CM રૂપાણીએ લીધા DDO અને કલેકટરના કલાસ, લોકસેવક તરીકેની મળેલી જવાબદારી નિષ્ઠા-ઈમાનદારીથી નિભાવવા કરી ટકોર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે જિલ્લાતંત્રના વડા તરીકે તમારા પરફોર્મન્સ-ડિલીવરીઝના આધાર ઉપર પ્રજા માનસમાં ગુડ ગર્વનન્સની સરકારની છબી-પરસેપ્શન બને છે.

CM રૂપાણીએ લીધા DDO અને કલેકટરના કલાસ, લોકસેવક તરીકેની મળેલી જવાબદારી નિષ્ઠા-ઈમાનદારીથી નિભાવવા કરી ટકોર
CM વિજય રૂપાણીએ રાજ્યભરના કલેકટર અને DDOની સાથે બેઠક યોજી
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 28, 2021 | 6:25 PM

Gandhinagar: ગાંધીનગર ખાતે આજે રાજ્યભરના કલેકટર અને DDOની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના CM વિજય રૂપાણી (CM Vijay Rupani)એ IAS અધિકારીઓને લોકસેવક તરીકે મળેલી જવાબદારીને નિષ્ઠા-ઈમાનદારીથી નિભાવવાનું સૂચક નિવેદન કર્યું હતું. મહત્વનું છે કે કોરોનાકાળમાં વહીવટી તંત્રની બેદરકારી ના કારણે જ્યાં એક તરફ લોકો પરેશાન થયા છે, ત્યાં બીજી તરફ સરકારની છબી ખરડાઈ છે. તેવામાં ગત સપ્તાહે મોટાપાયે બદલી બાદ આજે યોજાયેલી કોન્ફરન્સમાં મુખ્યપ્રધાનના આ નિવેદનને ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે જિલ્લાતંત્રના વડા તરીકે તમારા પરફોર્મન્સ-ડિલીવરીઝના આધાર ઉપર પ્રજા માનસમાં ગુડ ગર્વનન્સની સરકારની છબી-પરસેપ્શન બને છે. ત્યારે સંવેદનશીલતા સાથે પેન્ડીંગ કામો પૂરા કરવા, માથે લઈને કામ કરવા, ઝિરો ટોલરન્સ અગેઈન્સ્ટ કરપ્શનના અભિગમની સાથે કામગીરી કરવાની સલાહ પણ આપી હતી. મહત્વનું છે કે આજની કોન્ફરન્સમાં ટેકનોલોજીના ઉપયોગથી જનહિત-લોકસેવાના કામ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ત્યારે DyCM નીતિન પટેલ દ્વારા અધિકારીઓને ફિલ્ડ વિઝીટ પર સતત ભાર મૂકવામાં આવ્યું. તેમજ ફિલ્ડ વિઝીટ દરમ્યાન તેમના જિલ્લામાં ચાલતા કે પ્રગતિ હેઠળના વિકાસ કામો, માર્ગ-મકાનના કામો, CHC, PHC, સ્વચ્છતા અભિયાનના કામોની ઓચિંતી મૂલાકાત લઈ ગુણવત્તાની અને કામગીરીની સમયાંતરે તપાસ કરતા રહેશે તો પણ સંબંધિત વિભાગોની સતર્કતા-સજ્જતા વધશે તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022ને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે. ત્યારે વહીવટી વિભાગની ચુકથી વર્તમાન સરકારને નુકસાન થઈ શકે એમ છે. એના જ કારણે હાલમાં પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: SURAT : આગામી વિધાનસભા ચૂંટણીનું એપીસેન્ટર બનશે સુરત ? શું AAP પક્ષનો વધ્યો દબદબો ?

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">