Gujarat માં કોરોનાના નવા 140 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં 79 કેસ
ગુજરાતમાં હાલ કોરોનાના (Corona) એક્ટિવ કેસની સંખ્યા 778 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી દર 99. 04 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 66 દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતમાં (Gujarat) કોરોના (Corona) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ 100 થી ઉપર નોંધાયા છે. જેમાં આજે 12 જૂનના રોજ કોરોનાના નવા 140 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધારે 79 કેસ અમદાવાદમાં (Ahmedabad) નોંધાયા છે. જ્યારે વડોદરા 21,સુરત 11, ગાંધીનગરમાં 05, મહેસાણા 02, કચ્છ 03, રાજકોટ 02, સાબરકાંઠા 03, અમદાવાદ જિલ્લામાં 02, ભાવનગર 02 , ગીર સોમનાથ 02, સુરત જિલ્લામાં 02, ગાંધીનગર જિલ્લામાં 01, ખેડા 01 અને પાટણમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 778 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી દર 99. 04 ટકા થયો છે. તેમજ કોરોનાથી 66 દર્દીઓ સાજા થયા છે.
જેમાં રાજ્યમાં 11 જૂનના રોજ નવા 154 કેસ નોંધાયા હતા . જેમાં રાજ્યમા કોરોનાનો સૌથી વધુ 80 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. તેમજ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ 608 પર પહોંચી હતી. રાજ્યમાં પાછલા 15 દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે.
રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર કોરોના પોઝિટિવ
રાજ્યમાં ફરી કોરોના માથું ઉંચકી રહ્યો છે. ધીમે ધીમે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ગુજરાતના મુખ્ય સચિવ ને પણ કોરોના થયો છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર કોરોના પોઝિટિવ આવ્યા છે. જેના પગલે તેઓ ઘરમાં જ આઇસોલેટ થઈ ગયા છે અને ઘરમાં જ સારવાર લઇ રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોના વઘતા એલર્ટ
ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં ધીમી ગતીથી થતો વધારો ચિંતાનું કારણ છે.. આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એલર્ટ થયુ છે.
AMC તરફથી શહેરીજનોને માસ્ક ફરી ફરજીયાત કરવા સૂચના આપી છે. હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે. કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે. આ સાથે વિચારણા કરાઇ રહી છે.. સામાજિક અંતરનું યોગ્ય પાલન કરવા પણ આગામી દિવસોમાં AMC ઝુંબેશ શરૂ કરી શકે છે.