AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janmashtami 2022 : ‘નંદ ઘેર આનંદ ભયો….’ દ્વારકાનગરીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જાણો મંદિરનો દિવસભરનો કાર્યક્રમ

શ્રદ્ધાળુઓ (Devotee) દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી શકશે.

Janmashtami 2022 : 'નંદ ઘેર આનંદ ભયો....'  દ્વારકાનગરીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જાણો મંદિરનો દિવસભરનો કાર્યક્રમ
Janmashtami 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 8:10 AM
Share

Janmashtami 2022 : ભગવાન શ્રીકૃષ્ણના (Lord Krishna) જન્મોત્સવને વધાવવાનો અનેરો અવસર એટલે જન્માષ્ટમી.આ પાવન પર્વ પર દ્વારકાનગરીમાં (Devbhoomi Dwarka)  દેશ-વિદેશથી આવતા ભક્તોનો મહાસાગર ઘુઘવતો હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓ (Devotee) દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર શ્રીજીના વિવિધ દર્શનનો લહાવો લઇ શકશે. જન્માષ્ટમી (janmashtami) પર્વ પર વહેલી સવારે 6 વાગ્યે પ્રભુની મંગળા આરતી ઉતારવામાં આવી. સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધી દરમ્યાન ભક્તો મંગળા દર્શન કરી શકશે..જે બાદ સવારે 8 વાગ્યે શ્રીજીની ખુલ્લા પડદે સ્નાન અને અભિષેકવિધિ કરવામાં આવશે.સવારે 10 વાગ્યે શ્રીજીને સ્નાનભોગ અર્પણ કરાવવામાં આવશે.

જુઓ વીડિયો

બાળગોપાલના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવશે

જ્યારે કે 10-30 વાગ્યે શ્રૃંગારભોગ અર્પણ કરાશે. 11 વાગ્યે પ્રભુની શ્રૃંગાર આરતી થશે.જ્યારે કે બપોરે 12 વાગ્યે ભગવાનને રાજભોગ ધરાવવામાં આવશે.બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.તો સાંજે 5 વાગ્યે ભાવિક ભક્તો ઉત્થાપન દર્શનનો લાભ લઇ શકશે. તેમજ 5 વાગ્યાથી 5-45 વાગ્યા દરમ્યાન ઉત્થાપનભોગ, 7 થી 7-30 દરમ્યાન સંધ્યા ભોગ અને સાંજે 7-30 વાગ્યે સંધ્યા આરતીના દર્શન થઇ શકશે. રાત્રે 8 વાગ્યે શયનભોગ અને 8-30 વાગ્યે શયન આરતી થશે. જે બાદ 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા દરમ્યાન મંદિર બંધ રહેશે.રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે પ્રભુની પધરામણી થશે.જે બાદ ભક્તજનો રાત્રે 2-30 વાગ્યા સુધી બાળગોપાલના દર્શન કરી શકાશે.

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">