રેસ અને ભાજપ હોત તો આ કામ સાડા ચાર વર્ષ બાદ કર્યું હોત અમારામાં અને એમનામાં આજ ફરક છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">