AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય, ઉત્તર ગુજરાતના બે તાલુકાના 74 તળાવોને પાણીથી ભરવામાં આવશે

Gandhinagar: રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે વધુ ખેડૂતોના હિતમાં વધુ એક નિર્ણય લીધો છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણી માટે કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાને રાખી ઉત્તરગુજરાતના બે તાલુકાના 74 તળાવોને સાબરમતી જળાશય ધરોઈ બંધના પાણીથી ભરવામાં આવશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: May 14, 2023 | 7:22 PM
Share

રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર ખેડૂતોના હિતલક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂતોને સિંચાઈના પાણી માટે મુશ્કેલી ન પડે તેને ધ્યાને રાખી ઉત્તર ગુજરાતના બે તાલુકાના 74 તળાવોને સાબરમતી જળાશય ધરોઈ બંધના પાણીથી ભરવામાં આવશે. આ તળાવો ભરવાથી 5800 હેક્ટર જમીનમાં ખેતી કરતા 2700 ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. 317 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 118 કિલોમીટર લંબાઈની પાઈપલાઈન તળાવો અને ચેકડેમ ભરવા માટે નાખવામાં આવશે.

ઉત્તર ગુજરતના 74 તળાવોને ભરવાનો નિર્ણય

ઉત્તર ગુજરાતના બે તાલુકા જેમાં સતલાસણા અને ખેરાલુના 53 ગામોના તળાવો અને ચેકડેમ મળી કુલ 74 તળાવો, ચેકડેમ સાબરમતી જળાશયથી ભરવાનો ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ખાતે સાબરમતી નદી પર બાંધવામાં આવેલા ધરોઈ બંધના કમાન્ડ એરિયાની ભૌગોલિક સ્થિતિ મુજબ આ બે તાલુકાના 37 ગામનો સમાવેશ કમાંડ એરિયામાં થઈ શક્યો નથી. આ તાલુકાઓના ખેડૂતો મુખ્યત્વે પશુપાલન અને ખેતી આધારિત રોજગારી મેળવે છે.

આ વિસ્તારમાં વરસાદની અનિયમિતતાના કારણે ભૂગર્ભ જળસ્તર પણ ઊંડા ઊતરી ગયા છે. એટલું જ નહિ, સિંચાઇ અને પશુપાલન માટે તેમને પૂરતું પાણી મળી શકતું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમસ્યાના નિવારણ માટે આ વિસ્તારોના ખેડૂતો અને આગેવાનોએ કરેલી રજૂઆતોનો તેમણે સકારાત્મક અને સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

317 કરોડના ખર્ચે 118.14 કિમી લાંબી પાઈપલાઈન નખાશે

મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ધરોઈ બંધના પાણીના આ બે તાલુકાના ગામોમાં ઉપયોગ માટે નવીન પાઈપલાઈન નાખીને ખેરાલુ તથા સતલાસણા તાલુકાના તળાવો ભરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેરાલુ અને સતલાસણા તાલુકાના આશરે 53 ગામોના તળાવો અને 8 ચેકડેમને સીધા જોડાણથી તથા 8 તળાવો અને 5 ચેકડેમને પરોક્ષ રીતે એમ કુલ 74 તળાવો-ચેકડેમ દ્વારા 5808 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપી શકાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં પાક નુકસાની સરવેને લઈ કિસાન કોંગ્રેસના સવાલ, નુકસાની થઈ તેવા ખેડૂતો યાદીમાંથી બાકાત હોવાના આક્ષેપ, જુઓ Video

આ હેતુસર વિસ્તરણ પાઈપલાઈન સાથે કુલ 118.14 કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવામાં આવશે તથા બે તાલુકાના 2700 થી વધુ ખેડૂતોને સિંચાઈ સુવિધા આપવાના આયોજન માટે રાજ્ય સરકાર 317 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ તળાવો ધરોઈ બંધના પાણીથી તબક્કાવાર ભરવા માટે કુલ 400 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો આ જળાશયમાંથી લેવામાં આવશે.

ગુજરાત સહિત  ગાંધીનગર શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">