AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CORONA: ગાંધીનગરનું અક્ષરધામ મંદિર મુલાકાતીઓ માટે થઈ શકે છે બંધ, આજે સાંજે 4:00 વાગ્યે યોજાશે બેઠક

રાજ્યમાં એક પછી એક મદિરો બંધ થઈ રહ્યાં છે ત્યારે હવે ગાંધીનગર ખાતે આવેલું પ્રખ્યાત અક્ષરધામ મંદિર પણ બંધ થવાના સંકેત મળી રહ્યા છે. આ માટે BAPS ટ્રસ્ટ અને સંતોની સાંજે 4 વાગ્યે એક બેઠક મળવાની છે તેમાં નિર્ણય લેવાશે.

CORONA: ગાંધીનગરનું અક્ષરધામ મંદિર મુલાકાતીઓ માટે થઈ શકે છે બંધ, આજે સાંજે 4:00 વાગ્યે યોજાશે બેઠક
Gandhinagar's Akshardham temple
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 1:28 PM
Share

રાજ્યમાં એક પછી એક મદિરો બંધ થઈ રહ્યાં છે ત્યારે હવે ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલું પ્રખ્યાત અક્ષરધામ મંદિર (Akshardham temple) પણ બંધ થવાના સંકેત મળી રહ્યા છે. આ માટે BAPS ટ્રસ્ટ અને સંતોની સાંજે 4 વાગ્યે એક બેઠક મળવાની છે તેમાં નિર્ણય લેવાશે.

કરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેના પગલે અક્ષરધામ મંદિરમાં હાલ દર્શનાર્થીઓ અને મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સામાન્ય રીતે મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ (visitors) આવતા હોય છે, પણ અત્યારે તેમની દૈનિક સંખ્યા ઘટીને દૈનિક 500 થી 600 જેટલી રહી ગઈ છે.

કોરોનાને પગલે આ મંદિરો પહેલાંથી જ બંધ કરી દેવાયાં છે

ગુજરાતમાં ભક્તિ (Worship)ને પણ કોરોના (Corona)નું ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. કોરોનાના વધતા કેસોના પગલે રાજ્યના મોટા ભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. શામળાજી, દ્વારકાધીશ મંદિર, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી ,વડતાલનું સ્વામીનારાયણ મંદિર, અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દ્વારકા મંદિર બંધ કરાતાં વેપારીઓનો વિરોધ

કોરોનાના વધતા કેસ વચ્ચે દ્વારકાધીશનું જગત મંદિર પણ બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે, પરંતુ આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવ્યો હોવાનો યાત્રાળુ અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વેપારીઓ અને સ્થાનિકોએ તંત્રને આવેદનપત્ર આપીને આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે.

આ પણ વાંચોઃ પાટીદારોના સંગઠન SPGમાં પડ્યા ભાગલા, નારાજ હોદ્દેદારોએ નવી સમિતિ રચી, જાણો શું છે સમગ્ર વિવાદ

આ પણ વાંચોઃ Kheda: ડાકોરના રણછોડરાય મંદિરમાં આરતી સમયે દર્શનાર્થીઓને પ્રવેશ નહીં, મંદિરમાં પ્રતિક્રમા કરવા પર પણ પ્રતિબંધ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">