Gandhinagar : ગુજરાત કરાર આધારિત કર્મચારી મહાસંઘનું વાર્ષિક અધિવેશન યોજાયું, જૂની પેન્શન યોજનાનો લાભ સહિતના મુદ્દે આંદોલનના કાર્યક્રમો નક્કી થયા
ગુજરાત (Gujarat) કરાર આધારિત રોજમદાર કર્મચારી મહા સંઘનું ગાંધીનગર માણસા રોડ પર અધિવેશન યોજાયું. જે અધિવેશનમાં રાજ્યના વિવિધ વિભાગના સભ્યો અને આગેવાનો હાજર રહ્યા. આ અધિવેશનમાં કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે થઈ ચર્ચા અને કર્મચારીઓને પડતી હાલાકી અને પ્રશ્નો અંગે ચર્ચા કરી.
ગુજરાતમાં(Gujarat)કરાર આધારિત કર્મચારી(Contract Employee) તેમની માંગને લઈને ઘણા સમયથી લડત લડી રહ્યા છે. તેમજ આંદોલન (Protest)અને વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. એટલું જ નહીં પણ કર્મચારીઓએ વિવિધ નેતાઓને રજુઆત પણ કરી. જોકે તેમ છતાં પ્રશ્નનો નિકાલ નહિ આવતા આજે ગુજરાત કરાર આધારિત રોજમદાર કર્મચારી મહા સંઘનું ગાંધીનગર માણસા રોડ પર અધિવેશન યોજાયું. જે અધિવેશનમાં રાજ્યના વિવિધ વિભાગના સભ્યો અને આગેવાનો હાજર રહ્યા. આ અધિવેશનમાં કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે થઈ ચર્ચા અને કર્મચારીઓને પડતી હાલાકી અને પ્રશ્નો અંગે ચર્ચા કરી. જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓએ તેમને લગતા પ્રશ્નો રજૂ કર્યા. ઉલ્લેખનીય છે કે કર્મચારીઓએ અગાઉ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ. મુખ્યમંત્રી સહિત વિવિધ નેતા અને લોકોને રજુઆત કરવા છતાં નિવેડો નહિ આવતા આ બેઠક બોલાવી પડી. જે બેઠકમાં આગામી આંદોલનની ચર્ચા કરાઈ. તેમજ આગામી દિવસમાં ધરણા કરવા. રેલી કરવા જેવા કાર્યક્રમ પણ નક્કી કરાયા. જે બેઠક પૂર્ણ થયા બાદ કાર્યક્રમોની તારીખ જાહેર કરાશે.
એટલું જ નહીં પણ લડત આપી રહેલા કર્મચારીઓએ એ પણ જણાવ્યું કે સરકાર કોઈ નિવેડો નહિ લાવે તો આગામી ચૂંટણીમાં વોટ નહિ કરી તેઓ વિરોધ કરશે. અને તેમની માંગ પુરી નહિ કરનારને તેઓ ઘર ભેગા કરશે. કેમ કે 6 લાખ કરાર આધારિત કર્મચારીઓનો પ્રશ્ન છે જેના મુદ્દે કર્મચારી લડી લેવાના મૂળમાં છે.
અધિવેશનમાં ચર્ચા થયેલા કર્મચારીઓના મુદ્દાઓ
- તમામ કર્મચારીઓ ને સમાન કામ સમાન વેતન નો લાભ મળે
- કાયમી કર્મચારીને મળતા તમામ લાભો મળી રહે
- કોઈપણ કર્મચારીને કારણ વગર ફરજ દરમ્યાન બરતરફ કરવામાં ન આવે.
- વર્ગ ચારના કર્મચારીઓની સુરક્ષા સાથે સન્માન મળે
- કર્મચારીઓને મળતા રજા બદલી – બઢતી આરોગ્યની સવલતો
જૂની પેન્શન યોજનાનો લાભ, એલટીસીનો લાભ તેમજ તમામ પ્રકારના લાભ જેવા કે પગાર પંચ, બોનસ , વિશેષમાં પેશગી લોન લોન તેવી સવલતો પણ સરળતાથી મળી રહે અંગેનો પ્રયાસ. કર્મચારીઓનો સમયગાળો નિશ્ચિત હોવો જોઈએ. આકસ્મિત વીમા અને જો કોઈ કિસ્સામાં કર્મચારીમાં થાય તો કર્મચારીને મળતા તમામ લાભો મળવા જોઈએ. સરકાર દ્વારા આયોગ કે નિગમ બનાવવામાં આવે અને ચોક્કસ સમિતિની રચના કરીને કર્મચારીઓને કાયમી પણ કરવામાં આવે તેવી જોગવાઈ ઊભી થાય તે અંગેના કાયદાઓ સાથેનો ઠોસ નક્કર પ્રયાસ કરવામાં આવશે.