AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ, માનસિક તણાવમાં પગલુ ભર્યુ હોવાનું અનુમાન

સુરત (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ થઇ રહ્યો છે. મહિલા તબીબે માનસિક તણાવમાં આ પગલુ ભર્યુ હોવાનું અનુમાન છે.

Breaking News : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ, માનસિક તણાવમાં પગલુ ભર્યુ હોવાનું અનુમાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 6:12 PM
Share

સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ થઇ રહ્યો છે. મહિલા તબીબે માનસિક તણાવમાં આ પગલુ ભર્યુ હોવાનું અનુમાન છે. 26 વર્ષીય તબીબએ દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. મહિલા તબીબને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ અકબંધ

સુરત નવી સિવિલ હોસ્પિટલની મહિલા તબીબે કરેલા આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. મહિલા તબીબ મૂળ બનાસકાંઠાના વતની હોવાનું સામે આવ્યુ છે. મહિલાના આપઘાતનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક તણાવમાં મહિલા તબીબે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

ઘટનાને પગલે રેસીડેન્સ ડોક્ટર્સમાં ભાગદોડ

મૂળ બનાસકાંઠાના વતની સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ તબીબી તરીકે ફરજ બજાવતા પવનબેન ચૌધરીએ આજરોજ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને લઈ રેસીડેન્સ ડોક્ટરોમાં ભાગદોડ મચી ગઈ હતી. તબીબી પવન ચૌધરીને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. પવન ચૌધરી માનસિક તણાવમાં રહેતી હતી.

પોલીસ તપાસ બાદ આપઘાતનું સાચુ કારણ બહાર આવી શકે

માનસિક તણાવમાં દવા પી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ તો મહિલા તબીબને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના ICUમાં ખસેડાઈ છે. ઘટનાની જાણ થતા જ સુરત પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને  સમગ્ર મામલે તપાસ શરુ કરી ગતી. હવે  મહિલા તબીબે કયા કારણોસર આપઘાત નો પ્રયાસ કર્યો છે પોલીસ તપાસ બાદ બહાર આવશે.

સુરતમાં વધુ એક આપઘાતના પ્રયાસની ઘટના

બીજી તરફ સુરતમાં વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા હિંમત વડાલીયાએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હિંમત વડાલીયાએ આક્ષેપ કર્યા હતા કે એક યુવક પાસેથી વ્યાજે લીધેલા નાણાંના કારણે પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા ફીનાઇલ પી લીધુ હતુ. હાલમાં હિંમત ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Follow Us
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
g clip-path="url(#clip0_868_265)">