પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા આમને સામને, આક્ષેપો-પ્રતિઆક્ષેપોથી રાજકારણ ગરમાયું

અર્જુન મોઢવાડિયાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે સુરતની જમીન બાબતે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનો જવાબ આપવા માટે રૂપાણીએ આજે ગાંધીનગરમાં એક પ્રેસકોન્ફરન્સ કરીને તેમની સામે કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવ્યું છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા આમને સામને, આક્ષેપો-પ્રતિઆક્ષેપોથી રાજકારણ ગરમાયું
Former Chief Minister Rupani and Arjun Modhwadia confronted
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 3:14 PM

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)  નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક બીજા પર આક્ષેપો કરવાનું અને આક્ષેપો ખોટા ગણાવવાનું શરૂ થઈ ગયું છે. હાલમાં જ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) એ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Former Chief Minister Rupani) સામે સુરત (Surat) ની જમીન બાબતે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનો જવાબ આપવા માટે રૂપાણીએ આજે ગાંધીનગરમાં એક પ્રેસકોન્ફરન્સ કરીને તેમની સામે કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવ્યું છે.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે સુરતમાં વિકાસ નકશામાં ખોટી રીતે ફેરફાર કરીને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 27 હજાર કરોડોના ભ્રષ્ટાચારને અંજામ આપ્યો હતો. અર્જુન મોઢવાડિયાએ સીધો આરોપ લગાવ્યો કે વિજય રૂપાણીએ સત્તાનો દૂરઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કર્યો હતો. તો વિજય રૂપાણીએ પણ વળતો પ્રહાર કર્યો છે અને અર્જુન મોઢવાડિયાના આરોપો ફગાવી દેતાં એમ કહ્યું છે કે તેઓએ સરકારના 27 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે.

મોઢવાડિયાઓ આક્ષેપ કરતાં કહ્યું હતું કે વિજય રૂપાણીએ કોઇપણ ભલામણ વગર સલાહકાર સમિતિની રચના કરી હતી અને એક પાનાનો ઓર્ડર કરીને 50 ટકા જમીન બિલ્ડરોને પધરાવી દીધી હતી. આની સામે વિજય રૂપાણીએ દાવો કર્યો કે તે પોતે સાચા છે અને કોંગ્રેસ અભ્યાસ કર્યા વિના આક્ષેપો લગાવી રહી છે. સાથે જ અર્જુન મોઢવાડિયા હકિકતનો અભ્યાસ વિના વાત કરતા હોવાનું રૂપાણીએ કહ્યું હતું.

આ પણ વાંચો

જોકે આરોપ પ્રત્યાઆરોપ બાદ અર્જુન મોઢવાડિયાએ પડકાર ફેંક્યો કે ભાજપ તેમના સવાલનો જવાબ આપે અને આરોપો જો ખોટા હોય તો વિજય રૂપાણી તેમને નોટિસ ફટકારે. બીજી બાજુ વિજય રૂપાણીએ મોઢવાડિયાના આક્ષેપોને પ્રતિષ્ઠા પર પ્રહાર ગણાવ્યો હતો અને કોંગ્રેસ તેમની વધતી લોકપ્રિયતાથી પરેશાન હોવાનો દાવો કર્યો હતો. આ બે  નેતાઓ આમને સામને આવી જતાં ગુજરાતમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે અને આ બાબતે હજુ વધુ પડઘા પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">