Gujarat માં કોરોનાના 154 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 704 એ પહોંચી

ગુજરાતમાં ફરી કોરોનાના(Corona) કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં ધીમી ગતીથી થતો વધારો ચિંતાનું કારણ છે

Gujarat માં કોરોનાના 154 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 704 એ પહોંચી
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 8:26 PM

ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ચોથા દિવસે પણ વધારો નોંધાયો છે. જેમાં રાજ્યમાં 11 જૂનના રોજ નવા 154 કેસ નોંધાયા છે. જેમાં રાજ્યમા કોરોનાનો સૌથી વધુ 80 કેસ અમદાવાદમાં નોંધાયા છે. વડોદરા 22, સુરત 12, વડોદરા જિલ્લામાં 11, ગાંધીનગર 05, રાજકોટ 04, મહેસાણા 03, સુરત જિલ્લામાં 03, વલસાડમાં 03,અમદાવાદ જિલ્લામાં 02, આણંદ 02, ભરૂચ 02, ભાવનગર 02, કચ્છ 02 અને ખેડામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 704એ પહોંચી છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 58 દર્દીઓ સાજા થયા છે.

સૌથી વધુ કેસ અમદાવાદમાં  80 નોંધાયા

જ્યારે જોવા જઇએ તો જેમાં 10  જૂનના રોજ કોરોનાના નવા 143  કેસ નોંધાયા હતા. તેમજ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ 608  પ ર પહોંચી હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12, 14, 463   હજારથી વધારે દર્દીઓ કોરોના સામે જંગ જીતી ચુક્યા છે. જ્યારે 10,945 લોકોના કોરોનાથી નિધન થયા છે. રાજ્યમાં પાછલા 15 દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોના વઘતા એલર્ટ

ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં ધીમી ગતીથી થતો વધારો ચિંતાનું કારણ છે.. આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એલર્ટ થયુ છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

AMC તરફથી શહેરીજનોને માસ્ક ફરી ફરજીયાત કરવા સૂચના આપી છે. હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે. કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે. આ સાથે વિચારણા કરાઇ રહી છે.. સામાજિક અંતરનું યોગ્ય પાલન કરવા પણ આગામી દિવસોમાં AMC ઝુંબેશ શરૂ કરી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">