AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મને પેન્શન ક્યારે મળશે? લીમખેડા તાલુકાના માજી ધારાસભ્ય વિરસિંહજી મોહનિયાની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી

Dahod: લીમખેડાના પૂર્વ ધારાસભ્ય વિરસિંહજી મોહનિયા આજે કફોડી સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે. 1972માં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા લીમખેડાના વિરસિંહ બે વાર ધારાસભ્ય રહ્યા છે પરંતુ આજ દિન સુધી તેમને સરકાર દ્વારા પેન્શન નથી મળ્યુ અને અત્યંત ગરીબીમાં જીવન ગાળી રહ્યા છે.

મને પેન્શન ક્યારે મળશે? લીમખેડા તાલુકાના માજી ધારાસભ્ય વિરસિંહજી મોહનિયાની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી
માજી ધારાસભ્ય વિરસિંહજી મોહનિયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 9:26 PM
Share

દાહોદના લીમખેડા તાલુકાના માજી ધારાસભ્ય દારૂણ ગરીબીમાં જીવતા હોવાનુ સામે રહ્યુ છે. લીમખેડા તાલુકાના માજી ધારાસભ્ય વિરસિંહજી મોહનિયા આજે પણ કફોડી સ્થિતિમાં રહે છે. તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે બે વખત ધારાસભ્ય રહ્યા હોવા છતા તેમને કોઈ પેન્શન નથી મળતુ. આ માટે તેમણે અનેકવાર સરકારને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે. પરંતુ તેનુ કંઈ પરિણામ આવ્યુ નથી. Tv9 સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ કે આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કર હતી છતા તેમને પેન્શન નથી મળી રહ્યુ.

વિરસિંહજી મોહનિયા બે વાર જનતાદળ સમયે ધારાસભ્ય રહ્યા

વિરસિંહ મોહનિયા 1972માં લીમખેડા વિધાનસભા બેઠક પરથી જનતા દળના ઉમેદવાર હતા અને બે વખત ધારાસભ્ય બન્યા છે. આજીવન સમાજની સેવા કરનાર અને ગરીબીમાં પોતાનું ગુજરાન ચલાવનાર આ રાજકીય નેતાને સરકાર પાસે માત્ર પેન્શનની આશા છે. એક તરફ નવા ધારાસભ્યો ચૂંટાયા છે તો બીજી તરફ માજી ધારાસભ્યની વેદના સામે આવી છે.

પેન્શન માટે સરકારને માજી ધારાસભ્યએ કરી અનેક રજૂઆત

વિરસિંહજી અનેકવાર સરકારને રજૂઆત કરી ચુક્યા છે. તેમણે જણાવ્યુ કે તેમને સરકાર તરફથી પણ જવાબ આવ્યો છે. એ કાગળનાં લખ્યુ છે કે તમારા પેન્શન અંગેની તપાસ શરૂ છે અને તપાસ પૂરી થયા બાદ જાણ કરવામાં આવશે. જો કે માજી ધારાસભ્ય જણાવે છે કે આજ સુધી તેમને આ અંગેની કોઈ જાણ કરી નથી. તેમના પુત્ર જણાવે છે તેમના પિતા રાજકારણમાંથી નિવૃત થયા પછી તેમને ઘણી પાયમાલીનો સામનો કરવો પડ્યો છે. ટંકે ટંકના ખાવાના પણ ફાંફાં પડતા હતા તેવી દયનિય સ્થિતિ હતી. ત્યારબાદ ધીમે ધીમે તેમણે ખેતીકામ શરૂ કર્યુ.

2001માં તળાવો બાંધવાનું કામ શરૂ થતા તેઓ તેમા મજૂરી કામ પણ કરવા જતા હતા. શિયાળુ પાક માટે કૂવામાં પાણી ન હોવાથી કોતરોમાંથી પાણી લાવીને પાક બચાવતા હતા. આવી હાડમારીભરી સ્થિતિમાં તેમણે શરૂઆતના 8થી10 વર્ષ ગુજાર્યા છે અને હજુ પણ કંઈ બહુ સારી કહી શકાય તેવી સ્થિતિ નથી. વિરસિંહ જણાવે છે કે હાલ તેમને પેન્શનની ઘણી જરૂર છે અને સરકાર તેમનુ પેન્શન બાંધી આપે તો તેમની સ્થિતિ થોડી ઘણી સુધરે તેવી તેઓ માગ કરી રહ્યા છે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">