AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવભૂમિ દ્વારકામાં વ્હાઈટ કોલર બુટલેગરનો પર્દાફાશ, આયુર્વેદિક દવાના નામે ચાલતો હતો નશાનો કારોબાર, 45 લાખનો મુદ્દામાલ જપ્ત – વીડિયો

રાજ્યમાં આયુર્વેદિક સિરપની આડમાં નશાનો કારોબાર ધમધમી રહ્યો હોવાનું સામે આવે છે. આ નશાકારક સિરપ પીવાથી ખેડામાં 6 લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યભરમાં પોલીસ દ્વારા આવા નશાનો કારોબાર કરતા તત્વો સામે સકંજો કસવામાં આવી રહ્યો છે. જેમા દ્વારકામાં વ્હાઈટ કોલર બુટલેગરનો નશાના કારોબાર સામે આવ્યો છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 07, 2023 | 11:12 PM
Share

દેવભૂમિદ્વારકા પોલીસે વ્હાઇટ કોલર બુટલેગરનો કર્યો છે પર્દાફાશ. આ બુટલેગરો આયુર્વેદીક દવાના નામે કરતા હતા નશાનો ધંધો. પોલીસે આ મામલે નિવૃત નશાબંધી અધિકારી સહિત 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં ચાર લોકોની ધરપકડ કરી છે. જ્યારે બે લોકો હજુ પણ પોલીસ પકડથી બહાર છે. પોલીસે આ કેસમાં 6 અલગ-અલગ ગુના દાખલ કર્યા છે.. જેમાં 44 લાખ 77 હજારની કિંમતની 28 હજારથી વધુ નશીલી સિરપની બોટલ જપ્ત કરી છે. પોલીસે હાલ પકડાયેલા ચાર લોકોની પૂછપરછ શરૂ કરી છે અને તેઓ ક્યાં ક્યાં વિસ્તારમાં આ સિરપ મોકલતા હતા? અને અન્ય કોઇ આરોપીઓ પણ સામેલ છે કે, નહીં તે અંગેની તપાસ પણ શરૂ કરી છે.

આરોપી આસવ અરીષ્ઠા આર્યુવેદમાં આપેલી છૂટછાટનો દૂરુપયોગ કરતા

હવે જાણીએ કે આ સમગ્ર ગોરખધંધો કેવી રીતે ચાલતો હતો? સંજય શાહ નામના આરોપીએ હર્બો ગ્લોબલ ફાર્માસ્યુટીકલની સ્થાપના કરી. જેમાં અમિત વસાવડા નામનો આરોપી આર્યુવેદીક ફોર્મ્યુલેશન ટેક્નિશિયનની કામગીરી કરતો હતો. જો કે, અમિત વસાવડા પાસે આયુર્વેદીક ક્ષેત્રે કંઇપણ જ્ઞાન નહોતું. આરોપી આસવ અરીષ્ઠા આર્યુવેદ મુદ્દે સરકારે આપેલી છૂટછાટનો દૂર ઉપયોગ કરતા હતા અને આરોપીઓ આસવ અરિષ્ઠા બનાવવાની જગ્યાએ બિયર બનાવતા હતા.

આ પણ વાંચો : આ મહિલાને 16 મહિનામાં 5વાર આવ્યો હાર્ટ એટેક, 5 સ્ટેન્ટ, 6વાર એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ, ડૉક્ટર્સ પણ કેસ જોઈ ચોંકી ગયા વાંચો મહિલાની દર્દે દિલ

ફેકટરીમાં કામ પણ બિયરનું જ્ઞાન ધરાવતા નિષ્ણાંતો જ કરતા હતા. એટલું જ નહિં બિયરમાં વપરાતા માલ્ટેડ જવનો ઉપયોગ આ સિરપ બનાવવા માટે કરાતો હતો. જેથી બિયર જેવો સ્વાદ આવે. બિયર ઈન્ડસ્ટ્રીમાં વપરાતા ‘હોપ્સ’ ફ્લાવરના બિયારણના એક્સ્ટ્રેક્ટ ઉમેરવામા આવતું હતું. જેથી બિયર જેવી બિટરનેસ આવે. એટલું જ નહિં આ બાબતનો કોઈ ઉલ્લેખ બોટલ પર કરવામાં આવતો નહોતો. આસવ અરિષ્ઠામાં 12 ટકા આલ્કોહોલ માટે સરકાર મંજૂરી આપે છે. જો કે, આ સિરપમાં આરોપીઓ તેનું પ્રમાણ વધારે રાખતા હતા. જેથી નશો પણ થઇ શકે.

દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">