AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ, માનસિક તણાવમાં પગલુ ભર્યુ હોવાનું અનુમાન

સુરત (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ થઇ રહ્યો છે. મહિલા તબીબે માનસિક તણાવમાં આ પગલુ ભર્યુ હોવાનું અનુમાન છે.

Breaking News : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ, માનસિક તણાવમાં પગલુ ભર્યુ હોવાનું અનુમાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 6:12 PM
Share

સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ થઇ રહ્યો છે. મહિલા તબીબે માનસિક તણાવમાં આ પગલુ ભર્યુ હોવાનું અનુમાન છે. 26 વર્ષીય તબીબએ દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. મહિલા તબીબને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ અકબંધ

સુરત નવી સિવિલ હોસ્પિટલની મહિલા તબીબે કરેલા આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. મહિલા તબીબ મૂળ બનાસકાંઠાના વતની હોવાનું સામે આવ્યુ છે. મહિલાના આપઘાતનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક તણાવમાં મહિલા તબીબે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

ઘટનાને પગલે રેસીડેન્સ ડોક્ટર્સમાં ભાગદોડ

મૂળ બનાસકાંઠાના વતની સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ તબીબી તરીકે ફરજ બજાવતા પવનબેન ચૌધરીએ આજરોજ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને લઈ રેસીડેન્સ ડોક્ટરોમાં ભાગદોડ મચી ગઈ હતી. તબીબી પવન ચૌધરીને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. પવન ચૌધરી માનસિક તણાવમાં રહેતી હતી.

પોલીસ તપાસ બાદ આપઘાતનું સાચુ કારણ બહાર આવી શકે

માનસિક તણાવમાં દવા પી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ તો મહિલા તબીબને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના ICUમાં ખસેડાઈ છે. ઘટનાની જાણ થતા જ સુરત પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને  સમગ્ર મામલે તપાસ શરુ કરી ગતી. હવે  મહિલા તબીબે કયા કારણોસર આપઘાત નો પ્રયાસ કર્યો છે પોલીસ તપાસ બાદ બહાર આવશે.

સુરતમાં વધુ એક આપઘાતના પ્રયાસની ઘટના

બીજી તરફ સુરતમાં વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા હિંમત વડાલીયાએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હિંમત વડાલીયાએ આક્ષેપ કર્યા હતા કે એક યુવક પાસેથી વ્યાજે લીધેલા નાણાંના કારણે પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા ફીનાઇલ પી લીધુ હતુ. હાલમાં હિંમત ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">